________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
શ્રી નિયમસાર શ્લોક ૧૧૨ - ૨૨૭ આહા... હા... હા !
જૂના માણસે બધું જૂનું સાંભળ્યું હોય એમાં આ એવું લાગે કે-પણ આ તે શું કહે છે? બાપુ! માર્ગ તો આ છે, ભાઈ ! તું ભગવાન સ્વરૂપે છે ને..! એ ભગવાનસ્વરૂપની સેવા કરવી તે મુક્તિનો માર્ગ છે. માટે જેટલું લક્ષ પરદ્રવ્ય ઉપર જાય-દયાનું, દાનનું ને ભક્તિનું-એ બધો અપરાધ છે. આહા... હા! આવો માર્ગ !!
“ર્મસંન્યાવક્ષ:”– કર્મના ત્યાગમાં નિપુણ છે, એ તો ડાહ્યો છે. રાગના અભાવસ્વભાવ કરવામાં એ ડાહ્યો છે, દક્ષ છે, નિપુણ છે. રાગના અભાવસ્વભાવ કરવામાં એ વિચક્ષણ છે અને સ્વભાવની વિચક્ષણતા પ્રગટ કરવામાં એ નિપુણ છે. દુનિયા ગણે ન ગણે. દુનિયામાં ગણાવું એ આ માર્ગ નથી. આ તો એને પોતાની ગણતરીમાં આત્મા ગણાવાની વાત છે.
અહીં પરમાત્મા કહે છે એ દિગંબર સંતો કહે છે એ કેવળી પરમાત્મા કહે છે. (શ્રોતા ) આપ કહો છો ? (ઉત્તર:) એ સંતો કહે છે એ કહીએ છીએ અને અંદર બેઠેલું છે એ કહીએ છીએ. આહા... હા! (શ્રોતા:) શબ્દ ફેર હોય, ભાવ ફેર નથી. (ઉત્તર) ત્યારે લોકોને (મનએ) એકાંત થઈ જાય છે ને...! એને સમજાવો... સમજાવો, એમનું એકાંત થઈ ગયું છે! એમ લખે છે બધા બિચારા. તમે સમકિતી છો, સમકિતી છો તમે, તમારે વાત્સલ્ય જોઈએ ! તો એને સ્થિર કરો, એવું કહે છે બિચારા. શું કરે પણ એ ?
(અહીંયાં કહે છેઃ ) “તે જીવ નિરપરાધ છે.” –રાગના ત્યાગમાં નિપુણ છે તે નિરપરાધ છે. લ્યો! રાગને કરવામાં જે નિપુણ છે તે સાપરાધી-મિથ્યાદષ્ટિ છે. સમજાણું કાંઈ ? “રાગ કરવા લાયક છે' એવી દષ્ટિ, અને રાગ કરવામાં જે નિપુણ છે તે ગુનેગાર, મિથ્યાદષ્ટિ, સાપરાધી છે.
અરે! પરમાત્માના વિરહ પડ્યા, ત્રણલોકના નાથ રહ્યા નહીં, કેવળજ્ઞાનાદિ પૂર્ણદશા પ્રગટે એવી લાયકાત રહી નહીં, અને આ બધા ઝઘડા ઊભા થયા. બાપુ! માર્ગ તો આ છે, ભાઈ !
આહા... હા ! (અહીંયાં) એક જ શ્લોક ગજબ કરે છે ને..! આહા... હા! એક એક ગાથા અને એક એક પદ, (અતિ ગહન છે ). ભાઈ ! આ તો નિરપરાધી અને સાપરાધીની વ્યાખ્યા છે. નિરપરાધી તો એને કહીએ કે: (જે) રાગના ભાવનો પણ અભાવ કરીને સ્વભાવની સેવા કરે, નિર્વિકલ્પ આનંદની દશા પ્રગટ કરે, સુખરૂપ દશા પ્રગટ કરે. (તો) તે સુખને, આત્માને (સેવ્યો કહેવાય છે. તે નિરપરાધી છે. આહા... હા! અને આનંદથી વિપરીત શુભભાવ, એ દુઃખભાવ છે; એ દુઃખને સેવે છે તે સાપરાધી પ્રાણી છે. આહા. હા! ભગવાન આત્મા આનંદસ્વરૂપ (છે) એનાથી (વિપરીત) શુભરાગ છે (તેથી) દયા, દાન, વ્રતનો (ભાવ) એ પણ ગુનો છે, અપરાધ છે, દુઃખ છે. (એ) દુઃખને સેવે છે તે અપરાધી જીવ ભવાર્ત (છે) –ભવમાં રખડશે. સમજાણું કાંઈ ?
અહીં તો હજી બહારની સામગ્રી-શરીર ને પૈસા ને આ બાયડી ને છોકરા ને મકાન-એ (મારાં છે એમ) માને છે અને અમે આવા છીએ, જુઓ ! આવા વધ્યા.
અહીં તો કહે છે કે ત્રણલોકના નાથનું સ્મરણ કરવું એ પણ અપરાધ છે. પાઠમાં છે ને....! બીજી લીટીમાંઃ “સાપરાધ: મૃત: સ:”—આહા... હા ! સંતોના આ માર્ગ છે. દિગંબરધર્મ આ
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com