________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૫૪ – પ્રવચન નવનીતઃ ભાગ-૨ અહીં આવે છે ને ! કેઃ “જો જો દેખી વીતરાગને સો સો હોશી વીરા રે!” –પણ કોને ?
અનહોની કબહુ ન હોસી કાહે હોત અધિરા રે” – પણ કોને? કે જેને કર્તાબુદ્ધિ છૂટી ગઈ છે તેને. અને કેવળીએ દીઠું તેવું થશે, તો કેવળજ્ઞાનની પર્યાયની સત્તા, જેની પ્રતીતમાં આવી છે; તો તે પ્રતીતમાં ત્યારે આવે છે કે જેમાં સર્વજ્ઞપણું અંદરમાં પડ્યું છે એનો આશ્રય લઈને તેને એવી પ્રતીતિ આવે છે કે “જગતમાં સર્વજ્ઞ છે.' આહા... હા! આવી વાત છે, બાપુ ! શું થાય? એકાંત તાણી જાય, કોઈ કાંઈ તાણી જાય, કોઈ કાંઈ તાણી જાય !
જિજ્ઞાસા: કોઈપણ વાત (પણ સરવાળે) સર્વજ્ઞસ્વભાવ તો આવવો જ જોઈએ!
સમાધાન: ત્યાં જ જવું છે. (આ) એક જ વાત છે. “તમતમ” ન કહ્યું? પૂર્ણ પ્રભુ તારી ચીજ છે તેનો અનુભવ કર! એક જ વાત. “છહુઢાળા” માં આવે છે ને.! “લાખ બાત કી બાત યહી, નિશ્ચય ઉર લાઓ.” – વ્યવહાર આવે છે, વ્યવહાર હોય છે, (એ) હો, પણ “લાખ બાત કી બાત યહી, નિશ્ચય ઉર લાઓ; તોરિ સકલ જગદંદ--ફંદ, નિત આતમ ધ્યાઓ.” આહા.. હા એ છે આ (ભાર્ગ ) !
અહીંયાં કહે છે: મારા અંતરના બળથી અથવા ધ્રુવના ધ્યાનના ધ્યેયના બળથી મારામાં આ મોહ ને રાગ-દ્વેષ નથી. આહા.... હા ! સમજાય છે કાંઈ ?
પહેલો સમ્યગ્દર્શનનો વિષય જરી સૂક્ષ્મ! અને પહેલી ભૂમિકા-સમ્યગ્દર્શન-જ કઠણ છે! એ માટે (જ) બહુ જોર દેવાય છે. સમ્યગ્દર્શન ઉપર. બાકી તો સમ્યગ્દર્શન થયા પછી તો અશુભભાવ પણ આવે છે, શુભભાવ (પણ) આવે છે. દષ્ટિ થઈ છે કે હું ધ્રુવ નિત્યાનંદ છું, એવો અનુભવ થયો છે; (પણ આ ભૂમિકામાં પૂર્ણ) સ્થિરતા થઈ શકે નહીં, તો નિર્વિકલ્પધ્યાનમાં (સતત) રહી શકે નહીં તો શ્રવણ, મનન, ચિંતવન આદિ શુભભાવ ન આવે તો ત્યારે શું અશુભમાં જવું? (એમ નથી). તો શુભ કરવું, એમ કહેવામાં પણ આવે છે. ઉપાયથી શુભ કરો, એવો પણ ઉપદેશ કરવામાં આવે છે. સમ્યગ્દષ્ટિને પણ અસ્થિરતા-અશુભ
ટે (એવો ઉપદેશ આવે). અજ્ઞાનીને તો કંઈ છે જ નહીં, એને તો હુજી મિથ્યાત્વ પડયું છે. અને (મોટું) અશુભ તો મિથ્યાત્વ છે; તેનાથી જ (તે) બચ્યો નથી, તો ત્યાં ( ચારિત્રમોહજ ) અશભથી બચવાનું ક્યાં રહ્યું? આવી વાતો છે!
આહા.. હા! એ બે લીટીમાં તો કેટલું ભર્યું છે! (શ્રોતા ) હજી કાંઈ પૂરી થઈ નથી ! (ઉત્તર) પૂરું! પૂરું તો ક્યાંથી, બાપા! એ તો ભગવાન-મુનિરાજો-સાચા સંતો પૂરું કરે, ભાઈ ! એ તો અમારું ગજું નથી! એમાં તો ઘણી ગંભીર ચીજ ભરી છે! આહા... હા!
શુદ્ધદ્રવ્યાર્થિકનયના બળે – એ નિર્ણય પર્યાય કરે છે કે દ્રવ્ય કરે છે? અનિત્ય નિત્યનો નિર્ણય કરે છે. નિત્યા ક્યાં નિર્ણય કરે? નિત્ય તો ધ્રુવ છે, અને કૂટસ્થ છે. “ફૂટસ્થ” માં, ધ્રુવમાં પરિણમન જ નથી.
આહા... હા! ભાષા તો જુઓઃ “સત્તા, અવબોધ (જ્ઞાન), પરમચૈતન્ય,” –ત્રિકાળ... હોં! જ્ઞાન-દર્શન બે ભેગું કરી નાખ્યું. ચેતનનું પરમચૈતન્ય, આત્માનું-તત્ત્વનું વિશેષ આત્મતત્ત્વનું પરમચૈતન્ય, ખાસ આત્મતત્ત્વનું પરમચૈતન્ય, “અને સુખની અનુભૂતિમાં લીન”ત્રિકાળ આનંદની અનુભૂતિમાં લીન, આનંદમાં લીન પડયું (વિદ્યમાન) છે. અંદર પૂર્ણાનંદનો નાથનો નાથ પ્રભુ, પૂર્ણાનંદમાં લીન છે. આહા... હા! “લીન” માં પર્યાય ન લેવી. આહા... હા! જુઓને ! ભાષા
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
છોડવા