________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
પ્રવચનઃ તા. ૨૧-૨-૧૯૭૮ ( ... શેષાંશ)
66
‘નિયમસાર ’ ગાથા-૮૪ કુંદકુંદ આચાર્યમહારાજની ગાથા છે. ‘પ્રતિક્રમણવાળા ’ એમ નહીં પણ ‘પ્રતિક્રમણમય ’. “ અહીં આત્માની આરાધનામાં વર્તતા જીવને જ પ્રતિક્રમણસ્વરૂપ કહેલ છે. ” –શું કહ્યું? કેઃ ભગવાન આનંદસ્વરૂપ, આનંદનો સાગર, અતીન્દ્રિય આનંદનો પ્રભુ આત્મા; એમાં જે વર્તે છે, રમે છે; એનું નામ પ્રતિક્રમણ છે. આહા... હા! સત્ય-સાચુંનિશ્ચયપ્રતિક્રમણ એને કહે છે.
( હવે ) વિશેષ ખુલાસો કરે છે: “જે ૫૨મતત્ત્વજ્ઞાની જીવ ”– પરમતત્ત્વજ્ઞાની જીવ; પરમતત્ત્વ જે ભગવાનઆત્મા એ પરમતત્ત્વજ્ઞાની જીવ; એ પરમતત્ત્વનો જ્ઞાની જીવ; ‘૫૨મતત્ત્વજ્ઞાની જીવ ' ( એટલે કેઃ ) પોતાનું પરમતત્ત્વ જે આત્મા એનો જ્ઞાની થઈને (જે) “નિરંતર અભિમુખપણે (આત્મસંમુખપણે )” -ભગવાન પૂર્ણાનંદસ્વરૂપની સંમુખ-અભિમુખ; ( ( એટલે કેઃ ) વિકલ્પથી વિરુદ્ધ-વિપરીતથી વિમુખ, રાગાદિથી વિપરીત-વિમુખ અને સ્વભાવથી સંમુખ; ૫૨મતત્ત્વજ્ઞાની અભિમુખપણે (આત્મસંમુખસ્વરૂપે ) અર્થાત્ આત્મા આનંદસ્વરૂપ શુદ્ધ વીતરાગમૂર્તિ પ્રભુ એની અભિમુખ–સંમુખ થઈને “ ‘અતૂટ (-ધારાવાહી) પરિણામસંતતિ વડે ”–અંતરમાં નિર્વિકલ્પ સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્ર (રૂપ ) જે વીતરાગીપર્યાય, એ પરિણામસંતતિ વડે ધારાવાહીપણે; ( એટલે કેઃ) શુદ્ધસ્વરૂપની દષ્ટિ અને જ્ઞાન જ્યાં નિર્મળ થયાં, તે જ્ઞાન ધારાવાહી છે; વચ્ચે રાગાદિ આવે છે તે કર્મધારા છે અને આ સ્વભાવધારા છે; (એ ) પરિણામસંતતિ વડે, એ વીતરાગીપર્યાયની નિરંતર સંતતિ વડે “સાક્ષાત્ સ્વભાવસ્થિતિમાંઆત્માની આરાધનામાં વર્તે છે” –આત્મા આનંદસ્વરૂપની સેવનામાં વર્તે છે. આહા... હા... હા! ‘રાધ’ એ શબ્દ ‘સમયસાર' માં લીધો છે. ‘ રાધ ’ અર્થાત્ ‘સેવન'. આહા... હા! કોનું ? કેઃ ભગવાન આનંદસ્વરૂપ પ્રભુ, નિર્વિકલ્પ શાંતસ્વરૂપ આત્મા; એની સેવનામાં-આરાધનામાં વર્તે છે તે નિશ્ચયપ્રતિક્રમણ છે. “ તે નિ૨૫૨ાધ છે. ” આહા... હા !
દ
અહીં તો જે ભાવથી તીર્થંકગોત્ર બંધાય તે પણ અપરાધ છે. ‘પુરુષાર્થસિદ્ધિઉપાય ’ અમૃતચંદ્ર આચાર્ય (ની રચના ). એમણે ‘સમયસાર' ની ટીકા કરી છે. જે ભાવથી તીર્થંકગોત્ર બંધાય, જે ભાવથી આહારકશરીર બંધાય એ પણ અપરાધ છે. રાગ છે ને! આહા... હા... હા ! એ અપરાધથી રહિત, નિ૨૫રાધી ભગવાનઆત્માની સેવનામાં (જે) વર્તે છે તે નિ૨૫રાધી છે. કઈ રીતે ? કેઃ એણે રાગનો ગુનો કર્યો નથી!
આહા..... હા ! આવી વાત છે, ભાઈ! ઝીણી બહુ, બાપુ! અનંતકાળમાં અનંતકાળનો અભ્યાસ બીજો અને આ અભ્યાસ બીજો.
આહા... હા ! સતત (પરિણામ ) સંતતિ વડે સાક્ષાત્ સ્વભાવસ્થિતિમાં-આત્માની [ –શુદ્ધ ચિનની ] આરાધનામાં વર્તે છે તે પુરુષ નિરપરાધી છે. છ વ્યવહા૨ આવશ્યક કરે એ પણ રાગ છે, અપરાધ છે. આહા... હા! ગજબ વાત છે. શુભભાવ આવે એ પણ અપરાધ છે કેમકે એ આત્માનો સ્વભાવ નથી.
અરે! મનુષ્યપણું મળ્યું ને એમાં સત્ય વસ્તુ સાંભળવા ન મળે તો એ સત્ય વસ્તુનું સેવન-શ્રદ્ધા-જ્ઞાન ક્યારે કરે? એમ ને એમ જગત બહારની હૂંફમાં ચાલ્યું જાય છે! અંદર ભગવાનની હૂંફ લીધી નથી.
Please inform us of any errors on rajesh@Atma Dharma.com