________________
(૩૪)
શ્રીહષિમંડલ વૃત્તિ ઉત્તરાદ્ધ. હર્ષ પામતે છતે તે હસ્તિને લઈ શણગારેલી પોતાની નગરી પ્રત્યે ગયે. “સુદર્શન પુરના અધિપતિ ચંદ્રયશાએ પિતાને હસ્તિ પકડ છે.” એવી નમિ રાજાએ આઠ દિવસે ચર પુરૂષથી વાત જાણું. પછી તેણે દૂત મેકલી પિતાને હસ્તિ મગાવ્યું પરંતુ પ્રાર્થના કરતા એવા તે દૂતને ભૂપતિની આજ્ઞાથી ચંદ્રયશાના દૂતએ પ્રહારથી દાંત પાડી નાખવાપૂર્વક નગરની બહાર કાઢી મૂકો. દૂતે પાછા આવીને નમિરાજાને સર્વ વાત નિવેદન કરી એટલે અભિમાનયુક્ત મહા બલવાળો નમિ ભૂપતિ બહુ સેના સાથે લઈ કેટલેક દિવસ અવંતિપુરના સિમાડે આવ્યો. ચંદ્રયશા પણ યુદ્ધ કરવા તેના સન્મુખ ચા. એવામાં તેને પક્ષિઓએ અપશુકનથી નિવાર્યો એટલે મંત્રીઓએ કહ્યું કે “હે સ્વામિન્ ! હમણું આપને કિલ્લાની અંદર રહીને યુદ્ધ કરવું યોગ્ય છે પછી અવસર આવ્યે કાલને વેગ એવું કાર્ય આરંભવું.” પછી ચંદ્રયશા રાજાએ અન્નજલાદિકથી તેમજ બીજી બહુ સામગ્રીથી કીલ્લાને સજજ કર્યો. એટલું જ નહીં પણ તોપના યંત્ર વડે પિતાના કિલ્લાને શત્રુઓથી ન પેસી શકાય તે મહા વિષમ કરી દીધું. અખલિત પ્રયાણથી નમિ રાજાએ, નગરની સમીપે આવી નિર્દોષ ભૂમિ પ્રત્યે સેનાને પડાવ કરાવ્યું. પછી નીચે રહેલા નમિ રાજાના સૈન્યની સાથે કિલા ઉપર રહેલા ચંદ્રયશાના સુભટોને, દીન પુરૂષને ભયકારી અને વીર પુરૂષોને પુરૂષાર્થ ઉપજાવનારે મહા સંગ્રામ ચાલ્યું. કિલ્લાની પ્રાપ્તિને ઉપાય શોધી કાઢનારા નમિ રાજાએ કિલ્લામાં પિસવાને પ્રયત્ન કરવા માંડે અને અવંતિપતિએ તેને નિષેધ કરવાને ઉદ્યમ કરવા માંડયો.
આ પ્રમાણે બને ભૂપતિઓનું ભયંકર યુદ્ધ ચાલતું હતું એવામાં તેની માતા મદનરેખા કે જેણુએ સુવ્રતા નામ ધરાવી દીક્ષા લીધી હતી. તેણીએ તે વાત જાણી. તેથી તે શુદ્ધ મતિવાળી સુવ્રતા સાધ્વી મનમાં કહેવા લાગી કે, “પરસ્પર એક બીજાને વધ કરવાને ઉદ્યમવંત થએલા આ બન્ને ભાઈઓ નરક પ્રત્યે જશે.” એમ ધારીને તે મહા સતી, પ્રવર્તિનીની રજા લઈ અને એક સાધ્વીને સાથે રાખી નમિ રાજાના શિબિર પ્રત્યે ગઈ. નમિ રાજાએ તેણીને નમસ્કાર કરીને આસન આપ્યું. સુવ્રતા આસન ઉપર બેઠી. એટલે નમિ તેમની આગલ બેઠે પછી સાધ્વીએ અમૃતવૃષ્ટિ સમાન ઉપદેશ આપ્યો “હે રાજન ! આદિ અને અંત વિનાના આ અનંત દુઃખના પાત્રરૂપ સંસારમાં મનુષ્યભવ પામીને યુદ્ધથી કરેલા પાપવડે શા માટે મેહ પામે છે ? હે નારેશ્વર ! અમિત એવી રાજ્ય સંપત્તિ છતાં તમારા સરખા પુરૂષ, પિતાના કુલાચારથી ભ્રષ્ટ નથી થતા. નિરપેક્ષપણે રાજ્યપદ ભગવતા એવા ભૂપતિઓને ધિક્કાર થાઓ ધિક્કાર થાઓ કે જેમનાથી ઉત્પન્ન થએલી જાજ્વલ્યમાન ચિંતા રૂપ અગ્નિથી લેક ઉદ્વેગ પામે છે. તેઓનું સામર્થ્ય ત્રણ જગમાં વખાણવા યોગ્ય છે કે જેમને આશ્રય કરીને સર્વે જે નિર્ભયપણે શયન કરે છે. હે મહિપતિ ! તું પોતાના પૂજ્ય પુરૂષની આશાને ભંગ કરતે છતે બીજાઓને