Book Title: Pravachana Navneet 2
Author(s): Kanjiswami
Publisher: Vitrag Sat Sahitya Trust Bhavnagar

View full book text
Previous | Next

Page 283
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates શ્રી નિયમસાર શ્લોક ૧૧૬–૧૧૭ - ૨૭૧ આહા... હા! વાતું બહુ આકરી. કઠણ તો ખરી ને..! અશક્ય નથી, કઠણ (છે.) ઘણો પુરુષાર્થ માગે છે. સત્ય પ્રતિક્રમણ માટે ઘણો પુરુષાર્થ માગે છે. રાગના કણથી પણ હુઠી અને નિઃશલ્ય પરમાત્મસ્વરૂપમાં ઠરવું એ કાંઈ ઓછી પુરુષાર્થદશા છે? એ અંદરની અધ્યાત્મદશા, એ વ્યવહાર થયો. પરમાર્થવચનિકા” માં આવે છે ને..! અજ્ઞાનીને અધ્યાત્મના વ્યવહારની પણ ખબર નથી. આહા... હા! અધ્યાત્મનો વ્યવહાર એ કે ત્રિકાળ વસ્તુ છે એ નિશ્ચય, અને તેના આશ્રયે થયેલી વીતરાગી-નિર્મળદશા એ અધ્યાત્મનો વ્યવહાર છે એટલે કે આત્માનો એ આત્મવ્યવહાર છે. રાગાદિ એ તો મનુષ્યવ્યવહાર, લૌકિક વ્યવહાર, સંસારવ્યવહાર છે. એ (પ્રવચનસાર”) ગાથા-૯૪માં કહ્યું છે. એ અહીં કહે છે. (અહીંયાં) કેટલાં વિશેષણો વાપર્યા છે-જુઓ ને..! નિઃશલ્ય પરમાત્મામાં સ્થિત રહી, શુદ્ધ ચૈતન્યધન ભગવાન એમાં સ્થિત રહી, વિદ્વાને એટલે ધર્મીએ, જ્ઞાનીએ સદા-ચોવીસે કલાક (એ શુદ્ધ આત્માને ભાવવો). જેણે (શલ્ય) છોડયું છે, એ (શલ્ય) ચોવીસે કલાક અંદર છોડેલું જ પડ્યું છે ! (સંપ્રદાયમાં લોકો) સાંજ-સવાર પડિકમણ કરે એમાં ક્યાં કંઈ છોડયું હોય છે). એ તો એક શુભભાવ છે, એ બંધનું કારણ છે; માને કે “મેં ધર્મ કર્યો' (તો તે મિથ્યાશલ્ય છે). “ફુટપણે ભાવવો” – “ભાવવો' એટલે પર્યાય થઈ, પ્રગટ પર્યાયપણે (ભાવવો). શક્તિરૂપે તો ભગવાન પૂર્ણાનંદ નિઃશલ્ય છે જ; પણ પર્યાયમાં નિઃશલ્યપણે ભાવવો, પરિણમાવવું, પરિણમવું, એનું નામ યથાર્થ પ્રતિક્રમણ છે. એને પ્રતિક્રમણ છે જ. આહા... ! ૧૧૬ શ્લોક થયો. | (પૃથ્વી). कषायकलिरंजितं त्यजतु चित्तमुच्चैर्भवान् भवभ्रमणकारणं स्मरशराग्निदग्धं मुहुः। स्वभावनियतं सुखं विधिवशादनासादितं भज त्वमलिनं यते प्रबलसंसतेीतितः।। ११७ ।। [ શ્લોકાર્થ –] હે યતિ! જે (ચિત્ત) ભવભ્રમણનું કારણ અને વારંવાર કામબાણના અગ્નિથી દગ્ધ છે-એવા કષાયકલેશથી રંગાયેલા ચિત્તને તું અત્યંત છોડ; જે વિધિવશાત્ (-કર્મવશપણાને લીધે) અપ્રાપ્ય છે એવા નિર્મળ સ્વભાવનિયત સુખને તું પ્રબળ સંસારની ભીતિથી ડરીને ભજ. ૧૧૭.. આહા... હા! ઉત્કૃષ્ટ વાત છે ને...! આ તો મુનિની વાત છે. “હે યતિ!” ઓલા (અન્યમાં) જતિ થાય છે તે નહીં હોં! સ્વરૂપની યત્ના કરનારો, જતન કરનારો, વસ્તુ જેવી છે તેવી તેને દષ્ટિ-જ્ઞાનમાં રાખનારો, તેને અહીંયાં યતિ કહેવામાં આવે છે. આહા... હા! હે યતિ! “જે ચિત્ત” એટલે અજ્ઞાનભાવ-મિથ્યાત્વભાવ “ભવભ્રમણનું કારણ છે.” –જે (ચિત્ત) ભવભ્રમણનું કારણ છે, રાગવાળું ચિત્ત એ ભવભ્રમણનું કારણ છે. ચાહે તો શુભરાગવાળું ચિત્ત હો તોપણ તે સંસાર છે. અને તેથી તેને અણઆવશ્યક કહ્યો છે. શુભમાં રહેલો પ્રાણી પણ અણઆવશ્યક (અર્થાત્ ) આવશ્યકમાં નથી. અવશ્ય જે કરવા લાયક છે તેમાં તે નથી. હું યતિ! જે ચિત્ત ભવભ્રમણનું કારણ છે “અને વારંવાર કામબાણના અગ્નિથી દગ્ધ Please inform us of any errors on rajesh@ AtmaDharma.com

Loading...

Page Navigation
1 ... 281 282 283 284 285 286 287 288 289 290 291 292 293 294 295 296 297 298 299 300 301 302 303 304 305 306 307 308 309 310 311 312 313 314 315 316 317 318 319 320