________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૩૬ – પ્રવચન નવનીત: ભાગ-૨
પુણ્ય-પાપના અધિકાર' માં આવે છે ને...! કે: પુણ્ય-પાપના ભાવથી ખસી જવું એ વૈરાગ્ય છે. પુણ્ય-પાપના ભાવથી હુઠીને ખસી જવું એ વૈરાગ્ય છે. આમ બાયડી છોકરાં છોડ્યાં ને કુટુંબ છોડ્યું ને ફલાણું (છોડ્યું) એ વૈરાગ્ય નથી. એને જે શુભભાવ જે રાગ આવે એનાથી પણ હુઠી જવું એનું નામ વૈરાગ્ય છે. સમજાણું કાંઈ ?
સવારે એક કલાક આવ્યું હતું ઝીણું અને આ પળ વળી પાછું ઝીણું. આહા... હા! થાય, ભાઈ ? અરેરે! દુઃખી દુનિયા. એને દુઃખની ખબરું ય ન મળે. અને કેમ શાંતિ મળે. કોની તરફ જવાથી ધર્મ મળે? –એની ખબરું ય ન મળે.
ભગવાન (આત્મા) તો અકષાય સાગરથી ભર્યો છે. અકષાય-શાંતિસાગરનો નાથ ભગવાન છે. પૂર્ણ અકષાય, પૂર્ણ વીતરાગ, જિનસ્વરૂપે બિરાજે છે. પૂર્ણ શાંતરસનો સાગર પ્રભુ છે. એની સેવના સિવાયનું બધુંય અનાચાર છે. આહા.... હા! “એની સેવના' એટલે એની ભાવના-એકાગ્રતા.
છે! સહજવૈરાગ્યભાગનારૂપે “પરિણમ્યો થકો સ્થિરભાવ કરે છે”_સહજપણે રાગથી વિરમીને સ્વરૂપમાં રમે છે. આહા.... હા ! સહજપણે (રાગથી) વિરમે છે, હુઠથી નહીં-એમ કહે છે. સમજાણું કાંઈ? આહા... હા ! સ્વાભાવિક વૈરાગ્યભાવનારૂપે (પરિણમે છે).
વિ. સં. ૧૯૬૭-૬૮ની વાત હશે. ભાવનગરમાં એક ફેરી ધ્રુવનું નાટક જોયું હતું. અન્યમતિમાં ધ્રુવ-પ્રહલાદ આવે છે. એની મા મરી ગયેલી. એનો બાપ નવી પરણ્યો. આ પોતે પછી સાધુ-બાવો થયો. વનમાં આમ કરીને (ટેકો કરીને તપસ્યા કરવા) બેઠો. ઉપર (સ્વર્ગ) થી બે ઇન્દ્રાણીઓ ઊતરે છે. એને લલચાવે છે કે, હું ધ્રુવ ! આ અમારાં શરીર તો જુઓ: માખણ જેવાં શરીર સુંદર રૂપાળાં, શરીરના આ બધા અવયવો! આમ અંગ અંગ બતાવે ને આમ બતાવે ને આમ બતાવે. ત્યાર પછી ધ્રુવ એટલો જવાબ આપે છે. માતા ! મારે જો ભવ કરવાનો હશે તો કોલકરારથી કહું છું કે તારી કૂખે આવીશ. બાકી બીજું હુરામ છે હોં ! તારી બીજી વાત મને લલચાવી શકે નહીં. એ લોકો એવા વૈરાગ્ય કરતા હતા. આવું નાટકમાં આવતું. આહા.. હા! અત્યારે તો ફિલ્મ કાળા કેર કરી નાખ્યા છે.
અહીં આપણે “આ” ધ્રુવની વાત કરવી છે હોં! (ત્યાં) એ જાતની દષ્ટિ નહીં અને તત્વની તો કાંઈ ખબર ન હોય. (અહીંયાં) આ તો સહજ વૈરાગ્ય છે. આહા... હા! અંતરના આનંદના ઊમળકા આવતાં રાગથી ખસી જાય છે, સહજપણે ખસી જાય છે. અંદર અતીન્દ્રિય આનંદના સ્વાદમાં, ધર્મી રાગના વિકલ્પથી સહેજે ખસી જાય છે. આહા... હા! એવા રાગના અભાવસ્વભાવરૂપે પરિણમ્યો થકો, થયો થકો ( સ્થિર થાય છે).
બાપુ! મારગડા જુદા બહુ બાપુ! વીતરાગ જિનેન્દ્રદેવ, ત્રિલોકનાથ પરમેશ્વરની વાણીમાં ‘આ’ માર્ગ આવ્યો. અરે ! દુનિયાને સાંભળવા મળે નહીં. એ ક્યાં જઈને ઉતારા કરશે? અહીં સાંભળવા મળે તો એને ખ્યાલમાં એમ આવે કે કંઈક માર્ગ કોઈ જુદો છે આ તો.
“સહજ વૈરાગ્યની ભાવનારૂપે પરિણમ્યો થકો” – વીતરાગભાવે પરિણમ્યો થકો, રાગથી વૈરાગ્ય અર્થાત્ ઉદાસીનરૂપે પરિણમ્યો થકો- “સ્થિર ભાવ કરે છે.” અંતરમાં-આનંદમાં સ્થિરતા જામી જાય છે. આહા.... હા !
આ છોકરા રોટલી ખાતા હોય અને પછી નાના બેચાર સાકરના ગાંગડા આપે પછી છોકરાઓ
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com