Book Title: Dhyan Shatak
Author(s): Jinbhadra Gani, Bhanuvijay
Publisher: Divyadarshan Karyalay

View full book text
Previous | Next

Page 305
________________ ૨૮૨ દર્શન-સુખ-સિદ્ધત્વ, અર્થાત્ આને અત નહિ. કેમકે આ સમ્યક્ત્વાદિ તે આત્માને મૂળભૂત સ્વભાવ છે, અને સંસારકાળમાં એ મિથ્યાત્વ–મેહનીયાદિ કર્મથી આવૃત રહેનારાં, તે હવે સર્વ, મક ક્ષયથી પ્રગટ થાય તેથી ક્ષાયિક સમ્યકત્વાદિ કહેવાય. એ હવે સદાકાળ પ્રગટ રહેવાના. અસ્પૃશ૬ ગતિએ સિદ્ધિગમન –આમ જ્યારે ૧૪ મા ગુણસ્થાનકના અંતિમ સમયે સમસ્ત કર્મોને ક્ષય આવીને ઊભો કે તરત જ એની પછીના એક જ સમયમાં જીવ જુ ( સીધી ) ગતિથી સિદ્ધ થાય છે. અર્થાત્ કાન્ત સિદ્ધશિલા ઉપર પહોંચી જાય છે. આ અહીંથી છૂટી ત્યાં પહોંચવામાં વચ્ચે બીજો સમય કે બીજા પ્રદેશની સ્પર્શના નથી થતી, એટલે કે અહીંથી છૂટવાને સમય ૧૪ મા ગુણસ્થાનકની પૂર્ણતા થતાં જ, ૧૪ મા ગુણસ્થાનકને અંતિમ સમય વીતતાં જ છૂટવાને સમય અને ઉપર પહોંચી સિદ્ધશિલા પર આરૂઢ થવાનો સમય પણ તે જ. છૂટવાની અને પહોંચવાની વચ્ચે એક પર્ણ સમયનું આંતરું નહિ. એમ અહીં એ જીવને અંતિમ સમયે અહીંના આકાશપ્રદેશની સ્પર્શના અને પછીના બીજા જ સમયે ઉપર લે કાન્તના આકાશપ્રદેશની સ્પર્શના. વચ્ચેના બીજા કેઈ આકાશ પ્રદેશની સ્પર્શના જ નહિ. આમ વચ્ચે સમયાંતર કે પ્રદેશાંતરની સ્પર્શના જ નહિ. એવી સ્પર્શના–રહિત ગતિથી એ ઉપર પહોંચી જાય છે, તેથી એ ગતિને અસ્પૃશદ્ ગતિ કહે છે. આવી ગતિએ જવાનું બને છે. એમાં કારણભૂત શુદ્ધ અને કથી સર્વથા મુક્ત બનેલ જીવને તથાસ્વભાવ છે.

Loading...

Page Navigation
1 ... 303 304 305 306 307 308 309 310 311 312 313 314 315 316 317 318 319 320 321 322 323 324 325 326 327 328 329 330 331 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344 345 346