________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૭૬ – પ્રવચન નવનીત: ભાગ-૨ મળીને દ્રવ્ય છે. તો એમ આત્મામાં એવી એકધારાવર્તી પર્યાય ક્યાં આવી ? ઉત્પાદ–વ્યય ( રૂપપર્યાય) માં તો સંસારની વિકૃત અવસ્થા છે; મોક્ષમાર્ગમાં અપૂર્ણ શુદ્ધઅવસ્થા છે; અને મોક્ષમાં સંપૂર્ણ શુદ્ધઅવસ્થા છે. એ તો પર્યાયમાં ભેદ પડી ગયો, એકધારા ન રહી. -આ વાત, નિયમસાર” ગાથા: ૧ થી ૧૯ સુધીનાં વ્યાખ્યાન (૨૦૦૨ માં થયાં તે પ્રકાશિત થયાં છે) એમાં લીધી છે. એક મોટો નકશો બનાવ્યો હતો. (તે વિષે બે મોટા વિદ્વાનોને) પૂછયું, પણ કાંઈ સમજ્યા નહીં. તો બીજા (લોકો ) શું સમજશે? એટલે નકશો મૂકી દીધો. ત્યાં “કારણપર્યાય' ધ્રુવને બતાવવો છે. જેનું દ્રવ્ય ધ્રુવ છે ત્રિકાળ, એવો ગુણ ધ્રુવ છે એવી, ઓલી (ધર્માસ્તિકાય આદિ) ચાર દ્રવ્યમાં એકસરખી પર્યાય છે એવી, આ આત્મામાં એકસરખી (કારણપર્યાય છે). પણ એ તો ઉત્પાદ- વ્યયવાળી પર્યાય નથી. ઘણો સૂક્ષ્મ (વિષય) છે, ભાઈ ! ઉત્પાદ-વ્યય (પર્યાયમાં) તો વિકૃતિ છે, અપૂર્ણ શુદ્ધતા છે, પૂર્ણ શુદ્ધતા છે-એવા ભેદ છે, એકધારા આવી નહીં. તો આત્મામાં દ્રવ્ય-ગુણની એકધારા (રૂપ) પર્યાયવિના પૂર્ણ દ્રવ્ય કેવી રીતે હોય? તો “નિયમસાર' ૧૫ મી ગાથામાં લીધું કે: (જેમ) જે આખો દરિયો છે દરિયો, એની જે સપાટી એકસરખી છે. તેમ એ જે એક સામાન્ય દ્રવ્ય ત્રિકાળ છે તેમાં, અર્થાત્ આ સામાન્ય દ્રવ્ય-ગુણ છે તેમાં, એક “કારણપર્યાય” એકસરખી સપાટી છે. (પણ) (એ) ઉત્પાદવ્યય (રૂપ) નથી ! ઝીણી વાત છે. સમજાણું કાંઈ? ભાઈ શીતલપ્રસાદે લીધું છે કે દ્રવ્ય, ગુણને પર્યાયથી આમાં એકાગ્ર થવું, એ કારણપર્યાય. (પણ એ અર્થ અહીં બરાબર નથી, કેમકે)
એમાં એકાગ્ર” તો એ તો નવી (ઉત્પાદરૂપ) પર્યાય થઈ. અને ઓલી (કારણપર્યાય) તો ત્રિકાળ છે. દ્રવ્ય-ગુણ-પર્યાય ધારાવાહી, ઉત્પાદ-વ્યય વિનાની છે.
દ્રવ્યગુણપર્યાયના સ્વરૂપમાં” એનું (આત્માનું) સ્વરૂપ છે એ. અહીંયા આ અર્થ તો આ લાગે છે અત્યારે તો- ભેદવાળો (-દ્રવ્ય, ગુણ, પર્યાયસ્વરૂપ આત્મા) ઉત્પાદ-વ્યયવાળો. (શ્રોતા ) જ્ઞાનની પર્યાયને જુદી પાડીને! (ઉત્તર) જ્ઞાનની પર્યાયનો અર્થ એ કે જે જ્ઞાનઆનંદની પર્યાય છે એમાં એકાગ્ર. એનો અર્થ એ ને એ. જે પર્યાય એકાગ્ર થઈ એ પર્યાય, સ્વરૂપમાં એકાગ્ર થઈ.
જિજ્ઞાસા: પાંચ ભાવોમાં પર્યાયસહિત-ક્યો ભાવ કહેવાય? સમાધાન: પર્યાયસહિત આ પર્યાય ક્ષાયિક, ઉપશમ, ક્ષયોપશમની નિર્મળપર્યાય છે તે. જિજ્ઞાસા: દ્રવ્યની પર્યાય ભેગી થઈ તો આ ભાવ ક્યો કહેવાય ?
સમાધાન: ક્યો એનો અર્થ શું? પ્રશ્નમાં ઠેકાણું નથી. આ તો ક્ષાયિક, ક્ષયોપશમ, (ઉપશમ) પર્યાયની અહીં વાત છે. અને જે કારણપર્યાય છે એ તો પારિણામિકભાવની છે. અરે! ભારે કામ છે આકરું. દ્રવ્ય પારિણામિકભાવ છે. ગુણ પારિણામિકભાવ અને ઓલી (નિયમસાર” ૧૫ મી ગાથાવાળી) કારણપર્યાય જે છે તે પારિણામિકભાવ છે. ઘણો ખુલાસો તે દી” ૨૦૦૨ ની સાલમાં કર્યો હતો. એમાં (નિયમસાર” પ્રવચનના ગ્રંથમાં) છે.
અહીંયાં જે અંદરમાં એકાગ્રતા છે, એ પર્યાયમાં એકાગ્રતા થાય છે. એ પર્યાય તો ઉપશમ, ક્ષયોપશમ અને ક્ષાયિક કહેવામાં આવે છે. ઉદય તો નથી. પાઠમાં ‘નિ' શબ્દ પડયો છે ને..! “ચંદ્રવ્યપર્યયાત્મિનિ ઉત્તપિત્ત:” પાઠમાં બીજું પદ છે નિજ દ્રવ્યગુણપર્યાયના સ્વરૂપમાં “દત્તચિત્ત.' સમજાણું કાંઈ ? એ વાત કરી લોકોને આકરી પડે: “કારણપર્યાય'. એ વાત ચાલતી નથી ને.! ચાલતી
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com