________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
શ્રી નિયમસાર ગાથા ૮૨ - ૧૯૩ કરવામાં આવે છે, પ્રાય: દઢતાથી જ્ઞાનમાં રમણતા કરવામાં આવે છે તેને પ્રતિક્રમણ કહેવામાં આવે છે. આ પ્રતિક્રમણની વ્યાખ્યા ! સમજાણું કાઈ ?
ભગવાન અંદર આનંદનું દળ પડયું છે અતીન્દ્રિય-અભેદ. પ્રથમ એ અભેદની દૃષ્ટિ કરીને આનંદનો અનુભવ કરવો-ત્યારે તો તેણે પદાર્થનું પરિજ્ઞાન કર્યું. એટલે કે જેવો પદાર્થ છે તેવું તેણે જ્ઞાન કર્યું અને પછી જ્યારે ચારિત્ર લેવું છે ત્યારે બાકી જે રાગ રહ્યો છે, હજી ભિન્ન પડયું છે પણ રાગ-અસ્થિરતાથી જુદો પડયો નથી એટલે સ્થિર થયો નથી. અર્થાત્ (અભિપ્રાયમાં) અસ્થિરતાથી જુદો પડી ગયો છે કે “હું આ અસ્થિરતા નહીં” પણ હજી સ્થિરતા જામી નથી અને અસ્થિરતાથી છૂટયો નથી. એણે રાગના-વ્રતાદિના વિકલ્પો છે તે દોષ છે. એ ભાવ ભૂતકાળમાં ય કર્યો હતો તે દોષ છે. તેના ત્યાગના અર્થે “જે પ્રાયશ્ચિત કરવામાં આવે છે તે પ્રતિક્રમણ છે.” આહા.... હા ! આવી વ્યાખ્યા !!
(એક બાજુ એમ) કહે કે એક પર્યાય બીજી પર્યાયને અડે નહીં! આમ છરી છે એ શાક ઉપર આમ પડે છે તો છરી શાકને અડી જ નથી. –આ તે કોણ માને? આ ગજબ વાત છે! આ તો વીતરાગ સર્વજ્ઞ પરમાત્માના કહેલા પદાર્થની આ (વસ્તુ) સ્થિતિ-મર્યાદા છે. આમ શાક મોળે છે ને...! તો છરી શાકને અડી નથી ને (શાકના) કટકા થાય છે. (શ્રોતા ) છરી નિમિત્તમાત્ર છે? (ઉત્તર) નિમિત્ત એટલે કંઈ નહીં એમ એનો અર્થ છે. આ લોકો બહારના ચમત્કારની વાતો કરે છે; પણ પ્રભુ તો કહે છે કે દરેક દ્રવ્યનો (પોતાનો જ) ચમત્કાર (છે જેની) પ્રભુ! તને ખબર પડતી નથી. જમીન પર હાલતાં આ પગ મૂકે છે, એ પગ જમીનને અડ્યો નથી; પણ બાપુ! આ ચમત્કારની તને ખબર પડતી નથી. આ પગનાં દરેક પરમાણુ-રજકણમાં પોતપોતાના પારકથી પર્યાયમાં ક્રિયાઓ થાય છે. એ ક્રિયામાં- પર્યાયમાં આધાર છે પર્યાયનો. એ પર્યાયનો આધાર નીચે જમીન છે એમ નથી. આ તે કોણ માને ? આહાહા! આવી વાત! સજાયો છે એ અહીં (વાળને) અડ્યો ય નથી અને વાળ છૂટા પડે છે. એ વાળમાં જ પર્યાયના પકારકની પરિણતિ છે એને કારણે એ વાળ ત્યાંથી ખસીને આમ જુદો પડે છે. આહા... હા! આવું કોણ માને ? સાંભળવા ય મળ્યું નથી. આ ટોપી છે એ આ માથાના આધારે રહી છે એમ નથી. ચશ્માં કાનને આધારે રહ્યાં નથી. ચશ્માંનો એક એક રજકણ બીજા રજકણને આધારે રહ્યો નથી. આવી વાતું, બાપા! પ્રભુનો માર્ગ! એ વીરનો માર્ગ છે શૂરાનો. એ કાયરનાં કામ ત્યાં નથી. આહા. હા! આ ચમત્કાર નથી? પરમાણુ એ પરમાણું સ્વયં સ્વના આધારે છે, પરના આધારે નથી; કેમકે પોતામાં પોતાનો આધાર નામનો ગુણ છે. એ આધાર દ્રવ્ય, ગુણ, પર્યાયમાં વ્યાપી રહ્યો છે. એ પરને આધારે છે જ નહીં. આ ચોપડી છે એ આના (ઠવણીના) આધારે રહી જ નથી. આ (હકીકત) કોઈ દી' સાંભળવા ય ન મળે. આહા.. હા! (લોકો) આ કારખાનાં બધાં ચલાવે છે ને? અરે બાપુ! શું કહીએ! પ્રભુ કહે છે : એ કારખાનાંના રજકણોને આંગળીનો રજકણ અડતો ય નથી. અને આંગળીના રજકણને આત્મા અડતો નથી. (શ્રોતા ) કારખાનાં તો વીજળીથી ચાલે છે! (ઉત્તર) વીજળીથી ય ચાલતાં નથી. વીજળીના રજકણ જુદાં ને કારખાનાના પરમાણુ જુદા. એક વીજળીનો પરમાણુ એ કારખાનાંને અડ્યો જ નથી. અરે! માર્ગ તો માર્ગ પ્રભુનો !! કાપડનો સંચો ચાલતો હોય ને દોરો તૂટી જાય તો ગાંઠ બાંધે... (પણ) એને, એ પદાર્થ (-હાથ ) અડ્યો ય નથી અને એ ગાંઠ વળી છે. એને શું કહેવું હવે આ? એવું આ છે, બાપુ !
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com