________________
ધ્યાન
૩રરરરર સહ તારણહાણુમાનં !' भवसंताणमणन्तं वत्थूणं विपरिणामं च ॥ ८८ ॥ ..
અર્થ: આશ્રવઠારે (મિથ્યાત્વાદિ)ના અનર્થ, સંસારને અશુભ સ્વભાવ, ભવાની અનંત ધારા, અને (જડ-ચેતન) વસ્તુને પરિવર્તન-સ્વભાવ અશાશ્વતતા,
- (પૂર્વે ધર્મધ્યાન પછીની અનુપ્રેક્ષા અંગે પણ આ જ કહેલું કે ધર્મધ્યાનથી સુભાવિત થવાના કારણે ધ્યાનથી વિરામ પામતાં અનિત્યાદિ બાર અનુપ્રેક્ષા પકીની કેઈ અનુપ્રેક્ષામાં ચડે. આ સૂચવે છે કે જિનશાસમાં શુભધ્યાન માત્ર એકાગ્ર, ચિંતનરૂપ નહિ, કિન્તુ સાથે સાથે આત્માને ભાવિત કરનારું હોય, અને એમ ભાવિતતા થયાનું ફળ આ, કે ધ્યાન અટકયું તે એ અનુપ્રેક્ષા ચાલુ થઈ જાય. એ કરતાં વળી ફરી એકાગ્રતા લાગી ધ્યાન ચાલુ થઈ જાય. એમ આંતરા સાથે દહાન–સંતતિ ધ્યાન-ધારા ચાલે. તાત્પર્ય, ધ્યાન જીવને ભાવિત કરનારું જોઈએ, અને એના અટકવા પર અનુપ્રેક્ષા ચાલુ થવી જોઈએ)
. અહીં શુકુલધ્યાનના વિરામમાં આવનારી ૪ અનુપ્રેક્ષા આ પ્રમાણે છે,- . . વિવેચન – શુક્લધ્યાનની ૪ અનુપ્રેક્ષા –
શુકલધ્યાનનીને ધ્યાન બંધ પડતાં (૧) આશ્રવ દ્વારના અનર્થ, (૨) સંસાર-સ્વભાવ, (૩) ભવાની અનંતતા, અને (૪) વસ્તુ-પરિવર્તન, એ ચાર અનુપ્રેક્ષા હોય છે. એના પર એ ચિંતન કરે છે. એમાં (૧) આશ્રવ દ્વારના અનર્થમાં, મિથ્યાત્વ અવિરતિ વગેરે આશ્રવઢારે અર્થાત્ કર્મબંધના હેતુઓ કયા, એ