________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
મંગલમ્ ”—
બનાવ્યા છે.
શ્રી નિયમસાર ગાથા ૮૨ - ૧૮૫
વિકલ્પ; એ આશ્રય કરવા લાયક નથી.
ગાથામાં કહ્યું ને...! “ પવવવામિ” બધું કહીશ. ‘ આદિ’ શબ્દ છે ને (પ્રતિક્રમણાદિ ).
*
આહા..... હા ! પોતે ( કુંદકુંદાચાર્ય) કહે છે કેઃ મેં તો મારી ભાવના માટે આ (‘નિયમસાર ’ નામનું શાસ્ત્ર) બનાવ્યું છે. કુંદકુંદ આચાર્ય જે ત્રીજે નંબરે: “મંગલં ભાવાત્ वीरो, मंगलं गौतमो गणी, मंगलं कुंदकुंदार्यो' જૈનશાસનમાં આવ્યા છે. “ નૈનધર્મોસ્તુ ચોથું પદ. આહા... હા! એ આચાર્ય કહે છેઃ મેં તો મારી ભાવના માટે આ શ્લોક
હું પ્રતિક્રમણ, પ્રત્યાખ્યાન, આલોચના, ભક્તિ એ
66
અહીંયાં કહે છે: “ તેને (નિશ્ચયચારિત્રને ) વૃઢ કરવા નિમિત્તે હું પ્રતિક્રમણાદિ કહીશ.” આહા... હા ! વીતરાગભાવની જે ચારિત્રદશા, એની દૃઢતા માટે હું આ (પ્રતિક્રમણાદિ) કહીશ.
એની ટીકાઃ “અહીં, ભેદવિજ્ઞાન દ્વારા, ક્રમે નિશ્ચય-ચારિત્ર થાય છે એમ કહ્યું છે.” જોયું! પહેલું રાગથી ભિન્ન કરીને, (આત્મા સાથેની ) એકત્વબુદ્ધિમાં સમ્યગ્દર્શન થાય. પછી અસ્થિરતાથી ભિન્ન કરીને સ્થિરતા થાય. અને રાગથી ભિન્ન કરીને વિશેષ-વિશેષ જેમ સ્થિરતા
થાય, એ ચારિત્રની દૃઢતા હેતુ આ (પ્રતિક્રમણાદિ ) કહીશ. એમ કહે છે. મુનિને પણ શુદ્ધતા વધતી જાય છે ને...! છઠ્ઠ-સાતમે, છઠ્ઠ-સાતમે રહે છે, પણ શુદ્ધિ એટલી ને એટલી રહે છે એમ નથી. સ્વરૂપની ૨મણતા વધતી જાય છે, એમ કહે છે. એ રમણતાને દૃઢ કરવા (નિમિત્તે) હું આ અધિકાર કહીશ.
‘પદ્મનંદિપંચવિંશશિત ' ‘ બ્રહ્મચર્યાષ્ટક' માં પદ્મનંદિ આચાર્યે કહ્યું ને...! બ્રહ્મ અર્થાત્ આત્મા, એના આનંદમાં રમવું (એ બ્રહ્મચર્ય). એ બ્રહ્મચર્યની વ્યાખ્યા કરતાં કરતાં રાગનો નવ નવા કોટિએ ત્યાગ-વિષય (મનવચનકાયથી ) સેવવો નહીં, સેવરાવવો નહીં, સેવનારને રૂડું જાણવું નહીં. અંદર આનંદસ્વરૂપમાં એટલે બ્રહ્મમાં ૨મવું, એને બ્રહ્મચર્ય કહીએ. ( આ અધિકારમાં) ખૂબ નવ ગાથાઓ લખી! મુનિરાજ પદ્મનંદિ... મહાઆચાર્ય... આહા... હા ! જુઓ તો! જંગલમાં સિદ્ધ સાથે વાતો કરી છે!! સિદ્ધ એટલે આત્મા હોં! એ નવમી ગાથામાં કહે છે કે: હૈ ભાઈઓ ! હું યુવાનો! તમને રાગના રસમાં, સ્ત્રીના વિષયમાં રસ પડતો હોય, જુવાની (હોય ), શ૨ી૨ રૂપાળાં હોય, સાધન કંઈ પાંચપચીસ લાખ... બંગલા... આ પંખાદિ સાધન મળ્યાં હોય; એમાં તમને એમ કહું કે આ... આ... નહીં! બ્રહ્મચર્ય તો આને કહીએ! આહા... હા! પ્રભુ ! હું યુવાનો! હું મુનિ છું માટે આ મેં વાત કરી (પણ) જો તમને ન રુચે તો માફ કરજો, પ્રભુ! આહા... હા ! એમ અહીં મુનિરાજ કહે છે કે દૃઢ ચારિત્રપણે કહીશ... તમને ન રુચે તો માફ કરજો... બાકી માર્ગ તો આ છે! પદ્મનંદિ આચાર્ય તો પછી થયા અને આ ( કુંદકુંદાચાર્ય ) તો પહેલાં ( થયા ). જેને પહેલા ત્રણમાં બોલ્યા (ગણ્યા ) : “મંચનું માવાન્ વીરો, મંમાં ગૌતમો નળી, માતં જીવળવાર્યો...” એ કહે છે કેઃ
હું તો નિશ્ચયચારિત્રની દૃઢતા, સ્થિરતા, રમણતા વધે માટે આ (પ્રતિક્રમણાદિ) કહીશ.
મારે માટે પણ એમ છે અને તમારે માટે પણ એમ છે. એમ કહે છે. આહા... હા !
“ભેદવિજ્ઞાન દ્વારા ક્રમે ક્રમે ”– છે ને...! છઢે ગુણસ્થાને હજી રાગ છે તેથી રાગથી ભેદ હરિગીત ' માટે જુઓ પૃ. ૧૮૩
Please inform us of any errors on rajesh@Atma Dharma.com