________________
( શ્રી ધર્મચિ” નામના મુનિવરની કથા.
( ૧૪૯ ) તરામાં કરી સાતે નરકે ઉત્પન્ન થઈ. છેવટ અનંત ભવ ભ્રમણ કરી પાપકથી તિર્યંચ યાનિમાં ઉપની. ત્યાંથી ચંપાપુરીમાં સાગરદત્ત શ્રેષ્ઠીની ભદ્રાવતી સ્ત્રીના ઉદરથી સુકુમાલિકા નામની પુત્રીપણે જન્મી. યુવાવસ્થા પામી એટલે પિતાએ તેણીને જિનદત્ત શ્રેણીના પુત્ર સાગરની સાથે મ્હાટા ઓચ્છવથી પરણાવી. સાગર તેણીના દેહના સ્પર્શ અગ્નિના સરખા જાણી નાસી ગયા. પછી પિતાએ તેણીને કાઇ ક્રમકને સોંપી. દ્રુમક પણ તે સુકુમાલિકાના અગસ્પર્શને નહિઁ સહન કરતા છતા નાસી ગયા. પછી પિતાની આજ્ઞાથી નિરંતર યાચકજનેાને દાન આપતી તે સુમાલિકાએ ઉત્તમ સાધ્વીના સંગથી ઉત્પન્ન થએલા વૈરાગ્યવડે દીક્ષા લીધી. છઠ્ઠ, અઠ્ઠમ અને માસખમાદ મહા તપને કરતી એવી તે સુકુમાલિકા સાધ્વીએ, ગુરૂણીએ ના કહ્યા છતાં વનમાં વિધિથી આતાપના કરવા માંડી.
એકદા ત્યાં પાંચ પાંચ પુરૂષાથી સેવન કરાતી કાઇ રૂપવતી વેશ્યાને જોઈ સુકુમાલિકા પોતાના મનમાં વિચાર કરવા લાગી. “ મે" પૂર્વે નિર્મલ પુણ્ય કર્યું નથી જેથી મને જરા પણ સુખ મળ્યું નહિ. આ વેશ્યા મહા ભાગસુખ ભાગવે છે. જો મ્હારા આ તપનુ કાંઈ પણ ફૂલ હોય તા મને આવતા ભવમાં આવુ ભાગસુખ પ્રાપ્ત થાઓ.” આ પ્રમાણે તે મૂઢ સુકુમાલિકાએ નિયાણું કર્યું. પછી વસ્ત્રાદિ શરીરના ઉપકરણેામાં વારંવાર આસક્ત થએલી તે સુકુમાલિકા મૃત્યુ પામીને ઇશાન દેવલેાકમાં સાધારણ દેવી થઇ ત્યાંથી ચવીને તે કાંપીલ્યપુરનાં દ્રુપદ રાજાની ઉત્તમ રૂપવાળી ચુલની રાણીના ઉદરથી દ્રપદી નામની પુત્રીપણે ઉત્પન્ન થઇ. તેના વિવાહ કરવા માટે રચેલા સ્વયંવર મંડપમાં પિતાએ અનેક ભૂપતિઓને તેડાવ્યા. તેથી કૃષ્ણાદિ અનેક રાજાએ ત્યાં આવ્યા. પછી પૂર્વે કરેલા નિયાણાથી ઉદ્ભય પામેલા કવશપણાને લીધે તેણીએ પાંડુરાજાના પાંચ પુત્રા વર્યો. કહ્યુ છે કે પૂર્વ કરેલું કર્મ દુર્લધ્ધ છે. પછી પાંડવા પોતાના નગર પ્રત્યે જઇને તે દ્રોપદીની સાથે પાત પાતાના વારા પ્રમાણે નિર ંતર વિષયસુખ ભાગવવા લાગ્યા.
એકદા નારદમુનિ દ્રપદીના ઘરને વિષે આવ્યા પણ દ્વીપદીએ તેમના આદરસત્કાર કર્યો નહિ તેથી નારદ તેણીના ઉપર બહુ ક્રોધ પામ્યા. પછી તેમણે ધાતકી ખંડની અમરક’કા નગરીમાં જઈ પદ્મોતર રાજાની પાસે દ્રોપદીના રૂપ ગુણનું બહુ વર્ણન કર્યું. દ્રોપદીના રૂપનું શ્રવણ કરવાથી તેણીના ઉપર અનુરાગ ધરતા એવા પદ્મોત્તર ભૂપતિએ દેવતાની આરાધના કરી ઢપદીને ત્યાં પોતાની પાસે તેડાવી. અહિં ખલ વંત પાંડવાએ દ્રોપદીની સર્વ સ્થાનકે બહુ શોધ કરી પણ તે ક્યાંઈથી મળી શકી નહી, તેથી તેઓએ પોતાની માતા કુંતાને દ્વારકા નગરી મેકલ્યાં. કુંતાએ ત્યાં જઈ દ્રૌપદીના હરણની સર્વ વાત કૃષ્ણને કહી. કૃષ્ણે “ હું જ્યાં ત્યાંથી દ્રૌપદીને લાવી આપીશ.” એમ કહી કુતાને સંતેાષ પમાડી તેમની ભક્તિ કરી.
(2
એકદા કૃષ્ણે પાતાની સભામાં આવેલા નારદને પૂછ્યું કે “હે નારદ ? તમે