Book Title: Dhyan Shatak
Author(s): Jinbhadra Gani, Bhanuvijay
Publisher: Divyadarshan Karyalay

View full book text
Previous | Next

Page 285
________________ ૨૬૨ ધ્યાનશતક तिहुयणविलय कमसो सखिविउ मा अणुमि छउमत्थो । झायइ सुनिप्पक पो झाण अमणो जिणो हाइ ॥ ७० ॥ અર્થ :-છદ્મસ્થ (અસર્વજ્ઞ) આત્મા ત્રિલોકના વિષયમાંથી ક્રમશ: (પ્રત્યેક વસ્તુના ત્યાગપૂર્વક) મનને સંકોચી પરમાણુ ઉપર સ્થાપિત કરીને અતીવ નિશ્ચળ બન્યો શુકલધ્યાન ધ્યાવે, (તે પહેલાં બે પ્રકારે હોય. છેલ્લા બે પ્રકારમાં) જિન વીતરાગ સર્વજ્ઞ મન રહિત બને છે. ત્યાગ જિનમતમાં પ્રધાન ચીજ છે. એની પ્રધાનતા એટલા માટે કે ચારિત્ર એ અ-કષાયરૂપ છે, અને ચારિત્રથી અવશ્ય મોક્ષ થાય, તેથી ક્ષમાદિનું આલંબન સાધન તરીકે રાખે એ જ શુકલધ્યાનમાં ચઢી શકે, બીજા નહીં. આમ શુકલધ્યાનને આશ્રીને આલંબન' દ્વાર વિચાર્યું. હવે “ક્રમ' દ્વારને અવસર છે. એમાં શુકલધ્યાનના પહેલા બે પ્રકારમાં ક્રમ પૂર્વે ધર્મધ્યાનની વિચારણામાં ક્રમ વિચારતાં બતાવ્યો છે. અહીં વળી એમાં આ વિશેષ વાત કહે છે,– વિવેચનઃ શુકલધ્યાન કેવી રીતે ધ્યાવે? છવસ્થ જીવ યાને જ્ઞાનાવરણ આદિ આવરણમાં રહેલ અસર્વજ્ઞ આત્મા ૧૪ પૂર્વમાં કહેલ સૂક્ષ્મ પદાર્થનાં ચિંતન પર શુકલધ્યાનમાં ચઢી શકે છે, અને એના પહેલા બે પ્રકાર પ્રાવે છે. આમાં એકાગ્રતા એટલી બધી હોય કે મન પરમાણુ ઉપર સ્થાપિત થઈ જાય, પરમાણુના ચિંતનમાં મન એંટી જાય. પ્રવે- ત્રિભુવનના વિષયમાં રખડતું મને એવું એકાગ્ર શી રીતે બને?

Loading...

Page Navigation
1 ... 283 284 285 286 287 288 289 290 291 292 293 294 295 296 297 298 299 300 301 302 303 304 305 306 307 308 309 310 311 312 313 314 315 316 317 318 319 320 321 322 323 324 325 326 327 328 329 330 331 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344 345 346