Book Title: Pravachana Navneet 2
Author(s): Kanjiswami
Publisher: Vitrag Sat Sahitya Trust Bhavnagar

View full book text
Previous | Next

Page 305
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates શ્રી નિયમસાર ગાથા ૮૯ – ૨૯૩ વિશદ છે અને તેનો ઉભયરૂપ છે-એક આત્મિક શુદ્ધસ્વરૂપ જ છે એ “ૐ” છે. અને એક વાણી નીકળે છે એ શબ્દાત્મક “ૐ” છે. સમજાણું કાંઈ. આહા... હા ! (“શારદાષ્ટક') જિનાદેશ જાતા. માં આવે છે: “સો સત્યારથ શારદા તાસુ, ભક્તિ ઉર આન; છંદ ભુજંગપ્રયાતમેં, અષ્ટક કહાઁ બખાન.” આહા.... હા ! બનારસીદાસે બહુ સરસ લખ્યું છે. “બનારસીવિલાસ” માં આવે છે. અહીંયાં (“મુખારવિંદથી) કહ્યું. (પણ ક્યાંય ) વિરોધ નથી ! લોકોને ખ્યાલમાં આવે એ શૈલીથી વાત કરી છે. સમજાણું કાંઈ ? બીજી વાત “પરમ જિનંદ્રના મુખારવિંદથી.” “જિન” તો ચોથે ગુણસ્થાને પણ કહેવાય છે. બારમે ગણધરેય જિન કહેવાય છે. આ તો “પરમ જિનંદ્ર' તેરમી ભૂમિકા, તેરમું સયોગી ગુણસ્થાન, એને મુખારવિંદ હોય ને..! સિદ્ધને મુખારવિંદ ક્યાં છે? પરમાત્મા જિનંદ્રદેવ, સર્વ પ્રભુ; એના મુખરૂપી કમળ-અરવિંદથી “નીકળેલાં દ્રવ્યશ્રુત”. આહા.. હા ! બીજી ભાષાએ કહીએ તો ભગવાને કેવળજ્ઞાન વર્ણવ્યું નથી, શ્રત જ વર્ણવ્યું છે. વાણીમાં શ્રુતનું જ વર્ણન છે. એની વાણી શ્રુત કહેવાય છે. સમજાણું કાંઈ? કેમકે સાંભળનારને ભાવશ્રુતનું (તે) નિમિત્ત છે એથી અહીં દ્રવ્યકૃત વાણીને કહેવાય છે. ભગવાને શ્રત દ્વારા ઉપદેશ આપ્યો, એમ “ધવલ” માં આવે છે. કેવળજ્ઞાનથી ઉપદેશ આપ્યો, એમ કહ્યું નથી. કેવળજ્ઞાન તો વસ્તુ છે. વાણીમાં તો દ્રવ્યશ્રુત આવ્યું છે. એવી વાણીમાં દ્રવ્યશ્રુતનાં નીકળેલાં આ વચનો છે; એમ સિદ્ધ કર્યું, જોયું ! અને, એની ટીકા અમે કરીએ છીએ એ પણ અમે અમારી કલ્પનાથી કરી નથી, એમ કહે છે. એ ઠેઠ ગણધરોથી એની ટીકાનો ભાવ હાલ્યો આવે છે. અમે તે મંદબુદ્ધિ કોણ છીએ? આહા.... હા ! પદ્મપ્રભમલધારિદેવ દિગંબર સંત, જેની વાણી ! કે આ ટીકા તો ગણધરદેવથી ચાલી આવે છે પરંપરા. અમે તે ટીકા કરનારા કોણ? મારે બીજું કહેવું છે કે એમાં પરંપરા એવી આવી કે “મુખારવિંદથી નીકળેલી” એમ પરંપરાથી હાલ્યું આવ્યું છે. સમજાણું કાંઈ ? આહા.... હા! શું એની ગંભીરતા! શું એની ઊંડપતા! આહા... હા ! વીતરાગવાણી, “ૐ” એવો આત્મા, તેને બતાવનારી છે. એવું દ્રવ્યકૃતમાં કહ્યું છે. એ તો કાલે કહ્યું હતું ને..! કાવેરાસન્તમ”–શું કે “પસ્સદ્દેિ નિસાસાં સર્વ—જે કોઈ આત્માને અબદ્ધસ્કૃષ્ટ દેખે, રાગ અને કર્મના સંબંધ વિનાનો છે એમ દેખે, સામાન્ય દેખે, કષાયરહિત દેખે, વિશેષરહિત દેખે, વ્યવહારરહિત નિશ્ચય (સ્વરૂપે) દેખે, એણે “પરિ નિળસીસ સર્વે - (સર્વ) જિનશાસનને જોયું. તો જિનશાસન એ ભાવ થયો ત્યાં; અને દ્રવ્યશ્રુતમાં પણ એમ કહ્યું છે. એનો-દ્રવ્યશ્રુતનો અર્થ (ટીકાકારે) ન લીધો, એટલે અપવેસન્તમ”માં અમૃતચંદ્રાચાર્ય મૂંઝાણા હતા, એમ નથી. ત્યાં એને (આના) “ભાવ” ના અર્થની જરૂર હતી એથી એને ભાવ કહ્યો (ક) દ્રવ્યશ્રુતમાં આમ કહ્યું છે. દ્રવ્યશ્રુતમાં પણ એ જ કહ્યું છે. “નો પસ્સવિ અપ્પાનું અદ્ધપૂડતું” _જે (પુરુષ) આત્માને અબદ્ધસ્પષ્ટ દેખે તે સમ્યગ્દષ્ટિજીવ સર્વ જિનશાસનને દેખે-એમ દ્રવ્યકૃતમાં કહ્યું છે અને ભાવકૃત “આ” છે. જે અંદર આત્માને અબદ્ધપૃર જાણે તે ભાવથુત છે. અને ભાવથુત છે તે શુદ્ધોપયોગ છે. અને શુદ્ધોપયોગ છે તે જૈનશાસન છે. સમજાણું કાંઈ ? આવી વાત! હવે યાદ રહેવી મુશ્કેલ. કેટલા પડખા !! આહોહો ! પછી કહેશેઃ “ચાર ધ્યાનોમાં પહેલાં (આર્ત અને રૌદ્ર) બે ધ્યાન હેય છે,” છોડવા લાયક છે. “ત્રીજું પ્રથમ તો ઉપાદેય છે.” શરૂઆતમાં (ધર્મધ્યાનમાં) આત્માનો આશ્રય છે તેથી તે ઉપાદેય Please inform us of any errors on rajesh@ AtmaDharma.com

Loading...

Page Navigation
1 ... 303 304 305 306 307 308 309 310 311 312 313 314 315 316 317 318 319 320