Book Title: Pravachana Navneet 2
Author(s): Kanjiswami
Publisher: Vitrag Sat Sahitya Trust Bhavnagar

View full book text
Previous | Next

Page 252
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૨૪૦ - પ્રવચન નવનીતઃ ભાગ-૨ | (ગ્નપથરી ) मुक्त्वानाचरमुच्चैर्जननमृत करंसर्वदोषप्रसंगं स्थित्वात्मन्यात्मनात्मा निरूपमसहजानंददृग्ज्ञप्तिशक्तौ। बाह्याचारप्रमुक्तः शमजलनिधिवार्बिन्दुसंदोहपूत: सोऽयं पुण्यः पुराणः क्षपितमलकलिर्भाति लोकोद्धसाक्षी।। ११४ ।। [ શ્લોકાર્થ:- ] જે આત્મા જન્મ-મરણને કરનારા, સર્વ દોષોના પ્રસંગવાળા અનાચારને અત્યંત છોડીને, નિરૂપમ સહજ આનંદ-દર્શન-જ્ઞાન-વીર્યવાળા આત્મામાં આત્માથી સ્થિત થઈને, બાહ્ય આચારથી મુક્ત થયો થકો, શમરૂપી સમુદ્રના જળબિંદુઓના સમૂહથી પવિત્ર થાય છે, તે આ પવિત્ર પુરાણ (-સનાતન) આત્મા મળરૂપી કલેશનો ક્ષય કરીને લોકનો ઉત્કૃષ્ટ સાક્ષી થાય છે. ૧૧૪. “જે આત્મા જન્મ-મરણને કરનારા, સર્વદોષોના પ્રસંગવાળા અનાચારને અત્યંત છોડીને – જે આત્મા જન્મ-મરણને કરનારા, એ શુભભાવ પણ જન્મ-મરણના કરનારાં છે, એ બધા–સર્વ દોષો છે. આહા... હા! આવી વાતું છે!! વ્યવહારરત્નત્રયનો ભાવ એ દોષ છે! વ્યવહારરત્નત્રય તે કારણ અને નિશ્ચય તે કાર્ય. (એમ) શાસ્ત્રમાં “તત્ત્વાર્થરાજવાર્તિક' માં પણ કાર્યના બે કારણ લખ્યાં છે! પણ એ તો નિમિત્તનું જ્ઞાન કરાવ્યું છે, બાપુ! શું થાય ? તત્ત્વાર્થરાજવાર્તિક માં “કાર્યના બે કારણ-ઉપાદાન ને નિમિત્ત' કહ્યા, તે તો નિમિત્તનું જ્ઞાન કરાવ્યું છે, બીજી ચીજ સાથે હતી, બસ! એટલું. તેથી (નિમિત્તથી) કાર્ય થયું છે? (એમ નથી), કાર્ય તો ઉપાદાનથી જ થયું છે. એને શુદ્ધને ઉત્પન્ન કરવાની નિજક્ષણ છે, એ નિમિત્તને લઈને નથી. સ્વભાવને આશ્રય (જે) વીતરાગપરિણતિ પ્રગટી છે તે નિજક્ષણ છે, તેને ઉત્પન્ન થવાનો એ કાળ છે. નિમિત્તને લઈને (તે વીતરાગપરિણતિ) ઉત્પન્ન થઈ છે તેમ નથી. પણ ફક્ત નિમિત્ત જોડે છે તેનું જ્ઞાન કરાવવા “બે કારણનું કાર્ય' કહેવામાં આવ્યું છે. હવે, આવા અર્થ ન સમજે તો શું થાય ? અને વાણિયાને આ ( સમજવાની ) દરકારેય નથી, એમ ને એમ પડ્યા એ પડ્યા રહે વાડામાં, (વ્યર્થમાં) જિંદગી પૂરી થઈ ને હાલ્યા જવાના. કીધું નહોતું ? લાઠીમાં અઢાર વર્ષની એક બાઈ. બે વર્ષનું પરણેતર. અમે એક વખતે કીધુ. જોયેલી, એને શીતળાનો રોગ થયો. દાણે દાણે ઈયળ. એ બાઈનું આમ પડખું ? પડખું ફરે ત્યાં હજારો ઈયળ આમ ખરે અને આમ પડખું ફરે તો (પણ એમ થાય ). બાઈ બિચારી કહે: બા ! મેં આ ભવમાં આવાં પાપ કર્યા નથી. આ મારાથી સહન થતું નથી, પડખું ફરે ત્યાં અગ્નિ બળે છે, આમ ફરે તો અગ્નિ બળે છે અને અંદર ઈયળો ચટકા-બટકા ભરે છે ! એ તો શરીરની અવસ્થા હતી. એણે એણે (પૂર્વે) રાગ કર્યો હતો.... તે (હવે) રાગને ભોગવવાનો. નાની ઉંમરની હતી, બિચારી હોં! એમાં ને એમાં મરી ગઈ. હેઠે તળાઈ પાથરી હતી. તળાઈ તે શું કરે? અહીં (શરીરમાં) જ્યાં કાણાં પડ્યાં ને જ્યાં ઈયળો પડી ત્યાં નીચે તળાઈ શું કરે, બાપુ? આહા... હા ! એવાં દુઃખોને પણ અનંતવાર સહન કર્યા છે, પ્રભુ! શુભની ક્રિયા એ પણ અનંતવાર કરી છે. પણ આત્મા શુભાશુભભાવથી ભિન્ન છે એના Please inform us of any errors on rajesh@ AtmaDharma.com

Loading...

Page Navigation
1 ... 250 251 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290 291 292 293 294 295 296 297 298 299 300 301 302 303 304 305 306 307 308 309 310 311 312 313 314 315 316 317 318 319 320