________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
પ્રવચનાઃ તા. ૨૪-૨-૧૯૭૮ (... શેષાંશ) આહા... હા! શું કહે છે? “અહીં ઉન્માર્ગનો પરિત્યાગ”. જૈનધર્મ વીતરાગી પરિણતિ છે. એ જૈનધર્મ સિવાય જેટલા માર્ગો છે તે બધા ઉન્માર્ગ છે. અથવા તો આ વસ્તુનો સ્વભાવ જ વીતરાગ-જિનસ્વરૂપ છે.
(“સમયસાર નાટક' માં આવે છે ને..!) “ ઘટ ઘટ અંતર જિન બર્સ, ઘટ ઘટ અંતર જૈન, મતિ-મદિરાકે પાનસૌં, મતવાલા સમુઝે ન.” – એ તો વસ્તુનું સ્વરૂપ એવું છે. આહા.. હા ! આત્મા જિનસ્વરૂપી છે, વીતરાગી સમતારસનો સાગર ભરેલો છે, એ જિન છે. એને આશ્રયે પરિણતિ પ્રગટ થતાં તે જૈનદર્શન, જૈનમાર્ગ છે. આ કોઈ સંપ્રદાયની વાત નથી. આ તો વસ્તુનું સ્વરૂપ જ એવું છે.
(જે કોઈ ) સમભાવ પ્રગટ કરવા માગે છે (તો) તે ક્યાંથી આવશે? એ સમભાવ એટલે વીતરાગભાવથી ભરેલો જ ભગવાન છે, વીતરાગસ્વાભાવથી ભરેલો પ્રભુ (છે); એના સંમુખ થતાં અને રાગાદિક્રિયાથી વિમુખ થતાં, એને પવિત્રતા (સમભાવ) પ્રગટે છે. એ ઉન્માર્ગનો ત્યાગ અને માર્ગનું ગ્રહણ (છે). એ (અહીં) આવશે:
અહીં ઉન્માર્ગનો પરિત્યાગ “અને સર્વજ્ઞવીતરાગ-માર્ગનો સ્વીકાર વર્ણવવામાં આવેલ છે.” પહેલા વ્યવહાર લે છેઃ
જે શંકા”- વીતરાગમાર્ગના વ્યવહારની શંકા, એ જેણે છોડી છે. “કાંક્ષા” –વ્યવહાર જેણે પરની ઈચ્છા છોડી છે. “વિચિકિત્સા” –દુર્ગછા છોડી છે વ્યવહાર. “અન્યદષ્ટિપ્રશંસા ”અન્યદષ્ટિની પ્રશંસા છોડી છે. “અને અન્યદષ્ટિસંતવ”- જેણે મિથ્યાષ્ટિનો પરિચય છોડ્યો છે (અર્થાત્ ) જેની દષ્ટિમાં મિથ્યાત્વ છે–રાગ ને દયા–દાન-વ્રતથી ધર્મ થાય એ મિથ્યાષ્ટિ છે, એવા મિથ્યાષ્ટિનો જેણે પરિચય છોડ્યો છે. એ આ હુજી શુભભાવ છે. મિથ્યાષ્ટિની સ્તુતિઃ જેની દષ્ટિ અસત્-જૂઠી છે એની સ્તુતિ (એ) મોટો દોષ છે એનાથી આ રહિત છે. આ વ્યવહારે હોં ! હજી આ તો મનથી મિથ્યાષ્ટિનો મહિમા કરવો-ભારે ત્યાગ કરે છે! ભારે વૈરાગ્ય કરે છે! –તે અન્યદષ્ટિપ્રશંસા છે અને મિથ્યાષ્ટિના મહિમાનાં વચનો બોલવાં તે અન્યદષ્ટિસંસ્તવ છે. એ સ્તુતિ, જેને વ્યવહારસમકિતમાં ય છોડી દીધી છે. (એ) અન્યદષ્ટિસંસ્તવથી રહિત છે. (અર્થાત્ એ બધા) “મળકલંકપંકથી વિમુક્ત (-મળકલંકરૂપી કાદવથી રહિત) શુદ્ધનિશ્ચયસમ્યગ્દષ્ટિ (જીવ)” શુદ્ધનિશ્ચય આત્મા આનંદસ્વરૂપ ભગવાન, એની જેને અંતદષ્ટિ થઈ છે એટલે નિશ્ચયસમ્યગ્દર્શન. નિશ્ચયસમ્યગ્દર્શન એને કહીએ. (એ) નિશ્ચયસમ્યગ્દષ્ટિ જીવ “બુદ્ધાદિ પ્રણીત મિથ્યાદર્શન-જ્ઞાનચારિત્રાત્મક માર્ગાભાસરૂપ” (ઉન્માર્ગનો પરિત્યાગી છે).
(બુદ્ધાદિ પ્રણીત ) એ બધા માર્ગાભાસ છે. બૌદ્ધધર્મ-વેદાંતધર્મ એ માર્ગ નથી; માર્ગાભાસ (અર્થાત્ ) માર્ગ જેવો આભાસ છે. આહા... હા! આકરું કામ! કુંદકુંદ આચાર્ય તો એમેય કહ્યું કે:“ અંતરમાં વીતરાગદશા અને બહારમાં નગ્નદશા એ મોક્ષમાર્ગ છે. એના સિવાયનાં બધાં ઉન્માર્ગ છે.” અંતરમાં આત્મા આનંદસ્વરૂપ ભગવાન; એનાથી વિરુદ્ધ એ બધા ઉન્માર્ગ છે. જૈનસર્વજ્ઞ વીતરાગ પરમાત્માએ કહેલો જે વીતરાગભાવ એ એક જ સન્માર્ગ છે. આહા... હા ! રાગથી લાભ થાય' એ જૈનમાર્ગમાં ન હોય. અન્યમાં એ રાગથી, પુણ્યથી, દયા, દાન, વ્રતથી લાભ થાય. -એ બધા ઉન્માર્ગ છે. (આ વસ્તુસ્થિતિ છે) શું થાય?
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com