________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
શ્રી નિયમસાર ગાથા ૫૦ - ૬૭ વ્યાખ્યા કહે છે. કેવો ભાવ ? કેઃ સહજજ્ઞાન. ત્રિકાળી જ્ઞાનસ્વભાવ. ત્રિકાળી જ્ઞાન. ધ્રુવભાવ. સહજજ્ઞાન ત્રિકાળી. ત્રિકાળી સ્વાભાવિક વસ્તુ. કોઈએ કરેલી નહીં. એવું સહજ જ્ઞાન. “ સહજદર્શન-સહજચારિત્ર ”- સહજચારિત્ર ત્રિકાળ.
એક વખત પ્રશ્ન ઊઠયો હતો કે: ‘સિદ્ધને ચારિત્ર ન હોય’ (પણ એમ નથી ). સંયમ (રૂપ ) ચારિત્ર ન હોય, પણ સિદ્ધમાં ચારિત્ર છે. પોતાનું પરિણમન સિદ્ધમાં છે. ચારિત્ર તો સ્વરૂપશક્તિ અંદર છે તે સિદ્ધમાં (પૂર્ણ) પ્રગટ થાય છે. એટલે ચારિત્ર તો છે! સહજચારિત્ર સ્વભાવ છે! એને અહીંયાં સ્વદ્રવ્યમાં લેવું છે. અને જે પછી પરિણમન થશે તેને ૫૨દ્રવ્યમાં લેવું છે. એ આ અપેક્ષાથી. સમજાણું કાંઈ ?
66
‘સહજચારિત્ર ”–સ્વાભાવિક ત્રિકાળી ચારિત્ર, અર્થાત્ સ્વાભાવિક ત્રિકાળી વીતરાગતા. સ્વાભાવિક ત્રિકાળી અકષાયસ્વભાવભાવ, એ ચારિત્ર.
આહા... હા ! ‘સમયસાર નાટક' માં કહ્યું ને...! “જિનપદ નાંહિ શરીૌ, જિનપદ ચેતનમાંહિ; જિનવર્નન કછુ ઔર હૈ, યહ જિનવર્નન નાંહિ.” આહા... હા! ભાઈ ! જિનવર્નન કછુ ઔર હૈ. જિનપદ નાંહિ શ૨ી૨કૌ, જિનપદ ચેતનમાંહિ. જ્ઞાનાનંદ ભગવાન ધ્રુવ, એ જિનપદ છે. એ જિનપદ કહો કે વીતરાગભાવ કહો કે ત્રિકાળી અકષાયભાવ કહો કે ચારિત્ર કહો (એકાર્થ છે). સમજાય છે કાંઈ ? “ સહજચારિત્ર.” અહીં જ્ઞાન, દર્શન, ચારિત્ર અને સુખ લેવું છે; હવે એ સુખની વ્યાખ્યા થોડી લાંબી કરી.
“સહજપરમવીતરાગસુખાત્મક”- કેવો છે આનંદ? કેઃ સહજપરમવીતરાગસુખસ્વરૂપ ( છે ). અંદર ત્રિકાળી ભગવાન, આનંદકંદ, પરમ સહજ-સ્વાભાવિક-૫૨મ ઉત્કૃષ્ટ વીતરાગસુખસ્વરૂપ ત્રિકાળ છે. આહા... હા ! ભગવાન ચૈતન્ય અમૃતના સાગરથી ભર્યો છે, પ્રભુ! ચૈતન્યામૃત છે તે (સ્વદ્રવ્ય છે; ) પર્યાય નહીં. આહા... હા! અહીં તો કહે છે કેઃ સહજ-સ્વાભાવિક એટલે કેઃ અણથયેલ, અણબનેલ, સ્વાભાવિક પરમવીતરાગસુખસ્વરૂપ છે. ભગવાનઆત્મા તો સહજ સ્વભાવ પરમ આનંદરૂપ પ્રભુ છે. આહા... હા! આ આશ્રય કરવા લાયકની વાત કરવી છે ને...! તેથી આ ‘ સ્વદ્રવ્ય ' ઉપાદેય, એની વ્યાખ્યા કરે છે. પહેલાં કહ્યું ને.. ? સ્વદ્રવ્ય ઉપાદેય છે. તો કહે છે કેઃ ‘ સ્વદ્રવ્ય ' કોને કહ્યું ? એના ભાવને અમે સ્વદ્રવ્ય કહીએ છીએ. (ક્ષાયિક આદિ) પર્યાયને અને વિભાવ આદિને પરદ્રવ્ય કહ્યાં અને એ અપેક્ષાએ (તેને) પરભાવ કહ્યાં. તો અહીં ત્રિકાળી સ્વભાવભાવને ‘સ્વદ્રવ્ય ’ કહ્યું. હજી સ્વદ્રવ્યની વિશેષ વ્યાખ્યા આવશે.
'
‘ સ્વદ્રવ્ય ’કોને આધારે છે? –સ્વદ્રવ્ય ‘ આધેય ' છે અને ત્રિકાળી સ્વભાવભાવ પરમપારિણામિકભાવ ‘આધાર' છે. આહા... હા! થોડું પણ ઘણું છે, ભાઈ! એ ચીજના અવલંબને જે અનુભવ થાય છે (તે પર્યાયને ‘આધેય ’ માનતો નથી.)
‘સ્વામીકાર્તિકેયાનુપ્રેક્ષા' ગાથા-૩૧૩માં તો ત્યાં સુધી કહ્યું કેઃ એવો સમ્યગ્દર્શનનો અનુભવ થાય, એ પર્યાય (ભાવ) છે, અને ત્રિકાળી છે તે દ્રવ્યભાવ છે. પછી લેશે કે: ભાવનો આશ્રય તે પરમપારિણામિકભાવ (છે). પરમપારિણામિકભાવ તો પૂર્ણ ૫૨માત્મસ્વરૂપ (પ્રભુ) છે. પણ સમ્યગ્દષ્ટિને જ્યારે પર્યાયમાં અનુભવ થયો ત્યારે એ પર્યાયને તૃણવત્ માને છે. કેમકેઃ તે એમ જાણે છે કેઃ ક્યાં આ મારી અલ્પ પર્યાય! અને ક્યાં ચારિત્રની પર્યાય, અને ક્યાં કેવળજ્ઞાનની પર્યાય ?! એને એનો (પ્રગટેલી પર્યાયનો) ગર્વ નથી. રાગનો ગર્વ નથી કે ‘મારો રાગ છે'. પણ
Please inform us of any errors on rajesh@AtmaDharma.com