________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૫૬ – પ્રવચન નવનીતઃ ભાગ-૨ મોટા ગણો ને ફલાણા ગણો. અમને સમજાય એવી વાત આપો તો તમે ઠીક ને...! એ અહીંયા નથી. અહીંયાં તો આ વસ્તુસ્થિતિ જે છે (તે) છે.
હવે, અહીંયાં એ આવ્યું: “સહજ નિશ્ચયનયથી”. એ ત્રિકાળ ભગવાનઆત્મા સહજ નિશ્ચયનયથી, સ્વાભાવિક સત્યદષ્ટિથી- (૧) “સદા નિરાવરણસ્વરૂપ” (છે). દ્રવ્યસ્વરૂપ તો સદા નિરાવરણ છે. વસ્તુને આવરણ કેવું? પર્યાયમાં એટલે એક સમયની દશામાં રાગ સાથે નિમિત્ત-નૈમિત્તિક સંબંધ છે. અને કર્મ સાથે રાગને નિમિત્ત-નૈમિત્તિક સંબંધ છે. (કર્મ) એ જડ છે ને ! ભાવકર્મ-પર્યાયને જડકર્મ સાથે નિમિત્ત-નૈમિત્તિક સંબંધ છે; વસ્તુમાં તો એ કંઈ (નિમિત્ત-નૈમિત્તિક સંબંધ જ નથી).
આહા... હા! “સદા નિરાવરણસ્વરૂપ” એ એને (અજ્ઞાનીને) અંદર બેસવું કઠણ પડે! “હું તો સદા નિરાવરણસ્વરૂપ છું” એ વસ્તુ છે. પર્યાયથી (નિરાવરણ) નહીં. દ્રવ્ય છે એ સદા નિરાવરણસ્વરૂપ છે, જે સમ્યગ્દર્શનનો વિષય-દ્રવ્ય, એ સદા નિરાવરણ છે.
આહા.... હા! (૨) “શુદ્ધ જ્ઞાનરૂપ” ત્રિકાળ હોં ! નિરાવરણ એ તો નાસ્તિથી કહ્યું. પણ “આ..” એકલો જ્ઞાનનો પુંજ પ્રભુ, જ્ઞાનનો ઢગલો, ધ્રુવજ્ઞાનનો ઢગલો, જ્ઞાનનો ધ્રુવ પૂર્ણ ઢગલો-ધ્રુવની વાત છેને..! “શુદ્ધજ્ઞાનરૂપ”... હોં! જ્ઞાનસ્વરૂપ છે.
(૩) “સહજ ચિન્શક્તિમય ”- સ્વાભાવિક જ્ઞાનશક્તિમય વસ્તુ ત્રિકાળ. સહજ ચિન્શક્તિમાત્ર ભગવાન આત્મા. આહા... હા!
(૪) “સહજ દર્શનના સ્કુરણથી પરિપૂર્ણ મૂર્તિ”- આ પણ ત્રિકાળી વાત છે. સ્વાભાવિક દર્શન, તેનું ફુરણ, તેનાથી હું ત્રિકાળ પરિપૂર્ણ છું. આ પર્યાયની (વાત) નથી. જેમ પહેલાં “લીન' શબ્દ હતો તેમ અહીં “હુરણ' શબ્દ છે. એ પણ ત્રિકાળી (દ્રવ્યની જ વાત છે ). આહા... હા ! એક સમયની પર્યાયની પાછળ આખું દ્રવ્ય, ભગવાન પરમાનંદનો નાથ પડ્યો ( વિધમાન) છે! આહા... હા! પૂર્ણ.. પૂર્ણ.. પૂર્ણ.. પૂર્ણ, એક એક ગુણ પૂર્ણ, એવા અનંતગુણોનો નાથ, એ ચિલ્શક્તિમય છે. (એવો હું ) સહજ દર્શનના સ્કરણથી પરિપૂર્ણ મૂર્તિ છું! “જેની મૂર્તિ અર્થાત્ સ્વરૂપ સહજ દર્શનના સ્કુરણથી પરિપૂર્ણ” છે-ત્રિકાળી હોં!
સમ્યગ્દર્શનનું ધ્યેય ત્રિકાળી (દ્રવ્ય) છે. અને ભૂતાર્થને આશ્રયે સમ્યગ્દર્શન થાય છે. “ભયસ્થસિવો નુ સમ્મા વડું નીવો” (- “સમયસાર” ૧૧મી ગાથા). એ ભૂતાર્થ કહો, જ્ઞાયક કહો, ધ્રુવ કહો, સામાન્ય કહો, એકરૂપ કહો (એકાર્થ છે).
એ અહીંયાં “સહજ દર્શનના ફુરણથી પરિપૂર્ણ”- સ્કુરણનો અર્થ “છે' (હયાત છે). સ્વાભાવિક દર્શનના સ્કુરણથી-પરિપૂર્ણ દર્શનના ફુરણથી અર્થાત્ પ્રગટપ ધ્રુવ અંદર છે! એ પર્યાયની વાત નથી. વસ્તુ પરિપૂર્ણ છે. આહા. હા! એનો દર્શનગુણ પરિપૂર્ણ છે. પહેલાં
શુદ્ધજ્ઞાનરૂપ' કહ્યું. પછી “સહજ ચિન્શક્તિમય’ કહ્યું. “ચિન્શક્તિવાળો' ન કહ્યું, (કેમ કે) ‘ચિલ્સક્તિવાળો' (કહેતાં) તો ભેદ પડી જાય છે. (એટલે) ચિલ્શક્તિમય’ કહ્યું, આહા.... હા ! એમાં (કથનમાં) આચાર્યોના એક એક અક્ષરની કિંમત છે!
(એવા) અને (૫) સ્વરૂપમાં અવિચળ સ્થિતિરૂપ સહજ યથાખ્યાત ચારિત્રવાળાયથાખ્યાત ચારિત્ર' આ પર્યાયની વાત નથી. યથા+ખ્યાત યથાપ્રસિદ્ધ ચારિત્ર. અંદર ધ્રુવ (છે). આહા..
Please inform us of any errors on rajesh@AtmaDharma.com