________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૧૪ - પ્રવચન નવનીત: ભાગ-૨ (અધિકાર કહો એનાર્થ છે) સમજાણું કાંઈ?
જિજ્ઞાસા: બાર પ્રકારનાં તપ કહ્યાં છે ને..?
સમાધાન: એ બાર પ્રકારનાં તપ તે નિમિત્તનાં કથન છે. “સમ્યજ્ઞાનદીપિકા' માં ધર્મદાસજી ક્ષુલ્લક કહે છેઃ ભગવાન આત્મા એક, અને બાર પ્રકારનાં તપ ક્યાંથી આવ્યા ! બાવીસ પરીષહું ક્યાંથી આવ્યા? એનો અર્થ એ કે બાવીસ (પરીષહ) નિમિત્તનાં કથન છે. અંતરની વીતરાગતા એકરૂપ છે. તે ખરેખર તપ, ચારિત્ર, પરીષહ (જય), એ વીતરાગભાવ છે. એને બાર ભાવના ને બાવીસ પરીષહ (વગેરે કહ્યા) એ નિમિત્તથી કથન છે. આહા.... હા ! એ (વિશે ) ધર્મદાસજી ક્ષુલ્લક ઘણું કહ્યું છે.
ઘણાં વર્ષ પહેલાં, પ૬ વર્ષ થયાં, ૧૯૭૮ની સાલમાં, બોટાદમાં જંગલમાં એકલા જતાં ત્યાં સમ્યજ્ઞાનદીપિકા” વાંચી હતી. કીધું ભારે કીધું... આ તો એમાં ગજબ વાત છે!! વસ્તુ યથાર્થ આ જ છે! પછી પાછળથી એને ઘણું જોયું છે.
એ અહીંયાં કહે છે કેઃ “પરમાત્મામાં પ્રતપન તે તપ છે.” હવે ખુલાસો કર્યો “નિજસ્વરૂપમાં અવિચળ સ્થિતિરૂપ” નિજસ્વરૂપમાં એટલે પરમાત્મસ્વરૂપ પરમાત્મામાં અવિચળ સ્થિતિરૂપ (છે); અર્થાત્ અંદર આનંદની ઝમવટ જામી છે, અંદર અતીન્દ્રિય આનંદ (ના ઊભરા આવે છે)!
રાત્રે (એક ભાઈનો) પ્રશ્ન હતો ને ! આત્માનો નિર્ણય કરવામાં એ વિકલ્પ આવે છે. ને કે: (આત્મા) આવો છે, આવો છે! ભાઈ ! ૧૩મી ગાથા (“સમયસાર') માં કહ્યું ને... “ભૂપેન્થMIfમાવા”-નવ તત્ત્વ છે તે ભેદથી કહો તો ભૂતાર્થ છે અને સ્વભાવની અપેક્ષાએ જુઓ તો તે નવે તત્ત્વ અભૂતાર્થ છે. પછી (કળશ-૮ની ટીકામાં) એમ લીધું કે: દ્રવ્યાર્થિક અને પર્યાયાર્થિક નયનો વિચારભેદ કરતાં (એટલે કે ) “આ દ્રવ્ય” અને “આ પર્યાય' –એવા વિકલ્પથી જ્યારે નયથી વિચાર કરીએ છીએ ત્યારે, તે ભૂતાર્થ છે. પણ અનુભવ કરતાં તે નવે (તત્ત્વ) અભૂતાર્થ છે. એમ નામ, સ્થાપના, દ્રવ્ય અને ભાવ, એ નિક્ષેપના ભેદો છે. અને નિક્ષેપ છે તે “શય” નો ભેદ છે. અને “નય' છે તે “જ્ઞાન” નો ભેદ છે. “નય” વિષયી છે અને “નિક્ષેપ” વિષય છે. તો નિક્ષેપના ભેદોનો વિચાર કરતી વખતે, જે વિકલ્પ છે, તે એ અપેક્ષાએ બરાબર છે, યથાર્થ છે, એ વ્યવહાર તરીકે ભૂતાર્થ છે. પણ અનુભવકાળે અર્થાત્ નિર્વિકલ્પ અનુભવમાં તે (સઘળાય) અભૂતાર્થ છે. તેમજ પ્રમાણજ્ઞાન-મતિ, શ્રુત, અવધિ, મન:પર્યય અને કેવળ-ને પરોક્ષપ્રમાણ અને પ્રત્યક્ષપ્રમાણના ભેદ વડે વિચાર કરતી વખતે જે વિકલ્પ છે, તે ચીજ છે (ભૂતાર્થ છે). અન્યમતથી ભિન્ન (એ વાત છે). પોતાની ચીજને પ્રમાણથી અને નયથી નિશ્ચિત કરવાના કાળમાં જે વિકલ્પ છે, તો એ અપેક્ષાએ વ્યવહાર છે, છે (ખરો) એટલું. પણ સ્વરૂપની અનુભવ-દષ્ટિમાં તે અભૂતાર્થ છે. આહા... હા ! નવા નિક્ષેપ અને પ્રમાણ-એ ચારેયને ભૂતાર્થ પણ કહ્યા અને અભૂતાર્થ પણ કહ્યા. આ પ્રશ્ન છે ને..! વિકલ્પથી નિર્ણય કરે-તે વખતે તો વિકલ્પ (ભૂતાર્થ છે, અવસ્તુ નથી); પણ નિર્વિકલ્પઅનુભવમાં તેવા વિકલ્પ અભૂતાર્થ છે, એમાં છે જ નહીં, સમજાણું કાંઈ ?
અહીંયાં (તપની) વ્યાખ્યા કરીઃ “સહજ નિશ્ચયનયાત્મક પરમસ્વભાવસ્વરૂપ પરમાત્મામાં પ્રતપન તે તપ છે.” નિજસ્વરૂપમાં અવિચળ સ્થિતિરૂપ [“સહજનિશ્ચયચારિત્ર આ તપથી હોય છે.”] નિજસ્વરૂપમાં અવિચળ સ્થિતિ, અર્થાત્ (સ્વરૂપમાં) જામી જવું, રમણતા, ચારિત્રદશા,
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com