Book Title: Pravachana Navneet 2
Author(s): Kanjiswami
Publisher: Vitrag Sat Sahitya Trust Bhavnagar

View full book text
Previous | Next

Page 276
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates પ્રવચનતા. ૨૬-૨-૧૯૭૮ નિયમસાર” ૮૭મી ગાથા. “પરમાર્થ-પ્રતિક્રમણ અધિકાર” છે ને...! “અહીં નિઃશલ્યભાવે પરિણત મહોતપોધનને જ નિશ્ચયપ્રતિક્રમણસ્વરૂપ કહેલ છે.” -શું કહ્યું? “તત્ત્વાર્થસૂત્ર' માં આવે છે ને...! “નિ:શન્યો વ્રતી.” નિઃશલ્ય અર્થાત માયા શલ્ય, નિદાન શલ્ય અને મિથ્યાત્વ શલ્ય. (એ) ત્રણ મહાદોષ છે. એને-ત્રણ શલ્યને છોડીને, નિશ્ચય નિઃશલ્યભાવે પરિણત. એટલે કે શલ્યરહિત, અંદર આનંદ અને જ્ઞાનની પરિણતિથી પરિણત. પરિણત અર્થાત્ અવસ્થામાં તે-રૂપે પરિણમન થયું. એવા મહાતપોધન-મહાસંતતપોધનને જ નિશ્ચયપ્રતિક્રમણ હોય છે. છે ને...! નિશ્ચયપ્રતિક્રમણસ્વરૂપ કહેલ છે.” પ્રથમ તો,” –મુખ્ય વાત એ છે કે “નિશ્ચયથી નિઃશલ્યસ્વરૂપ પરમાત્મા” આ આત્મા જ છે એ નિઃશલ્ય, ત્રિકાળ નિઃશલ્ય જ છે. ભગવાન આત્માનું સ્વરૂપ પરમાત્મા; એનું સ્વરૂપ નિઃશલ્યભાવે જ છે. આત્મા નિઃશલ્યભાવે છે તો પર્યાયમાં નિઃશલ્યભાવ પરિણત થાય છે. પહેલી વાત કરીઃ નિઃશલ્યસ્વરૂપ પરમાત્મા! આહા... હા! અહીં ભગવાન અરિહંતની વાત નથી. અહીંયાં ત્રિકાળ ભગવાન નિઃશલ્યરૂપે પરમાત્માસ્વરૂપ; એ એનું (–આ આત્માનું) સ્વરૂપ છે, પ્રથમ સમ્યગ્દર્શનના વિષયમાં “એ ત્રણ શલ્યરહિત પરમાત્મા છે.” એ સમ્યગ્દર્શનનો વિષય છે. “નિઃશલ્ય પરમાત્માસ્વરૂપ” એ સમ્યગ્દર્શનપ્રાપ્તિનો વિષય છે. સમ્યગ્દર્શનનો વિષયધ્યેય-નિઃશલ્ય પરમાત્માસ્વરૂપ, ધ્રુવ છે. સમકિતનો વિષય નિમિત્ત નહીં, રાગ નહીં અને શુદ્ધપર્યાય પણ નહીં. એ (આત્મા) તો નિઃશલ્યસ્વરૂપ જ છે. જો નિ:શલ્યસ્વરૂપ છે તો પર્યાયમાં નિઃશલ્યસ્વરૂપે થાય છે. સમજાય છે કાંઈ? આવી વાતો છે !! જિજ્ઞાસા: પર્યાયમાં શલ્યભાવ નથી ? સમાધાનઃ એ પર્યાયમાં શલ્ય છે, વસ્તુમાં નથી. વસ્તુ દ્રવ્યસ્વભાવ જે દ્રવ્ય; એનો તો નિઃશલ્યરૂપે જ પરિણમનસ્વભાવ છે. એવા નિઃશલ્યસ્વરૂપ “પરમાત્માને, વ્યવહારનયના બળે ” એ તો પર્યાયનોવ્યવહારનયનો વિષય છે એ કારણે “કર્માંકથી યુક્તપણું હોવાને લીધે ”_પંક અર્થાત્ મેલ૫કાદવ કર્મ છે એની સાથે યુક્તપણું; એ યુક્તપણું વ્યવહારનયથી છે. નિશ્ચયનયમાં તો કર્મ સાથે યુક્તપણું છે જ નહીં. આહા... હા! આવી આવી (વાતું!) પહેલાં નિઃશલ્યપણે પરિણમે એ પ્રતિક્રમણ છે, એમ કહેવું છે. તે પહેલાં નિઃશલ્ય પરમાત્મા જ છે, એમ બતાવ્યું છે. સ્વરૂપ જે ધ્રુવ નિત્યાનંદ પ્રભુ ! એમાં તો નથી માયા, નથી નિદાન. નિદાન એટલે કે આ પુણ્ય કરું અને પછી કંઈ સ્વર્ગ મળે કે ચક્રવર્તીપદ મળે, એવું (નિદાન); સ્વરૂપમાં તો છે જ નહીં. તેમ મિથ્યાશલ્ય જે માન્યતા-રાગથી ધર્મ થાય, પુણ્યથી ધર્મ થાય-એવું જે મિથ્યાશલ્ય; એ સ્વરૂપમાં તો છે જ નહીં. આહા.... હા! એવું જે નિશ્ચયથી નિઃશલ્ય પરમાત્મસ્વરૂપ એ વ્યવહારથી કર્માંકથી મલિનતા સહિત દેખાય છે. એવું હોવાને લીધે “વ્યવહારનયે કર્મરૂપી કાદવ સાથે સંબંધ હોવાને લીધે તેને નિદાન, માયા અને મિથ્યાત્વરૂપી ત્રણ શલ્યો વર્તે છે.” –આહા. હાવસ્તુ સ્વરૂપ નિઃશલ્ય પરમાત્મા હોવા છતાં પણ (એ) પર્યાયમાં ત્રણ શલ્યપણે વર્તે છે. આહા.... હા! સમજાણું કાંઈ ? Please inform us of any errors on rajesh@ AtmaDharma.com

Loading...

Page Navigation
1 ... 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290 291 292 293 294 295 296 297 298 299 300 301 302 303 304 305 306 307 308 309 310 311 312 313 314 315 316 317 318 319 320