________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
' “નિશ્ચયદષ્ટિથી દરેક જીવ પરમાત્મસ્વરૂપ ‘જ છે. જિનવર ને જીવમાં ફેર નથી. ભલે તે એકેન્દ્રિયનો જીવ હોય કે સ્વર્ગનો જીવ હોય. એ બધું તો પર્યાયમાં છે. વસ્તુ સ્વરૂપે તો પરમાત્મા 'જ છે. પર્યાય ઉપરથી જેની દષ્ટિ ખસીને સ્વરૂપ ઉપર દષ્ટિ થઈ છે એ તો પોતાને પણ પરમાત્મસ્વરૂપ દેખે છે ને દરેક જીવને પણ પરમાત્મસ્વરૂપ દેખે છે. સમ્યગ્દષ્ટિ બધા જીવોને 'જિનવર જાણે છે અને જિનવરને જીવ જાણે છે. અહા ! કેટલી વિશાળ દષ્ટિ ! અરે, આ વાત બેસે તો કલ્યાણ થઈ જાય, પણ આવી કબૂલાતને રોકનારા માન્યતા.રૂપી ગઢના પાર ન મળે ! અહીં 'તો કહે છે કે ૧૨ અંગનો સાર એ છે કે * જિનવર સમાન આત્માને દષ્ટિમાં લેવો ” કેમ કે 'આત્માનું સ્વરૂપ પરમાત્મસ્વરૂપ જ છે. ”
-શ્રી “ પરમાગમસાર” | ૨૫
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com