________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
શ્રી નિયમસાર શ્લોક ૧૧૧ – ૨૧૩ મુનિ તો કહે છે કેઃ હું તો ચોવીસે કલાક આનંદમાં વર્તી છું. હું તો આનંદકંદ ભગવાનમાં નિત્ય વર્તી છું. ‘વર્તી છું' એ પર્યાય છે. નિત્ય વર્તુ છું-નિત્યમાં નિત્ય વર્તી છું. ભાષા સહેલી પણ ભાવ બહુ ઝીણા છે! નિત્ય પ્રભુ ધ્રુવ, સમ્યગ્નાનની મૂર્તિ પ્રભુ (એ ) આત્મા; એવા આત્મામાં આત્માથી-વીતરાગીપર્યાયથી–નિત્ય વર્તી છું. એ મારું મોક્ષમાર્ગ અને મુનિપણું છે, એમ કહે છે. ગૃહસ્થાશ્રમમાં સમકિતીને ( સકળ ) ચારિત્ર હોતું નથી. અને અહીં તો ( સકળ ) ચારિત્રસહિત ત્રણેયની વાત ભેગી લીધી છે. સમજાણું કાંઈ ?
શ્રેણિકરાજાને ચારિત્ર નહોતું પણ ક્ષાયિકસમકિત હતું. રાજમાં રહેતા હતા. (પણ ) અંતર આત્માનો અનુભવ કરીને આનંદનો સ્વાદ લઈને ક્ષાયિક પ્રતીતિ (શ્રદ્ધા ) પ્રગટ કરી. પણ (તે ) પહેલાં નરકનું આયુ બંધાઈ ગયું હતું ત્યારે પૂર્વકર્મને કારણે નરકની સ્થિતિ ઘણી બાંધી હતી તોપણ જ્યારે સમ્યગ્દર્શન પ્રાપ્ત કર્યું તો આયુષ્યની સ્થિતિ ઘટી ગઈ-ચોર્યાશી હજાર (વર્ષ) રહી ગઈ. શ્રેણિકરાજા ભગવાન (મહાવી૨) ના વખતમાં ૮૪ હજાર (વર્ષની ) સ્થિતિએ નરકમાં ગયા છે. ત્યાં અઢી હજાર (વર્ષ) ગયા (વીત્યા) છે અને સાડી એક્યાશી હજાર વર્ષ ( હજી ) બાકી છે. પણ આત્માનું સમ્યગ્દર્શન-અનુભવ પ્રગટ કર્યું એનાથી તીર્થંકગોત્ર બાંધ્યું તો ભવિષ્યમાં પહેલી નરકમાંથી નીકળીને તીર્થંકર થશે. આહા... હા! પદ્મનાભ નામના તીર્થંકર ! જેવા મહાવીર ભગવાન હતા (તેવા)! એ પ્રતાપ, આત્મા-પૂર્ણાનંદના નાથના અનુભવ અને સમ્યગ્દર્શન (નો છે)!
અહીં તો વિશેષ કહે છે કેઃ દર્શન, જ્ઞાન ને ચારિત્રની રમણતા-ત્રણેયની કહે છે. મુનિ છે ને...! હું તો ત્રણેયમાં નિત્ય વર્તી છું. નિત્યમાં નિત્ય વર્તી છું. આહા... હા! આકરું કામ છે. આનું નામ મુનિપણું છે. –“ગમો જોy સવ્વ ત્રિશતવર્તી સામૂળ’ આ સાધુ... હોં! આ.
કેટલાક કહે છે : ‘નમો નોy સવ્વ ત્રિગનવર્તી સાહૂણં' એમાં જૈન સિવાયના (પણ ) બધાયને લેવા ! ( પણ એમ નથી). જૈન ૫રમેશ્વરે જે અનુભવ કર્યો એ અનુભવ જૈનશાસનમાં જ હોય છે. બીજા માર્ગમાં એ છે જ નહીં. તો ‘નમો તો! સવ્વ સાહૂણં' – (એમાં) લોકમાં બધા સાધુઓ જે છે તેમને નમસ્કાર નહીં. જૈનના સંતો જે આમ વર્તે છે-આત્મામાં નિત્યમાંઆનંદમાં નિત્ય વર્તે છે- એ જૈનના સાધુ. એ સાધુ ‘સ્રોપ્’ માં ‘લોક' માં આવે છે. સમજાણું કાંઈ ?
,
એક સ્થાનકવાસી સાધુ કહે છે કેઃ ‘નમો નો સવ્વ સાહૂણં' – (એમાં ) જૈનના બધા અને જૈન સિવાયના બધા સાધુ લેવા! (એમ નહીં. એ) બિલકુલ વાત જૂઠી છે. સમિત જ હોય નહીં તો વળી સાધુપણું ક્યાં? ૫રમેશ્વર જૈન પરમાત્માના પંથ સિવાય સાધુ અને સમકિત થતા નથી. આ પણ ધર્મ સાચો અને તે પણ ધર્મ સાચો એમ નથી.
વીતરાગ સર્વજ્ઞ પરમેશ્વર જિનેન્દ્રદેવે (જે) અનંતગુણનો પિંડ આત્મા કહ્યો એ આત્માની પ્રતીતિ, જ્ઞાન અને રમણતા-નિર્વિકલ્પદશાએ નિત્ય વર્તી છું; એમ કહેવામાં આવે છે..
(... શેષાંશ પૃ. ૨૧૬ ઉ૫૨ )
*
Please inform us of any errors on rajesh@Atma Dharma.com