________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
શ્રી નિયમસાર ગાથા ૫૧-૫૫ – ૯૫ ત્યારે તે સંપ્રદાયમાં કહેવામાં (ગણાય) છે ને... તે વિના (કેમ) કહેવાય? (પણ) એમ (ચારિત્ર) નથી.
અહીં તો કહે છે. જેને અંતરવસ્તુનો આનંદ અને આત્મજ્ઞાન ( પ્રગટ) થયું છે, તે પરમજિનયોગીશ્વરને પહેલાં પંચમહાવ્રતાદિ પાપક્રિયાથી નિવૃત્તિરૂપ વ્યવહારનય (નું ચારિત્ર) હોય છે. અહીં કહ્યું: “પાપક્રિયાથી નિવૃત્તિરૂપ પરિણામ તે ચારિત્ર છે.” પણ તે કોને? કે: અભેદઅનુપચાર-રત્નત્રયપરિણતિવાળા જીવને, ભેદોપચાર-રત્નત્રયપરિણતિ છે. (એટલે કે, તેને) પૂર્ણાનંદના નાથનો- અભેદનો આશ્રય (અર્થાત્ અભેદ-અનુપચાર-રત્નત્રયપરિણતિ) છે (પણ) એને જ્યાં સુધી અંદર પૂર્ણ સ્થિરતા નથી ત્યાં સુધી એવા ભેદોપચારરૂપ શ્રદ્ધા, જ્ઞાન, અને પાપક્રિયાથી નિવૃત્તિરૂપ પરિણામ આવે છે. (તેને) “આમ ભેદોપચાર-રત્નત્રયપરિણતિ છે.”
પહેલાં શ્રદ્ધા અને સંશયાદિ રહિત સમ્યજ્ઞાનની વાત કહી હતી ને.? હવે એને બહુ ટૂંકી ભાષામાં કહે છે: “તેમાં, જિનપ્રણીત હેય-ઉપાદેય તત્ત્વોનું જ્ઞાન તે જ સમ્યજ્ઞાન છે.” છે તો એ (પણ) વ્યવહારસમ્યક (જ્ઞાન). આહા. હા! પોતાના ભગવાનના આનંદનું સમ્યક વેદન થયું (અર્થાત્ ) એને જે (નિજ) ચૈતન્યનું જ્ઞાન તે નિશ્ચયસમ્યજ્ઞાન (છે); અને ય-ઉપાદેય (તત્ત્વોનું જ્ઞાન, એ વ્યવહારસમ્યજ્ઞાન છે); એમ બે થઈ ગયા. જિનપ્રણીત તત્ત્વોમાં પણ હેય અને ઉપાદેય છે. એવા જ્ઞાનને વ્યવહાર (સમ્યક ) જ્ઞાન કહે છે. સમજાણું કાંઈ ? સમ્યજ્ઞાનની વ્યાખ્યા પહેલાં આવી ગઈ હતી. સંશય, વિમોટું અને વિભ્રમરહિત જ્ઞાન તે જ સમ્યજ્ઞાન છે. અહીંયાં આ હેય ને ઉપાદેય સુધી પણ વ્યવહારસમ્યજ્ઞાન છે. બે થયા ને...! આ હેય અને ઉપાદેય. સમકિતીને નિશ્ચયજ્ઞાન પોતાના સ્વભાવનું છે, અને હેય-ઉપાદેયનું જ્ઞાન વ્યવહારજ્ઞાન છે. પણ એ જિનપ્રણીત (ય-ઉપાદેય-તત્ત્વોનું) હોં! અન્યમતિના કહેલાં હેય-ઉપાદેય નહીં. સર્વજ્ઞ ભગવાન ત્રિલોકનાથ, એમણે હેય-ઉપાદેય (તત્ત્વ) કહ્યાં. બે ભેદ થઈ ગયા ને..! હેય અને ઉપાદેય; એટલે વ્યવહાર! આહા... હા!
[“આ સમ્યકત્વપરિણામનું બાહ્ય સહકારી કારણ વીતરાગ-સર્વશના મુખકમળમાંથી નીકળેલું સમસ્ત વસ્તુના પ્રતિપાદનમાં સમર્થ એવું દ્રવ્યહ્યુતરૂપ તત્ત્વજ્ઞાન જ છે.” ] (શું કહે છે?) કે: આ સમ્યકત્વપરિણામનું બાહ્ય સહકારી કારણ, (એટલે કે) વ્યવહારસમકિતનું બાહ્ય સહકારી કારણ... સમકિતીને હોં...! નિશ્ચયસમકિતીને વ્યવહારસમકિત (તે) બાહ્ય સહકારી કારણ (અર્થાત્ ) બાહ્ય સહકાર એટલે સાથે રહેલું એવું કારણ- [ વીતરાગ-સર્વજ્ઞપ્રણીત દ્રવ્યહ્યુતરૂપ તત્ત્વજ્ઞાન છે.).
એ “મોક્ષમાર્ગપ્રકાશક' સાતમા અધ્યાયમાં કહ્યું: “વ્યવહાર” કેમ છે? કે: સહકારી છે, (માટે) વ્યવહાર છે. એને ઉપચારથી સમકિત અને જ્ઞાન કહેવામાં આવે છે. સાતમા અધ્યાયમાં જ્યાં નિશ્ચય અને વ્યવહારાભાસનું કથન છે ત્યાં એ (વાત ) છે.
અહીંયાં એ કહ્યું કેઃ સમ્યકત્વપરિણામ, જે વ્યવહારસમ્યકત્વપરિણામ છે; એનું બાહ્ય સહકારી કારણ વીતરાગ-સર્વજ્ઞના મુખકમળમાંથી નીકળેલું. આહા... હા! અહીં તો વ્યવહાર (સમ્યક ) –જ્ઞાનમાં પણ બાહ્ય સહકારી કારણરૂપે વીતરાગને કહ્યું છે. જરી ઝીણી વાત છે, પ્રભુ! શ્વેતાંબર-શાસ્ત્રને પણ બાહ્ય-વ્યવહાર સહકારી કારણ નથી કહેતા. એને (શ્વેતાંબરને) એવું નિશ્ચય (સમ્યજ્ઞાન) તો હોતું જ નથી; પણ વ્યવહારસમકિતના પરિણામમાં પણ શ્વેતાંબરપ્રરૂપિત શાસ્ત્રો નિમિત્ત થઈ શકતાં નથી, કારણ કેઃ શ્વેતાંબરનાં શાસ્ત્રો સર્વજ્ઞપ્રણીત નથી, કલ્પિત બનાવેલાં છે; એટલે તે શાસ્ત્રો
Please inform us of any errors on rajesh@AtmaDharma.com