________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates પ્રવચન નવનીતઃ ભાગ-૨
૫૪
જુઓ તો અંદર આત્મામાં પૂર્ણાનંદ-અખંડાનંદ ભર્યો છે. આહા.. હા. સમજાય છે કાંઈ ?
ઝીણી વાત છે, પ્રભુ! માર્ગ તો ઘણો સૂક્ષ્મ છે. આ પૈસાવાળા અબજોપતિ ને ધૂળપતિ બધા બિચારા દુ:ખી છે. ‘કળશ ટીકા’ માં શબ્દ છે- ‘વાકા ’. વાકા અર્થાત્ રાંકા-ભિખારી છે. પોતાની ચીજ ભગવાન (ભગ અર્થાત્ આનંદ ને જ્ઞાન) પૂરણ... પૂરણ... પૂરણ... પૂરણ... પૂરણ વસ્તુ છે. પ્રભુ! આનંદ અને જ્ઞાન ને શાંતિથી લબાલબ ભર્યો છે. ભગવાન કે જેમાં પોણી સોળ આના નથી એવા ભગવાનનો આશ્રય લેવો અને પર્યાયનો આશ્રય છોડવો. પણ આશ્રય છોડવાનું જ્ઞાન કોને થાય છે? કે, જેણે સ્વરૂપનો આશ્રય લીધો અને જ્ઞાન થયું, એને ‘પર્યાય હૈય છે' એવું યથાર્થ જ્ઞાન થાય છે.
,
આહા... હા! એવી સૂક્ષ્મ વાત છે. આમાં તો કાઢે એટલું નીકળે, એવું છે! આ તો પ્રભુની વાણી છે. બાપુ! એ કાંઈ સાધારણ-પામરનું કામ નથી. અંદ૨માંથી એ વાત મુનિઓસંતો કરતા હશે અને સર્વજ્ઞ પ૨માત્માના શ્રીમુખેથી દિવ્યધ્વનિ આવતી હશે, આહા... હા!
શ્રીમદ્દ રાજચંદ્રજીએ ( પત્રાંક-૧૬૬) માં કહ્યું છે કેઃ “સત્પુરુષના એકેક વાકયમાં, એકેક શબ્દમાં અનંત આગમ રહ્યાં છે.” આહા... હા! એક વાકયમાં અનંત આગમ! અસ્તિ-નાસ્તિ, પર્યાય-દ્રવ્ય, શુદ્ધ-અશુદ્ધ આદિ અનેક પ્રકા૨ એમાંથી નીકળે. હૈય-ઉપાદેય ઘણા પ્રકાર એક-એક વાકયમાંથી નીકળે !
-
અહીં શું કહેવું છે? ‘ પર્યાય જ નથી ’ (એવી માન્યતાવાળાને) તો હૈયનું અને ઉપાદેયનું જ્ઞાન પણ સાચું નથી. એ તો નિશ્ચયાભાસી છે. આહા.. હા! પર્યાય છે! વિકૃત અવસ્થા પણ છે! મિથ્યાત્વના કારણે એ રાગની અને પુણ્યની ક્રિયાને હું કરું છું, એમ માનીને તું (પોતાના ) સ્વરૂપદરિયાનું ભાન ભૂલી ગયો છો. રાગ, દયા, દાન, વ્રત, ભક્તિ આદિ શુભભાવ પર્યાયમાં છે પણ એટલો જ હું છું એવી પર્યાયબુદ્ધિથી એવું માનીને સંતોષાઈ ગયો કે, મેં દયા પાળી, વ્રત કર્યાં, એવું કર્યું.. એવું કર્યું-એમાં સંતોષાઈ ગયો (તેથી ) એ મિથ્યાદ્રષ્ટિ છે. અહીં તો એ છે એને જાણવું; પણ છે એમાં સંતોષાઈ જવું કે-એ ઠીક છે, મને શુભભાવ થયો, આટલું કર્યું.. આટલું કર્યું, બ્રહ્મચર્ય પાળ્યું, મહાવ્રત પાળ્યાં, આમ કર્યું ને તેમ કર્યું તો જે હૈય છે એનું પણ એને યથાર્થ જ્ઞાન થતું નથી.
આહા... હા ! હૈય-ઉપાદેય અને ત્યાગ-ગ્રહણ-બે એક જ છે. જુઓ! ૪૯-ગાથામાં નીચે ફૂટનોટ છેઃ– “ પ્રમાણભૂત જ્ઞાનમાં શુદ્ધાત્મદ્રવ્યનું તેમજ તેના પર્યાયોનું બન્નેનું સમ્યક્ જ્ઞાન હોવું જોઈએ. ‘પોતાને કચિત વિભાવપર્યાયો વિદ્યમાન છે' એવો સ્વીકાર જ જેના જ્ઞાનમાં ન હોય તેને શુદ્ધાત્મદ્રવ્યનું પણ સાચું જ્ઞાન હોઈ શકે નહીં. માટે ‘વ્યવહારનયના વિષયોનું પણ જ્ઞાન તો ગ્રહણ કરવા યોગ્ય છે' એવી વિવક્ષાથી જ અહીં વ્યવહારનયને ઉપાદેય કહ્યો છે. (-જાણવાની અપેક્ષાથી ), ‘તેમનો આશ્રય ગ્રહણ કરવા યોગ્ય છે' એવી વિવક્ષાથી નહીં. વ્યવહારનયના વિષયનો આશ્રય-આલંબન-વલણ-સન્મુખતા-ભાવના તો છોડવા યોગ્ય જ છે એમ સમજાવવા ૫૦મી ગાથામાં વ્યવહારનયને સ્પષ્ટપણે હેય કહેવામાં આવશે. જે જીવને અભિપ્રાયમાં શુદ્ધાત્મદ્રવ્યના આશ્રયનું ગ્રહણ અને પર્યાયોના આશ્રયનો ત્યાગ હોય, તે જ જીવને દ્રવ્યનું તેમજ પર્યાયોનું જ્ઞાન સમ્યક્ છે એમ સમજવું, અન્યને નહીં.” સમજાય છે કાંઈ ?
અહીં તો ‘હ્રય ’ પણ છે કે નહીં? −છે. એ હેય જેને હોય તેને હૈય હોય કે ન હોય તેને Please inform us of any errors on rajesh@AtmaDharma.com