________________
ધર્મધ્યાન
૨૨૧ devils house' નવરું મન પિશાચી વિચાર કરે છે. માટે જ ચારિત્ર-જીવનમાં દિવસ રાતના ૮ પહેરમાંથી ૨ પહાર નિદ્રા, ને ૧ પહાર ગોચરી–ભ્રમણ–પ્રહણ-ભેજન અને બહાર થંડીલભૂમિ-ગમન, એમ ૩ પહોર ઉપરના પાંચે ય પહોર શાસ્ત્રસ્વાધ્યાયના રાખવામાં આવ્યા છે. જેમાં અવાંતરપણે પ્રતિક્રમણ આવશ્યક ક્રિયા તથા યોગક્રિયા કરી લેવાની હોય છે. શાસ્ત્રવ્યવસાય આટલે બધે સમય ચાલવાથી મન એમાં ને એમાં પરોવાયેલું રહી દુર્ગાનાદિ વિકલ્પોથી ન ડહોળાય એ સ્વાભાવિક છે.
૧૮૦૦૦ શીલાંગની ગણતરી - છે આ ચારિત્ર જહાજ મહાકિંમતી ૧૮૦૦૦ શીલાંગરૂપી રાથી ભરેલું છે, “શીલાંગ” એટલે શીલના સદુઆચારના અંગે, અવાંતર. પ્રકારો. તે પૃથ્વીકાયાદિ આરંભત્યાગ વગેરે ૧૮૦૦૦ છે. જેમ કે, પૃથ્વીકાય-અપકાય-તેજસુકાય-વાયુકાય-વનસ્પતિ કાય એ ૫ સ્થાવરકાય છે, તથા શ્રીન્દ્રિય-ત્રીન્દ્રિય–ચતુરિન્દ્રિય એ ૩ વિકસેન્દ્રિય જીવે, એમ ૮ અને પંચેન્દ્રિય જી તથા અજીવ, એ ૧૦ને આરંભ-સમારંભ–હિંસા ન કરે, એ શીલાંગ કહેવાય. આમાં અજીવ આરંભનો ત્યાગ એટલે કેઈ નિરર્થક પ્રવૃત્તિ જડ અંગેની ય નહિ, દા. ત. વસ્ત્ર મળ્યું તેવું એ૮, પણ એને ફાડવું, સરખું કરવું, વગેરે પરિકર્મ કરવાનું નહિ. એમ મફતનું એક તણખલું ભાંગવાનું નહિ, કે માર્ગે જતાં બગીચ વગેરે જેવાને ય નહિ, એમ ૧૦ આરંભત્યાગ.