________________
( ૨૩૨ )
મીઋષિમડલ વૃત્તિ-ઉત્તરા
દેવ કહેવાય છે. બ્રહ્મચારી તથા પરિગ્રહથી મુકાયલાનેજ ગુરૂ માનેલા છે. તેમજ દયાયુક્ત ધર્મ તેજ ધર્મ સમજવા. ” સાધુની આવી દેશના સાંભલી શુદ્ધ બુદ્ધિવાલા રાજા પ્રતિમાધ પામ્યા, અને તેના અતિ સ્થિર એવા ચિત્તરૂપ ઘરને વિષે અરિહંતના ધર્મે નિવાસ કર્યો. પછી તે દેવતાએ પ્રત્યક્ષ થઈ ઉદાયન ભૂપતિને ધમર્મો વિષે સ્થાપ્યા. ત્યારબાદ તે સ્વર્ગ પ્રત્યે ચાહ્યા ગયા. ઉદાયન ભૂપતિએ પણ પેાતાને પેાતાની સભામાં બેઠેલા જોયા. તે દિવસથી માંડી યથાક્ત દેવ ગુરૂ ધમ વિગેરે ત્રણથી વાસિત થએલા ઉદ્યાયન રાજા સમ્યક્ત્વધારી થયા.
હું
(શ્રી વીરપ્રભુ અભયકુમારને કહે છે.) હવે ગાંધાર દેશને ગાંધાર નામે રાજા વૈતાઢય પર્વત ઉપર શાશ્વર્તી જિન પ્રતિમાને વંદન કરવા ગયા. ત્યાં તે વૈતાઢય પર્વતના મૂલમાં વંદના કરવાની ઇચ્છાથી બેઠા. પ્રસન્ન થએલી શાસનદેવીએ તેનુ ઈષ્ટ પૂર્ણ કર્યું. શાસનદેવીએ કૃતકૃત્ય એવા તેને ઈષ્ટ ફળ આપનારી એકસા આઠ ગાળીઓ આપી. એક ગેાળી મેઢામાં નાખી ગાંધારે વિચાર કર્યો કે “ વીતભય નગરે જઈ દેવાધિદેવની પ્રતિમાને વંદના કરૂં.” આમ વિચાર કરવા માત્રમાં તે વીતભય નગરે ગયે ત્યાં દેવાધિદેવની પ્રતિમાને પ્રભાવતીની દાસી કુબ્જા પૂજતી હતી. બીજે દિવસ ગાંધારના શરીરે કાંઇ રાગ થયેા. જિનધર્મને વિષે પ્રીતિવાળી મુખ્તાએ તેની ભક્તિ કરી. ગાંધારે પાતાનું મૃત્યુ પાસે આવ્યું જાણી કુબ્જાને સે ગાળીએ આપી દીધી, ત્યારપછી આર્ત્ત ધ્યાન રહિત એવા તેણે દીક્ષા લીધી. કુખડા રૂપવાળી કુખ્તએ પણ સારૂં રૂપ પામવાની ઈચ્છાથી એક ગોળી મુખમાં નાખી. તેથી તે પણ દેવીની પેઠે દિવ્ય રૂપ ધારણ કરનારી થઈ, તે ગાળી વડે કુબ્જા સુવર્ણના વર્તુથી પણ અધિક રૂપવાળી થઇ તેથી લોકોએ તેનું સુવર્ણ શુલિકા એવું નામ પાડ્યું.
',
હવે સુવણ ગુલિકાએ બીજી ગાળી મુખમાં મૂકી વિચાર્યું જે મ્હારા સરખા રૂપવાલા પતિ વિના મ્હારૂં આવું રૂપ વૃથા છે. આ ઉદ્યાયન રાજા તેા મ્હારે પિતા સમાન છે, અને બીજા રાજાએ તે તેના સેવક છે. માટે ઉદ્ધૃત એવા ચડપ્રદ્યોતન રાજા મ્હારા પતિ થાઓ. ” સુવર્ણ કુલિકા આવે વિચાર કરતી હતી એવામાં કોઇએ પ્રથમથી ચડપ્રદ્યોતન પાસે સુવર્ણ શુલિકાના રૂપનાં વખાણ કર્યા હશે. તેથી માલવપતિ ચડપ્રદ્યોતન ભૂપતિએ એક દૂત સુવર્ણકુલિકા પાસે તેની યાચના કરવા મેાકલ્પે ! તે ત્યાં આવી તેની પ્રાર્થના કરી એટલે સુવણુંગુલિકાએ કહ્યું, “ તું ચંડપ્રદ્યોતન રાજાને અહિં તેડી લાવ.” તે સુવર્ણગુલિકાના કહ્યા પ્રમાણે માલવપતિને ખબર આપ્યા. પછી ચંડપ્રદ્યોતન રાજા, અરાવણુ હસ્તિ ઉપર બેઠેલા ઇંદ્રની સંપત્તિને ધારણ કરતા છતા વાયુ સરખા વેગવાલા હસ્તિ ઉપર બેસી રાત્રીએ વીતમય નગર પ્રત્યે આળ્યે, જેવી રીતે ચંડપ્રદ્યોતન રાજાને સુવણુંગુલિકા રૂચી, તેવીજ રીતે સુવણુ ગુલિકાને માલવપતિ પ્રસન્ન પડયા. માલવપતિએ સુવર્ણ શુલિકાને કહ્યું “ હે સુંદરી !