________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૭ર – પ્રવચન નવનીત: ભાગ-૨ તો સમુદ્ર છે! અને સમ્યગ્દર્શનનો વિષય મહાદરિયો છે! અર્થ કર્યો ને...! સહજપરમપરિણામિકભાવ જેનું લક્ષણ ત્રિકાળ છે. કોનું (લક્ષણ) ? કેઃ કારણસમયસારનું! એ કારણસમયસાર છે, એ સમ્યગ્દર્શનનો વિષય છે. ત્રિકાળ કારણસમયસાર છે! * આ વ્યાખ્યાન પૂરું થયું.
* * * *
પ્રવચન તા. ૮-૨-૧૯૭૮ આ (૫૦મી) ગાથામાં જરી આધાર-આધેય (ફરીથી) લેવું છે. આ જે ગુણો છે-ત્રિકાળ જ્ઞાન, દર્શન, આનંદ સ્વભાવ-તેને અહીંયાં “આધેય' કહ્યાં છે અને દ્રવ્યને “આધાર' કહ્યું છે. પાઠમાં છે ને...! “શુદ્ધાત્તસ્તત્વસ્વચ્છપ સ્વદ્રવ્યમુપાયમ– મૂળ–અંત:તત્ત્વ તો અનંત દર્શનઆનંદાદિ ગુણો છે એને અંત:તત્ત્વ કહીને સ્વદ્રવ્ય કહ્યું. કારણ કે જ્યારે પર્યાયને પરદ્રવ્ય કહ્યું ત્યારે ગુણોને સ્વદ્રવ્ય કહ્યું (એ) અંતઃતત્ત્વ. હવે (કહે છે કેઃ) પરમપરિણામિકભાવલક્ષણ, એવો (કારણ) સમયસાર, ત્રિકાળીચીજ, જે સમ્યગ્દર્શનનો વિષય છે, તે ગુણોનો આધાર છે. અને એ ગુણો જે અંત:તત્ત્વ છે તે “આધેય” છે.
(“સમયસાર') “સંવર અધિકાર' માં જે આધાર-આધેય લીધું છે તે આનાથી બીજી ચીજ છે. શાંતિથી સાંભળો, શું ચીજ છે? ત્યાં તો એમ કહેવું છે: “૩૫યોને ઉપયો:અર્થાત્ ઉપયોગમાં ઉપયોગ છે. એવો પાઠ છે. એનો અર્થ એવો લીધો કે અંદર આત્મા જ્ઞાનસ્વરૂપઆનંદસ્વરૂપ છે, એ વસ્તુ. (તે) જ્ઞાનક્રિયા (અર્થાત્ ) જે નિર્મળ સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રની ક્રિયા, તેનાથી જાણવામાં આવે છે. તે કારણે, એ જે સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રની નિર્વિકલ્પવીતરાગી “પર્યાય' છે તે આધાર છે અને “દ્રવ્ય” આધેય છે. આહા... હા! સાંભળો ! આ (બન્ને) વાતમાં બહુ ફેર છે. ત્યાં તો આગળ રાગનું ક્ષેત્ર અને ભાવ ભિન્ન ગણ્યો છે. વ્યવહારરત્નત્રયનો જે રાગ છે, વિકલ્પ છે, એનું ક્ષેત્ર પણ ભિન્ન અને ભાવ પણ ભિન્ન (છે ); એની સાથે આધાર-આધેય સંબંધ નથી. અર્થાત્ તે રાગથી સ્વભાવની દષ્ટિ થાય છે ને સંવર થાય છે, એમ નથી. ત્યારે કહે છે કે સંવર-દશા ( ઉત્પન્ન) થઈ કેવી રીતે? કેઃ એ નિર્મળપર્યાય, વીતરાગી આત્માના આશ્રયથી ઉત્પન્ન થઈ. (પણ) અત્યારે એ વાત ( એક બાજુ ) રાખો. પણ વીતરાગી પર્યાયમાં ઉપયોગમાં ઉપયોગ છે! ઉપયોગ અર્થાત્ વીતરાગી પર્યાય જે મોક્ષમાર્ગની ઉત્પન્ન થઈ તેમાં આત્મા છે! એ સંવર અધિકારનો આધાર-આધેય જુદો અને અહીંયા (નિયમસાર”) નો આધાર-આધેય જુદો. –બન્નેમાં તદ્દન ઉગમણા-આથમણો ફેર છે. ત્યાં જે કહ્યું એ તો દ્રવ્યને આધેય કહ્યું અને નિર્મળપર્યાયને આધાર કહી. ઝીણી વાત છે, બાપુ! આ તો અંતરનો માર્ગ બહુ સૂક્ષ્મ છે! “ઉપયો? ઉ૫યો :” અર્થાત્ ઉપયોગમાં ઉપયોગ છે. એમ કહ્યું ને..! પહેલા ઉપયોગમાં, એટલે નિર્મળ-વીતરાગી-શુદ્ધઉપયોગમાં આત્મા છે. એટલે કે, એ આધારથી આત્મા જાણવામાં આવે છે. સમજાણું કાંઈ ? ભેદજ્ઞાનમાં-રાગથી ભિન્ન કરીનેશુદ્ધસમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રની પર્યાય વડે “આત્મા જ્ઞાનસ્વરૂપી છે” એમ જાણવામાં આવે છે. તે કારણે સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રની પર્યાયને
* આધાર-આધેય’ વિષે પૂ. ગુરુદેવશ્રીએ કૃપા કરી ફરીથી વિશેષ પ્રવચન આપ્યું તેના વિષય અનુસંધાનાર્થે, અહીં ચાલતા પ્રવચનના શેષ ભાગને પૃ. ૭૮ ઉપર આપવામાં આવ્યો છે.
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com