________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૨૦ – પ્રવચન નવનીત: ભાગ-૨
પ્રવચન: તા. ૨૨-૨-૧૯૭૮ [ [ એવી રીતે (શ્રીમદભગવકુંદકુંદાચાર્યદવપ્રણીત) શ્રી સમયસારમાં (૩૮૪મી ગાથા દ્વારા) કહ્યું છે કેतथा चोक्तं समयसारे
“ संसिद्धिराधसिद्धं साधियमाराधियं च एयठें।
अवगदराधो जो खलु चेदा सो होदि अवराधो।।" “[ ગાથાર્થ:- ] સંસિદ્ધિ, રાઘ, સિદ્ધ, સાધિત અને આરાધિત-એ શબ્દો એકાર્થ છે; જે આત્મા “અપગતરાધ” અર્થાત્ રાધથી રહિત છે તે આત્મા અપરાધ છે.” ]
સમયસાર' (ગાથા-૩૦૪નો આધાર આપે છે.) “સંસિદ્ધિ, રાધ, સિદ્ધ, સાધિત અને આરાધિત-એ શબ્દો એનાર્થ છે.” – આત્માના આનંદસ્વરૂપની સિદ્ધિ થવી (અર્થાત્ ) જ્ઞાયક પૂર્ણસ્વરૂપની સંમુખતા થઈને નિર્મળ પર્યાય પ્રગટ થવી તેને સંસિદ્ધિ કહે છે; તેને રાધ-સેવન કહે છે; તેને સિદ્ધ કહે છે ( અર્થાત્ ત્રિકાળી સ્વરૂપનું સેવન (એટલે કે ) જ્ઞાયકભાવ પૂર્ણસ્વરૂપ અને ગુણોનો રાશિ-ઢગલો ભગવાન એની સેવા-અંદર સ્વસંમુખની એકાગ્રતા અને અહીંયાં સિદ્ધ કર્યું છે. એ પર્યાયથી સિદ્ધ છે. સિદ્ધસ્વરૂપ છે તેનું સાધન થયું તે પર્યાયને સિદ્ધ કર્યું છે. આહા... હા! સાધિત છે, એણે સાધ્યું છે, વસ્તુસ્વરૂપનું સાધન કર્યું (છે). આરાધિત (એટલે કે) એણે ચૈતન્ય ભગવાનને આરાધ્યો (છે). (એટલે કે) નિમિત્તનો પ્રેમ છોડી, રાગનો પ્રેમ છોડી, એક સમયની પર્યાય ઉપરની દષ્ટિ છોડી, ત્રિકાળ ભગવાન પરમાનંદસ્વરૂપને સેવવોસેવવો' એ પર્યાય છે- એને અહીંયાં આરાધના કહેવામાં આવે છે. “જે આત્મા “અપગતરાધ” અર્થાત્ એવી સેવનાથી રહિત છે એ “રાધથી રહિત છે તે આત્મા અપરાધ છે.” આહા... હા! ચાહે તો શુભભાવમાં આવ્યો હોય તોય પણ તે અપરાધી છે. આહા... હા! આવી વાત છે !! જે રાધથી રહિત છે તે આત્મા અપરાધ છે.
[ [ શ્રી સમયસારની (શ્રી અમૃતચંદ્રાચાર્યદેવકૃત આત્મખ્યાતિ નામની) ટીકામાં પણ (૧૮૭માં શ્લોક દ્વારા) કહ્યું છે કેउक्तं हि समयसारव्याख्यायां च
(માલિની) “अनवरतमनंतैर्बध्यते सापराधः स्पृशति निरपराधो बंधनं नैव जातु। नियतमयमशुद्धं स्वं भजन्सापराधो
મવતિ નિરપરાધ: સાધુ શુદ્ધાત્મસેવા” “[ શ્લોકાર્થ:] સાપરાધ આત્મા નિરંતર અનંત (પુદગલપરમાણુરૂપ) કર્મોથી બંધાય છે; નિરપરાધ આત્મા બંધનને કદાપિ સ્પર્શતો નથી જ. જે સાપરાધ આત્મા છે તે તો નિયમથી પોતાને અશુદ્ધ સેવતો થકો સાપરાધ છે; નિરપરાધ આત્મા તો ભલી રીતે શુદ્ધ આત્માનો સેવનાર હોય છે.” ] ]
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com