________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૦૮ – પ્રવચન નવનીત: ભાગ-૨ જ્ઞાનમાત્ર સ્વરૂપ “( એવા અંતર્મુખ પરમબોધ વડે.) અભૂતપૂર્વ સિદ્ધપર્યાય થાય છે.” આહા.... હા! સમજાણું કાંઈ?
અગિયાર અંગનું જ્ઞાન હોય, નવ પૂર્વનું જ્ઞાન હોય, તે તો મિથ્યાદષ્ટિને પણ હોય છે. હમણાં (એક વિદ્વાનનો લેખ) આવ્યો હતો ને કે: બાર અંગનું જ્ઞાન હોય તોપણ તે (આત્માનું જ્ઞાન) નહીં. પરંતુ બાર અંગનું જ્ઞાન તો સમકિતીને જ હોય છે. -શું કહ્યું? નવ પૂર્વની લબ્ધિ અને અગિયાર અંગનું જ્ઞાન, તે તો મિથ્યાદષ્ટિને પણ થાય છે. પણ દશ પૂર્વ થઈ જાય તે તો સમ્યગ્દષ્ટિને જ હોય છે. એ બાર અંગના જ્ઞાનવાળા મિથ્યાદષ્ટિ છે, એમ નથી. ફક્ત એ બાર અંગનું શ્રુતજ્ઞાન તે વ્યવહાર છે, તેના કારણથી મુક્તિ નહીં. પણ જે બાર અંગ (ધારી) છે તે તો સમ્યગ્દષ્ટિ જ છે. બાર અંગનું જ્ઞાન હોય અને તે મિથ્યાષ્ટિ હોય, તેમ ત્રણકાળમાં બને નહીં. આહા.. હા ! સમજાણું કાંઈ ? એ (વિદ્વાને) તો બાર અંગના જ્ઞાનથી પણ મુક્તિની સિદ્ધિ હોય નહીં (કેમકે તે જ્ઞાન આત્માનું જ્ઞાન નથી), એવું ન લઈને (કંઈક બીજી રીતે વાતને ખેંચી છે).
અહીંયાં “તજ્ઞાનમાત્ર(–તે નિજ પરમ તત્ત્વના જ્ઞાનમાત્ર સ્વરૂપ તે જ જ્ઞાનમાત્ર ભગવાન શાયકસ્વભાવ-જ્ઞાનમાત્ર સ્વરૂપ “એવા અંતર્મુખ પરમ બોધ વડે...” ભાષા કેટલી ધ્યાન રાખીને લખી છે! “એવા અંતર્મુખ પરમબોધ' –શાસ્ત્રનું (જ્ઞાન) નહીં, પરનું (જ્ઞાન) નહીં, પણ “અંતર્મુખ પરમબોધ” એટલે કે ભગવાન આત્મા જ્ઞાયકસ્વભાવનું જ્ઞાન, એનું (0) દ્રવ્યનું જ્ઞાન, જે જ્ઞાયકભાવ વસ્તુ છે તેનું જ્ઞાન-એને “અંતર્મુખ પરમબોધ' કહ્યો. અંતર્મુખ કહ્યું અને પછી પરમબોધ કહ્યું, એ પરમબોધ વડે.. “સિદ્ધપર્યાય થાય છે. ” સમજાણું કાંઈ?
કોઈને તો બાહ્યમાં પાંચ સમિતિ, ત્રણ ગુમિ જેટલું જ જ્ઞાન હોય તો પણ તેને કેવળજ્ઞાન થાય છે. એવું નથી કે ઘણું (બાહ્ય ) જ્ઞાન હોય તેને જ કેવળજ્ઞાન થાય. આહા... હા ! તદ્રવજ્ઞાનમાત્ર-આત્મા જ્ઞાન(માત્ર ) સ્વરૂપે છે–એ માત્રથી, એ વડે, મુક્તિ થાય છે. કહ્યું ને...! “પરમબોધ વડે” “અભૂતપૂર્વ સિદ્ધપર્યાય થાય છે.”
આમ તો એ પર્યાય છે, અને આ પર્યાયથી મોક્ષની પર્યાય ઉત્પન્ન થાય છે, એ (વાત) પણ અપેક્ષિત-વ્યવહારે છે. બાકી તો મોક્ષપર્યાય અને કેવળજ્ઞાન જે ઉત્પન્ન થાય છે તે સ્વદ્રવ્યના આશ્રયે ઉત્પન્ન થાય છે; પૂર્વ પર્યાય અર્થાત મોક્ષમાર્ગની પર્યાયના આશ્રયે નહીં. કારણ કે મોક્ષમાર્ગની પર્યાયનો વ્યય થાય છે, અભાવ થાય છે, તો જે ભાવ ઉત્પન્ન થયો તે તો અભાવમાંથી આવ્યો નથી. સમજાણું કાંઈ? અહીં પાઠ તો એવો છે. (નમક) અહીં ફક્ત વ્યવહારરત્નત્રયથી નિશ્ચયરત્નત્રય અર્થાત્ યથાર્થ તત્ત્વને ભિન્ન બતાવવું છે. માટે એનાથી (-પરમબોધ વડ) સિદ્ધપર્યાય ઉત્પન્ન થાય છે, એમ બતાવવું છે. બાકી ખરેખર તો મોક્ષમાર્ગ એ પર્યાય છે, એનો વ્યય થાય છે, ત્યારે કેવળજ્ઞાનપર્યાય ત્યાં ઉત્પન્ન થાય છે. તો તે વ્યયમાંથી ઉત્પાદ થાય છે, એમ નથી. તે તો ત્રિકાળીના આશ્રયથી ઉત્પન્ન થાય છે. -એ (કથન) પણ અપેક્ષિત થઈ ગયું. (ખરેખર તો) જે કેવળજ્ઞાનપર્યાય છે તે પોતાની પકારક પરિણતિથી ઉત્પન્ન થાય છે. સમજાણું કાંઈ ?
જયારે આ વાત-વ્યવહાર-નિશ્ચયરત્નત્રય-સમજાવવું હોય, ત્યારે (શી રીતે અને ) શું સમજાવે? વ્યવહારરત્નત્રય તો રાગ છે અને આ નિશ્ચયરત્નત્રય વીતરાગીપર્યાય છે અને એ વીતરાગી પર્યાયથી મુક્તિ થાય છે. –એમ બતાવવું છે.
“સ્વામીકાર્તિકેયાનુપ્રેક્ષા” માં એવો પાઠ છે: “પુર્વ–પરિણામ–ord વાર–માવે વટ્ટરે બં
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com