________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
શ્રી નિયમસાર ગાથા ૮૨ - ૧૯૫ [અનુણુમ] “મેવવિજ્ઞાનત: સિદ્ધા: સિદ્ધા કે વિત્ત છેવના
મર્ચવામાવતો વા વા યે રિન વોવના” (શ્લોકાર્થ:-] જે કોઈ સિદ્ધ થયા છે તે ભેદવિજ્ઞાનથી સિદ્ધ થયા છે; જે કાંઈ બંધાયા છે તે તેના જ (ભેદવિજ્ઞાનના જ) અભાવથી બંધાયા છે.”]
ભગવાન ત્રિલોકનાથ પરમાત્માના શ્રીમુખે નીકળેલી વાત સંતો આડતિયા થઈને જગતને માલ આપે છે કે અત્યાર સુધી જે કોઈ સિદ્ધ થયા, પરમાત્મા મોક્ષ પામ્યા, એ ભેદવિજ્ઞાનથી સિદ્ધ થયા છે. એ વ્રત ને તપના પરિણામથી ભિન્ન પડી અને સ્વરૂપમાં અભેદપણે ઠરે છે એવા ભેદવિજ્ઞાન પામેલાને સિદ્ધિ થાય છે. આહા... હા! અત્યાર સુધી એ ભેદવિજ્ઞાનથી અનંતા (જીવ) મુક્તિને પામ્યા છે.
(શુભ) રાગ એ પુણ્યતત્ત્વ છે. ભગવાન (આત્મા) જ્ઞાયકતત્ત્વ છે. તે પુણ્યતત્ત્વથી જ્ઞાયકતત્ત્વને જુદું પાડીને એનું જ્ઞાન અને સમ્યગ્દર્શન થયું, પછી તેને (સર્વથા) જુદો પાડીને સ્વરૂપમાં ર્યા એવા જીવ ભેદવિજ્ઞાનથી મુક્તિને પામ્યા છે. કોઈ વ્રત ને તપ ને ભક્તિ ( વડે મુક્તિ પમાતી નથી).
અમે વ્રત કર્યા ને તપ કર્યા ને. બાઈઓ આ વર્ષીતપ કરે છે ને..પછી કંઈ ખર્ચે. જાણે કે લાખબે લાખ ખચ્ય એટલે થઈ ગયો ધર્મ! ( એમાં) ધૂળે ય ધર્મ (થતો) નથી, સાંભળ ને!
એવિજ્ઞાનત: સિદ્ધ:—સર્વજ્ઞ પરમાત્માનો (આ) મહાસિદ્ધાંત! જિનેન્દ્રદેવ ત્રિલોકનાથ, ઇન્દ્ર અને ગણધરો વચ્ચે આમ કહેતા હતા (તે) આ વાત છે. અરે! આ વાત લોકોને (સાંભળવા ય) મળતી નથી. અનંત કાળમાં અનંતા અનંતા જીવો ભેદવિજ્ઞાનથી સિદ્ધ થયા છે.
મહિના અને આઠ સમયમાં ૬૦૮ (મનુષ્ય) મુક્તિ પામે. મનુષ્યની સંખ્યા ઘણી છે: નવ નવ નવ નવ નવ એવા ૨૭ આંકડા મૂકો એટલી સંખ્યા (ઉત્કૃષ્ટ) છે અને જઘન્ય હોય તો એક એક એક એવા ર૭ આંકડા (ભૂકો) એટલી સંખ્યા મનુષ્યની છે. એમાંથી છ મહિના અને આઠ સમયમાં ૬O૮ સિદ્ધ થાય છે, થાય છે ને થાય છે. અહીં ન હોય તો મહાવિદેહમાં (તો શાથત ) ભગવાન બિરાજે છે ત્યાં પરમાત્મ-સિદ્ધપદ થાય છે. તો કહે છે કે છ મહિના અને આઠ સમયમાં ૬O૮ સિદ્ધ થયા એવા અનંતકાળમાં અનંતા સિદ્ધ અત્યાર સુધીમાં થયા છે. એ અનંતા સિદ્ધ થયા એ ભેદવિજ્ઞાનથી સિદ્ધ થયા છે! એ (કંઈ ) રાગની ક્રિયાથી સિદ્ધ થયા નથી. એ વ્રતના પરિણામથી સિદ્ધ થયા નથી.
વ્રતના પરિણામ તો રાગ છે. આસ્રવ છે! એને (લોકોને) ક્યાં કંઈ ખબર છે? એ તો સંવર છે એમ (માને છે). પહેલવહેલાં (અમે) ૧૯૮૨ ની સાલમાં જામનગર ગયા. વ્યાખ્યાન ચાલતું હતું (તેમાં) એવું આવ્યું કે આ બધી ક્રિયાઓ જેટલી છે (એનાથી ધર્મ થતો નથી). ત્યાં એક વૃદ્ધ ભાઈ, ઘણું વાંચેલું, બત્રીસ સૂત્ર સાધુ-સાધ્વીઓને વંચાવતા. (એ ભાઈ ) “ચાલતું સૂત્ર' કહેવાતા હતા. નરમ માણસ. એ વ્યાખ્યાન સાંભળતાં હતા. બપોરે એકલા આવ્યા. મહારાજ! આ બધું... આ સાંભળીને વિરોધ થશે. (મું) કીધું: શું છે? આ તમારું “જ્ઞાનસાગર' જુઓ! નામકર્મ ચાર પ્રકારે બંધાય; ત્યાં (ઇન્દ્રિયની), કાયાની, મનની, વચનની સરળતા લીધી છે, એ
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com