________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૧૪૪ – પ્રવચન નવનીત: ભાગ-૨ વેદ, કષાય, જ્ઞાનના ભેદ, દર્શનના ભેદ, ભવ્ય-અભવ્યનો ભેદ, (ઇત્યાદિક માર્ગણાસ્થાનોના ચૌદ ભેદ) એ મારામાં નથી. પર્યાયદષ્ટિથી એમાં (પર્યાયમાં) છે. પણ દ્રવ્યદૃષ્ટિના જોરમાં (સઘળાય ભેદ) મારી ચીજમાં જ નથી. હું તો અમેદવસ્તુ છું. (શું કહે છે?) જુઓઃ એ ગતિ (–દેવ, મનુષ્ય, તિર્યંચ અને નારકી) નાં સ્થાન મારામાં નથી. એ ઇન્દ્રિય (-દ્રવ્યેન્દ્રિય અને ભાવેન્દ્રિય) મારામાં નથી. એ કાય (-ત્રસ અને સ્થાવર) મારામાં નથી. એ યોગ (સ્થાન-પંદર ભેદ) મારામાં નથી. (એમ તો યોગ બારમા ગુણસ્થાનના અંત સુધી હોય છે છતાંય) એ મારી ચીજમાં નથી. એ વેદ (–સ્ત્રીવેદ, પુરુષવેદ, અને નપુંસકવેદ) મારામાં નથી. એ કષાય (ના સ્થાનઅનંતાનુબંધી ચાર, અપ્રત્યાખ્યાનાવરણ ચાર, પ્રત્યાખ્યાનાવરણ ચાર, અને સંજ્વલન ચાર) મારામાં નથી. એ જ્ઞાન (ના આઠ ભદ-મંતિ, શ્રુતિ, અવધિ, મન:પર્યય અને કેવળ તથા કુમતિ, કશ્રતિ. અને કુઅવધિ) મારામાં નથી. આહા.. હા ! એ આઠ ય ભેદ મારી ચીજમાં નથી, અને એવા ભેદ મારા પરિણમનમાં પણ નથી. એમ કહે છે કે, એટલું અભેદ પરિણમન થયું છે! આહા. હા! એનું નામ પરમાર્થ-પ્રતિક્રમણ છે. (શ્રોતા) જ્ઞાનના એ ભેદ નથી તો પરિણમનમાં શું છે? (ઉત્તર) અભેદ (પરિણમન) છે. અંતરમાં એકાગ્રતા છે. જે જ્ઞાનગુણ છે તેમાં એકાગ્રતા છે. પર્યાયનું લક્ષ નથી. કેમકે ભેદનું લક્ષ કરવાથી તો વિકલ્પ ઊઠે છે. તો કહે છે કે એ પાંચ જ્ઞાન અને ત્રણ અજ્ઞાન એ આઠય ભેદ મારામાં નથી. (હુવે કહે છે કે :) એ સંયમ (એના સાત ભેદ પણ ) મારામાં નથી. એ દર્શન (-ચક્ષુદર્શન, અચક્ષુદર્શન, અવધિદર્શન અને કેવળદર્શન –અહીં દર્શન એટલે સમકિત નહીં. એ ચાર ભેદ, અર્થાત્ એ દર્શનમાર્ગણાના ભેદ છે. “માર્ગણા” એટલે શોધવું કે “હું કઈ પર્યાયમાં છું” એવી માર્ગણા) પણ મારામાં નથી. સમજાણું કાંઈ? માર્ગ તો એવો છે, પ્રભુ! આહા. હા ! એ વેશ્યા (એના છ ભેદ) મારામાં નથી. ભવ્યત્વ ( એના ભવ્યત્વ અને અભવ્યત્વ એવા બંને ભેદ) મારામાં નથી. હું તો જીવાસ્તિકાય ધ્રુવ... ધ્રુવ.. ભગવાન! એના આશ્રયે મારું જે અભેદ પરિણમન થયું એમાં ભવ્ય-અભવ્યના ભેદ છે જ નહીં.
પ્રશ્ન: “જૈનસિદ્ધાંતપ્રવેશિકા ” માં ભવ્યત્વને અનુજીવી ગુણમાં લીધો છે ને...!
સમાધાન: ખબર છે! (ત્યાં અર્થ બીજો છે!) સિદ્ધમાં ભવ્યત્વ નથી. (માટે ભવ્યત્વ છે તે ગુણ નથી પણ) યોગ્યતા છે, તે ત્યાં પૂરી થઈ ગઈ. જો ભવ્યત્વને ગુણ ગણો તો જેમ દર્શન-જ્ઞાન છે તેમ તે (ભવ્યત્વ) પણ ત્યાં રહેવો જોઈએ; પણ તે “સિદ્ધમાં નથી' તો તો પછી એમ કેમ ચાલે? માટે (ખરેખર) ભવ્યત્વ એ ગુણ નથી. પણ ભવ્યત્વ અને અભવ્યત્વ એ પર્યાયની (યોગ્યતાના) ભેદ છે. (સિદ્ધદશા પ્રાપ્તિની) પર્યાયની યોગ્યતાને ભવ્ય તથા અયોગ્યતાને અભવ્ય કહે છે. [ આ કથનનું તાત્પર્ય એ છે કેઃ ભવ્યત્વ અને અભવ્યત્વ-બેમાંથી એક પ્રકારે, દ્રવ્યના પરિણમનની તેવી સ્થિતિ ત્રિકાળ રહેવી એવી જ પર્યાયની કોઈ અહેતુક પારિણામિક યોગ્યતા છે.)
વળી, અમૃતચંદ્ર આચાર્યનું “તત્ત્વાર્થસાર' છે. અહીંયાં વ્યાખ્યાનમાં આખું વંચાઈ ગયું છે. [ ત્યાં ગાથા-૯૦માં એ કહ્યું છે કેઃ “ભવ્ય અને અભવ્યના ભેદથી જીવ બે પ્રકારના છે. જે સિદ્ધપર્યાયને પ્રાપ્ત કરવાને યોગ્ય છે તે ભવ્ય કહેવાય છે અને એનાથી વિપરીત છે તે અભવ્ય કહેવાય છે.” ] એમ એ વ્યવહારથી કહેવામાં આવે છે (કેમકે નિશ્ચયથી જીવ બે પ્રકારના ન હોય!) ત્યાં “તત્ત્વાર્થસાર” માં નીચે નોંધ કરી છે (એટલે કે ફૂટનોટ આપી છે) કેઃ એ ભવ્યઅભવ્ય તો પર્યાયની અપેક્ષાએ વાત છે. ગુણ અપેક્ષાએ વાત હોય તો, ભવ્યત્વગુણ દ્રવ્યમાં નથી. જેમ
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com