________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
*
* *L LE
પણ.
૨૯૬ – પ્રવચન નવનીત: ભાગ-૨
ભગવાન તારી તો આ અંદર ઇંદ્રજાળ છે. એક નયે હા. અને બીજી નયે ના. એક નયે, શુદ્ધઆત્માના પવિત્ર આનંદનો સ્વાદ આવે તે ધર્મ અને બીજી નયે, એને જોડે રાગ આવે તેને વ્યવહારધર્મ-પુણ્ય. એકકોર પુણ્યને બંધનું કારણ કહો. એકકોર પુણ્યને પરંપરા કારણ કહો. - આવાં તારાં ન્યાયનાં વાક્યો, પ્રભુ! આહા... હા! સમજાણું કાંઈ?
પ્રગટપણે સદાશિવમય ” ભગવાન આત્મા તો અંદર સદાય મોક્ષસ્વરૂપ જ છે. શિવકલ્યાણમૂર્તિ પ્રભુ છે. દરેક ભગવાન અંદર બિરાજે છે, એ આત્મા ભગવસ્વરૂપ શિવસ્વરૂપ જ છે. ઉપદ્રવ અને અકલ્યાણ રહિત છે. સદા કલ્યાણસ્વરૂપ જ છે. આહા... હા !
એવા પરમાત્મતત્વને વિષે ” એવું જે પરમાત્મતત્ત્વ પ્રભુ અત્યારે હોં! ત્રણે કાળે એ પરમાત્મસ્વરૂ૫. કલ્યાણસ્વરૂપ જ ત્રિકાળ છે. એવા તત્ત્વને વિષે “ધ્યાનાવલી શુદ્ધનય કહેતો નથી.” –ધ્યાનની પંક્તિ, ધ્યાનની પરંપરા, એ ત્રિકાળી દ્રવ્યમાં નથી. ધ્યાનમોક્ષનો માર્ગ-પર્યાય, એ પણ ત્રિકાળી દ્રવ્યમાં નથી. “ધ્યાનાવલી એટલે ધ્યાની પંક્તિ હોવાનું પણ શુદ્ધનય કહેતો નથી.” આહા.... હા ! ગજબ છે ને..! “તે છે એમ વ્યવહારમાર્ગે સતત કહ્યું છે.” –એ સ્વાશ્રયે ધ્યાન-શુક્લધ્યાન આદિ છે તે પણ વ્યવહારનયે કહ્યું છે.
» વિશેષ આવશે.
* * *
પ્રવચન: તા. ૧-૩-૧૯૭૮ નિયમસાર” -૧૧૯ કળશ. વિશેષ ફરીથી. “પ્રગટપણે સદાશિવમય (નિરંતર કલ્યાણમય) એવા પરમાત્મતત્ત્વ”. આહા. હા! આત્મા તો સદાશિવમય છે, કલ્યાણસ્વરૂપ જ છે. (શ્રોતા ) પર્યાયવાળો કે પર્યાય વગરનો? (ઉત્તર) પર્યાય વિનાનો, પ્રગટપણે વસ્તુ છે. વસ્તુ દ્રવ્ય છે. સદા પ્રગટપણે શિવમય (છે). સદા અર્થાત્ નિરંતર શિવમય-કલ્યાણમય એવું જે પરમાત્મતત્ત્વ વસ્તુ. આહા... હા! પરમાત્મા અરિહંત થયા એ તો પર્યાયમાં થયા. આ (તત્ત્વ) વસ્તુ તરીકે સદા પરમાત્મા જ છે. સદાશિવમય, નિરંતર કલ્યાણસ્વરૂપ, પરમાનંદસ્વરૂપ, પૂર્ણ, સામાન્ય, વીતરાગસ્વરૂપ એવા “(તત્ત્વ) ને વિષે ધ્યાનાવલી હોવાનું પણ શુદ્ધનય કહેતો નથી.”
પહેલાં આવી ગયું છે કે, ધર્મધ્યાન અને શુક્લધ્યાન તે સ્વાશ્રિત હોવાથી નિશ્ચય છે. (શ્રોતા ) ઉપાદેય છે? (ઉત્તર) એ વળી પછી. આ બંને ધ્યાન) નિશ્ચય છે. એને અહીં પાછો વ્યવહાર-પર્યાય કહેશે. ગાથામાં કહ્યું ને ! “સ્વાત્માશ્રિત નિશ્ચય-પરમધર્મધ્યાન.” (આવે) છે ને? સ્વાશ્રિત નિશ્ચય, (અને) પરાશ્રિત (તે) વ્યવહાર. ત્યાં એટલું સિદ્ધ કર્યું છે. છતાંય એ પર્યાય જે સ્વાભાશ્રિત થાય તે વ્યવહારમાર્ગમાં છે; વસ્તુમાં નથી.
આ તો ધીમેથી સમજવા જેવી વાત છે, બાપુ! (આત્મા) અંદર ભગવાન છે. અંદર ભગવાન સ્વરૂપ જ આત્મા છે. પૂર્ણ કલ્યાણમય (છે). પર્યાયમાં (ભગવાન) થાય એ જુદી ચીજ છે.
આહા... હા! સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્ર જે નિશ્ચયમોક્ષમાર્ગ છે એ તો સ્વાશ્રિત છે માટે તેને નિશ્ચય કહ્યો અને પરાશ્રિત (તે) વ્યવહાર (છે). સમજાણું? (અહીં) એ કહે છે કે, પણ શુદ્ધનયે જોઈએ તો (એ) ધ્યાનાવલી-ધ્યાનની ધારા, એ બધી પર્યાય છે એવી ધ્યાનપંક્તિ, (પરમાત્મતત્ત્વમાં છે એમ) શુદ્ધનય કહેતો નથી. આહા.... હા! શુદ્ધનય તો શુદ્ધ ત્રિકાળી કલ્યાણમય છે, એમ કહું
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com