________________
૯૮
ધ્યાનશતક
संकाइदोसरहिओ पसमथेज्जाइगुणगणोवेओ। हाइ असं मूढमणो दसणसुद्धीए झाण मि ॥ ३२॥
અથ:-(સર્વજ્ઞ વચનમાં) શકો આદિ દોષ રહિત, અને સર્વાશાસ-પરિચય, પ્રશમ, સમ્યકત્વમાં સ્થિરતા, સાથે પડતાનું સ્થિરીકરણ વગેરે ગુણસમૂહથી સંપન્ન (પુરુષ) સમ્યગ્દર્શનની શુદ્ધિથી ધ્યાનમાં સંમેહરહિત (સ્થિર) ચિત્તવાળા બને છે. તેથી કર્મબંધન ન લાગે, તેમજ ધ્યાનભંગ ન થાય. તેથી કર્મનિજ થાય.
- તાત્પર્ય, બંને અર્થમાં જીવ–અજીવના ગુણ-પર્યાયને સાર યા વિશ્વને સાર પકડવાથી અન્યથા પ્રવૃત્તિ યાને રાગાદિભરી ખાટી પ્રવૃત્તિ ન થાય તેમજ સન્મતિમાંથી કપન ન થાય. એમ બુદ્ધિ નિર્મળ અને નિશ્ચળ રહે. આ રીતે જ્ઞાનભાવનાને આ પાંચ પ્રકાર “નાણુગુણમુણિયસાર” એ પણ ધ્યાનની સારી ભૂમિકા સરજી આપે છે. એ એ અભ્યાસ આત્માને શુદ્ધ જ્ઞાનથી ભાવિત કરે છે માટે એનું નામ જ્ઞાનભાવના.
૨. દર્શનભાવના ' હવે દર્શનભાવનાનું સ્વરૂપ અને એને મહિમા બતાવવા કહે છે –
વિવેચન –ધ્યાન માટે બીજી દર્શનભાવના કરવી જરૂરી છે. એથી આત્મા સમ્યગ્દર્શનથી એ ભાવિત બને છે કે પછી, જે એ ન હોત તો એનાથી વિપરીત દેષોને લઈને ધ્યાન અશક્ય બનત, તે હવે આ ગુણોને લીધે સ્થિર ધ્યાન કરી શકે છે.