________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૩૬ - પ્રવચન નવનીત: ભાગ-૨ આહા.... હા ! એ કાયરનાં કામ નથી ત્યાં. આહા.... હા હા ! વીર= “વી' અર્થાત્ વિશેષે “ર” અર્થાત્ પ્રેરણા, એટલે જેની સ્વરૂપ તરફ વીર્યની વિશેષ પ્રેરણા છે, એવા વીરનો (આ) મારગ બહુ દુર્લભ છે, ભાઈ ! સમજાણું કાંઈ ? એવો અર્થ “નિયમસાર” પહેલી ગાથાની ટીકામાં આવે છે. ત્યાં “વીર' નો અર્થ આવ્યો છેઃ “અનેક જન્મરૂપ અટવીને પ્રાપ્ત કરાવવાના હેતુભૂત સમસ્ત મોહરાગદ્વેષાદિકને જે જીતે છે તે “જિન” છે. તે “વીર” છે. વીર' એટલે વિક્રાંત (-પરાક્રમી ); [ આહા.... હા ! વીરતા પ્રગટ કરે, શૌર્ય પ્રગટ કરે, ઘણા શબ્દોથી વીરની વ્યાખ્યા કરી છે]; વીરતા ફોરવે; શૌર્ય ફોરવે, વિક્રમ (પરાક્રમ) ફોરવે, કર્મશત્રુઓ પર વિજય મેળવે, તે “વીર” છે. પહેલી ગાથાની શરૂઆત કરી છેઃ “નિઝ નિ વીર” એનો અર્થ ‘આ’ કર્યો છે.
આહા... હા! શ્રીમમાં (વર્ષ ૧૭માં પહેલાં) આવે છે ને...! “વચનામૃત વીતરાગનાં પરમ શાંતરસમૂળ; ઔષધ જે ભવરોગનાં, કાયરને પ્રતિકૂળ.” રે ગુણવતા રે જ્ઞાની અમૃત વરસ્યાં રે પ્રભુ પંચમકાળમાં.. રે ગુણવતા રે જ્ઞાની અમૃત વરસ્યાં રે પ્રભુ પંચમકાળમાં. આહા... હા! અંદર અમૃતનો સાગર ભગવાન ઊછળ્યો! આહા... હા! દષ્ટિ જ્યાં અંદર મૂકી અને જ્યાં પર્યાયમાં વીરતા પ્રગટ થઈ; કહે છે કે એ કાયરને નપુંસકોને પ્રતિકૂળ છે.
વીર્યશક્તિ” ની વ્યાખ્યા “સમયસાર' ૪૭ શક્તિમાં એવી કરી છે કે: [“સ્વરૂપની (–આત્મ-સ્વરૂપની) રચનાના સામર્થ્યરૂપ વીર્યશક્તિ.” ] (એટલે કે) સ્વરૂપની રચના કરે તે વીર્ય. રાગની રચના કરે તે વીર્ય નહીં. આહા... હા! “સ્વરૂપની રચના કરે તે વીર્ય.' પોતાની પરિણતિમાં શુદ્ધ આનંદ અને જ્ઞાનની રચના કરે તે વીર્ય. રાગની રચના કરે તે નપુંસક છે. (એ વાત) બે ઠેકાણે આવી ગઈ છે (- “સમયસાર' જીવ-અજીવ અધિકાર ગાથા-૩૯ની ટીકામાં તેમજ પુણ્ય-પાપ અધિકાર ગાથા-૧૫૪ની ટીકામાં છે...) “વહીવ”- “નપુંસક.' અહી.... હા ! શુભ-અશભની રચના કરે તે તો નપુંસક છે, “જીવ' છે!
આહા.... હા ! આ તો એવો માર્ગ છે, બાપા! પ્રભુ કહે છે કે અમે (તો) વીરનું વીર્ય એને કહીએ કે જે અનંતગુણની નિર્મળ-શુદ્ધ પરિણતિને રચે. રાગને રચે તે વીર્ય નહીં, સ્વનું વીર્ય નહીં. સમજાય છે કાંઈ? જેમ નપુંસકને વીર્ય હોતું નથી તો (એને) પુત્ર-પુત્રી હોતા નથી; તેમ શુભરાગ છે તે નપુંસકપણું છે એમાં ધર્મની પ્રજા ઉત્પન્ન થતી નથી. આહા... હા! આવી વાત છે આ !
હવે, અહીંયાં કહે છે: “સંસારીજીવોને બહુ આરંભ-પરિગ્રહ વ્યવહારથી હોય છે.” – વ્યવહારથી હોય છે ને ! (એટલે કે ) પર્યાયમાં હોય છે ને ! આહા... હા ! સંસારીજીવોને બહુ આરંભ-પરિગ્રહ-મહાહિંસા, જૂઠું, ચોરી, પરિગ્રહ, મમતા-વ્યવહારથી હોય છે. “અને તેથી જ તેને ના૨ક-આયુના હેતુભૂત સમસ્ત મોહરાગદ્વેષ હોય છે, પરંતુ મને-શુદ્ધનિશ્ચયના બળે શુદ્ધજીવાસ્તિકાયને-તેઓ નથી.” આહા... હા ! ( રાગદ્વેષમોહુ) દ્રવ્યમાં તો નથી પણ અહીં તો શુદ્ધનિશ્ચયના બળે મને પર્યાયમાં પણ નથી, એમ કહે છે. શુદ્ધનિશ્ચયના બળથી, શુદ્ધજીવાસ્તિકાયની (તરફ ) જ્યાં દષ્ટિ અને સ્થિરતા થઈ, તો મારા જીવાસ્તિકાયમાં પણ મહાઆરંભ અને પરિગ્રહ નથી. તેથી મારી પરિણતિમાં પણ મહાઆરંભ અને પરિગ્રહુ નથી. સમજાણું કાંઈ ? આવો માર્ગ છે! “દ્રવ્યમાં નથી” એ કઈ પરિણતિએ નિર્ણય કર્યો? “(શુદ્ધ) જીવાસ્તિકાયને–અહીં અસંખ્યપ્રદેશી લેવો છે ને! એ વાત પણ સર્વજ્ઞ સિવાય (બીજે) ક્યાંય નથી. તેથી એકલો જીવ ન લઈને, “જીવાસ્તિકાય' લીધું છે. આહા... હા! “શુદ્ધનિશ્ચયના બળે શુદ્ધજીવાસ્તિકાયને તેઓ (સમસ્ત
Please inform us of any errors on rajesh@AtmaDharma.com