________________
ધર્મધ્યાન
૧૭૭ આશ્રવરૂપ ક્રિયાઓથી કમ ઊભા થયે પરલેકમાં પણ છને નરક આદિ ગતિઓમાં ભટકતાં દીર્ઘકાળ અનર્થ નીપજે છે.
અહીં મૂળ ગાથા ૫૦મીમાં “આસવાદિ” એમાં આ શ્રવની સાથે જે “આદિ પદ મૂક્યું છે, એ એ જ રાગદ્વેષ-કષાય અને મિથ્યાત્વ-અવિરતિ આશ્રવના અવાન્તર અનેક ભેદનું સૂચક છે. ત્યારે બીજા આચાર્યો કહે છે કે આ “આદિ' પદ પ્રકૃતિબંધ, સ્થિતિબંધ, અનુભાગબંધ અને પ્રદેશબંધનું જ્ઞાપક છે. એટલે આ બે અપેક્ષાએ રાગાદિના અપાય ચિંતવતાં રાગાદિના અવાંતર અનેકાનેક પ્રકારના અથવા રાગાદિના પ્રકૃતિબંધ, સ્થિતિ–બંધ આદિના અનર્થ પણ ચિતવી શકાય.
૫ પ્રકારની ક્રિયા –
એમ કિરિયાસુ” અર્થાત્ કાયિકી, અધિકરણિકી, પ્રાષિકી, પારિતાપનિકી અને પ્રાણાતિપાતિકી ક્રિયાના પણ અનર્થ ચિંતવે. કહ્યું છે,
किरियासु वट्टमाणा काईयमाईसु दुखिया जीवा। इह चेव य परलोले संसारपवड्या भणिया ॥
અર્થાત્ કાયિકી આદિ ક્રિયામાં પ્રર્વતતા છો આ જીવ નમાંથી જ દુઃખી થાય છે, અને પરલોકમાં સંસારને અત્યંત વધારનારા બને છે.
- જે ક્રિયામાં અંતે જીવની હિંસા થાય છે, એમાં પાંચ પગથિયાં હોય છે. પહેલાં કાયાની હીલચાલ થાય તે કાયિકી ક્રિયા. પછી હિંસાનું સાધન પકડે તે અધિકરણિકી ક્રિયા. બાદ હિંસાથે મનમાં દ્વેષ ક્રૂરતા-કઠેરતા ઊભું થાય તે પ્રાપ્લે
૧૨