________________
૧૬૦
ધર્મધ્યાન એથી વસ્તુને અનેકાંત શૈલીથી વિસ્તૃત અને સર્વાશ સત્ય બોધ થાય છે. આ અંગરચનાઓ પણ માત્ર એક જિનવચનની જ બલિહારી છે. અહો કેવાં ગંભીર જિનવચન !
૩. પ્રમાણુ –વસ્તુને બધ કરાવનારાં દ્રવ્યાદિ પ્રમાણુ છે, જે “અનુગદ્વારસૂત્રમાં બતાવ્યાં છે. તે આ પ્રમાણે,
દ્રવ્યાદિ ૪ પ્રમાણ પ્રમાણ એટલે પ્રમેય જેનાથી સિદ્ધ થાય, જણાય તે. પ્રમાણાત્ પ્રમેયસિદ્ધિઃ પ્રમાણથી સત્ય વસ્તુ પ્રમેય જ્ઞાત બને. પ્રમેય એટલે જગતની ય જ્ઞાતવ્ય વસ્તુ, એને જણાવનાર તે પ્રમાણુ. એ જ પ્રકારે–દ્રવ્યપ્રમાણ, ક્ષેત્રપ્રમાણ, કાલપ્રમાણ, ને ભાવપ્રમાણે જે દ્રવ્યથી, ક્ષેત્રથી, કાળથી અને ભાવથી વસ્તુ મપાય, નિશ્ચિત થાય, તે દ્રવ્યાદિને પ્રમાણુ કહેવાય.
(૧) દ્રવ્ય પ્રમાણમાં, (૧) પ્રદેશનિષ્પન્ન અને (૨) વિભાગ નિષ્પન્ન; અર્થાત્ (૧) દ્રવ્યની પ્રદેશસંખ્યાના હિસાબે લેવાતું માપ. દા. ત. દ્વિપદેશિક સ્કંધ, ત્રિપ્રદેશિક સ્કંધ, અનંત પ્રદેશિક સ્કંધ. એમ (૨) દ્રવ્યના વિભાગથી બનતું પ્રમાણ એ ૫ પ્રકારે, માન-ઉન્માન-અવમાન-ગણિમ–પ્રતિમાન. માન” એટલે ધાન્ય તથા રસનાં ભરીને માપાં, પ્રસ્થક દ્રોણ-કુંભ આદિ, લીટર આદિ. ઉન્માન” એટલે તેલમાપ, શેર–મણુ–કલેગ્રામ. અમાન એટલે લંબાઈ માપ, હાથ–ગજ-વાર–મીટર વગેરે. ગણિમ” એટલે સંખ્યા, ૧–૧૦–૧૦૦ પ્રતિમાન' એટલે સૂક્ષ્મ તેલમાપ, ચવ-ગુંજા–રતિ–વાલ વગેરે.
(૨) ક્ષેત્રપ્રમાણમાં પણ એમ (૧) “પ્રદેશનિષ્પન્ન પ્રમાણે તરીકે અવગાહક આકાશના પ્રદેશથી માપ; એક પ્રદેશમાં રહેનાર એ