________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૮૬ - પ્રવચન નવનીત: ભાગ-૨ પાડીને સ્થિરતા વધતી જાય છે; એ ક્રમે ચારિત્ર સાતમું અને પછી આગળ વધીને સ્થિરતા વિશેષ થાય છે. સમજાણું કાંઈ ?
સમયસાર” ટીકામાં આવે છે ને...! શુદ્ધિની વૃદ્ધિના ભેદ પડે છે. શુદ્ધિનો એક પ્રકાર નથી. શુદ્ધિ છઠું છે ત્યાંથી પણ વધતી જાય છે. “ક્રમે નિશ્ચય-ચારિત્ર થાય છે” રાગને ભિન્ન પાડીને સમ્યગ્દર્શન તો (પ્રગટ) કર્યું છે, પણ પછી પણ રાગની અસ્થિરતા છે ત્યાંથી ખસી સ્વરૂપમાં સ્થિર થાય છે. એ દૃઢ ચારિત્ર માટે હું આ કથન કહીશ; અને એ વિના તારી મુક્તિ નથી, બાપા!
ચારિત્ર તે મુક્તિનું કારણ છે. અને ચારિત્રનું કારણ સમ્યગ્દર્શન છે. સમ્યગ્દર્શન વિના ચારિત્ર હોય નહીં, એ અપેક્ષાએ કહ્યું છે. નહીંતર કાંઈ એક ગુણ બીજા ગુણનું કારણ છે, એવું તો નથી. સર્વે ગુણો અસહાય છે. પણ (આ તો) અપેક્ષાએ કથન છે.
(“સમયસાર) બંધ અધિકારમાં (ગાથા-ર૭૩માં) લીધું છે ને....! કેઃ દર્શન-શાન કારણ વિના ચારિત્ર ક્યાંથી હોય? મૂળ ચારિત્રનું કારણ પહેલું સમ્યગ્દર્શન છે; એ તો હજી ખબર નથી તો તારે ચારિત્ર ક્યાંથી આવી ગયું? ત્યાં આગળ ચારિત્રનું કારણ સમ્યગ્દર્શન ને જ્ઞાનને કહ્યું. અને બીજે ઠેકાણે એમ કહ્યું કે કોઈ ગુણને કોઈ (અન્ય) ગુણની સહાય નથી. આહા.. હા ! અપેક્ષાથી સમજવું જોઈએ, બાપુ ! આ તો.
પૂવોક્ત પંચરત્નોથી શોભિત”- પાંચ ગાથા, પાંચ રત્નોથી શોભિત “અર્થપરિજ્ઞાન (પદાર્થોના જ્ઞાન) વડે” - ભગવાન આનંદસ્વરૂપના જ્ઞાન વડે “પંચમ ગતિની પ્રાપ્તિના હેતુભૂત” આહા.... હા! પંચરત્નોથી શોભિત; એનું (પદાર્થનું) પરિજ્ઞાન; એના વડે પંચમગતિની પ્રાપ્તિ. - આહા હા ! બધે “પ”. “પ” આવ્યા છે. પૂર્વોક્તમાં “પ” આવ્યો. પંચરત્નોમાં “પ” આવ્યો. પરિજ્ઞાનમાં “પ” આવ્યો. પંચમગતિમાં “પ” આવ્યો. અને પ્રાપ્તિમાં “પ” આવ્યો. સમજાણું કાંઈ ?
અહીંયાં “પંચરત્નોથી શોભિત અર્થપરિજ્ઞાન (–પદાર્થોના જ્ઞાન) વડે પંચમ ગતિની પ્રાપ્તિના હેતુભૂત” એવો જીવનો અને કર્મયુગલનો ભેદ-અભ્યાસ થતાં” ભાષા એમ છે જોયું ! આગળ બીજે ઠેકાણે એવું છે: અશુદ્ધઅંત:તત્ત્વ અને કર્મ-બેયને ભિન્ન પાડવાનો અભ્યાસ. એ તો એમાં આવી ગયું. કર્મનો ભેદ પાડવાનો અભ્યાસ, અર્થાત્ કર્મના નિમિત્તથી જે પોતાની અશુદ્ધતા છે એને પણ ભેદ પાડવાનો અભ્યાસ, એમાં ભેગું આવી જાય છે. એમાં (“નિયમસાર” ટીકા) ગાથા-૧૦૬માં લખ્યું છે: “શ્રીમદ્ અર્હતના મુખારવિંદમાંથી નીકળેલાં પરમાગમના અર્થનો વિચાર કરવામાં સમર્થ એવો જે પરમ સંયમી અનાદિ બંધનરૂપ સંબંધવાળાં અશુદ્ધઅંત:તત્ત્વ અને કર્મપુદ્ગલનો ભેદ ભેદાભ્યાસના બળથી કરે છે” અહીં છે ને ! “વું મેભાર નો ધ્વ નીવમ્ભળો.” અને ત્યાં (ગાથા-૮૨માં) પણ એ છેઃ “રિસ મેદ્રભાસે.” અને ગાથા –૪૦ ની ટીકામાં આવે છે ત્યાં જરી બીજી વાત છે : “અશુદ્ધઅંત:તત્વના અને કર્મયુગલના પ્રદેશોનો પરસ્પર પ્રવેશ.” - અશુદ્ધઅંત:તત્ત્વ એટલે રાગ. અને કર્મપુદ્ગલના પ્રદેશોનો પરસ્પર પ્રવેશ-એકક્ષેત્રાવગાહ, ઝીણી વાત છે.
અહીંયાં તો “ભેદ-અભ્યાસ થતાં” કીધું ને...!” પંચમગતિની પ્રાપ્તિના હેતુભૂત એવો જીવનો અને કર્મપુદ્ગલનો ભેદ–અભ્યાસ થતાં” ... જોયું! આ અભ્યાસ છે. રાગથી અને કર્મથી ભગવાનનો ભેદ કરવાનો અભ્યાસ. (શ્રોતા ) અભ્યાસ પહેલાં હોય પછી ભેદજ્ઞાન? (ઉત્તર)
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com