________________
શ્રી આરક્ષિત' નામના પૂર્વધર સૂરિપુરદરની કથા, (૩૮૭ ) ઉત્તમ માણિક્યની માલાથી વ્યાસ એ શ્રી ભગવાન મહામુનિ શ્રી વાસ્વામીને, નાગેચંદ્રાદિક શિષ્ય પ્રશિષ્યથી સમુદ્રની પેઠે પૂર્ણ રીતે વૃદ્ધિ પામતે અને જગનાં મંગલ કાર્ય કરતે એવો વંશ સર્વ દિશાઓમાં વિસ્તાર પામ્યા.
'श्रीवज्रस्वामी' नामना अंतिम दशपूर्वधरनी कथा संपूर्ण.
नाउण गहणधारण-हाणिं चउहापि ही कओ जेण ॥
अणुओगो तं देविंद-वंदिरं रखिरं वंदे ॥२०॥ જેમણે ગ્રહણ ધારણની હાનિ જાણી, પછીના માણસને સુખે બંધ થવા માટે ચાર પ્રકારના અનુયોગને (દ્રવ્યાનુયેગ, ચરણકારણનુગ, ગણિતાનુગ અને ધર્મકથાનુયોગ) ર. એ પ્રકારે અનુયોગને ભિન્નભિન્ન કરવાથી પાછળના માણસોને સુખે બંધ થયે. દેવેંદ્ર વંદના કરેલા તે આર્ય રક્ષિતને હું વંદના કરું છું.
निष्फावकुडसमाणो, जेण कओ अज्जरखिओ सूरी ॥
सुतत्थतदुभयविउ, तं वंदे पूसमित्तगणि ॥२०१॥ જેમણે સૂત્ર, અર્થ અને સૂત્રાર્થને અભ્યાસ કરતા પોતાના ગુરૂને વર્લંઘટ સમાન કરી દીધા તે પુષમિત્ર ગણિને હું વંદના કરું છું.
गहिअनवपुव्वसारो, दुबलिआपूसमित्तगणिवसहा ॥
विज्झो अविज्झपाठो, न खोहिओ परमवाएहिं ॥२०२॥ નવપૂર્વના સારને ગ્રહણ કરનારા દુર્બલિકા પુષ્પમિત્ર કે જે સૂરિઓને વિષે શ્રેષ્ઠ છે, તેમજ સફલ શાસ્ત્રાભ્યાસવાળા વિંધ્ય કે જે બ્રાદ્ધકોના વાદમાં જરા પણ ક્ષોભ પામ્યા નહિ તે બન્ને સૂરિઓ શ્રી આર્ય રક્ષિતના શિષ્ય હતા.
* 'श्रीआर्यरक्षित' नामना पूर्वधर मूरिपुरंदरनी कथा. ४ દશપુર નગરને વિષે સમદેવ નામને પુરોહિત રહેતે હતો. તેને ઔદ્રાયણ રાજાની પુત્રી રૂદ્રમાં નામે સ્ત્રી હતી. તેઓને પોતાના વંશમાં મુક્તાફળની ઉપમા રૂપ આર્ય રક્ષિત અને ફલરક્ષિત નામના બે પુત્રો હતા. આર્યરક્ષિત પાટલીપુર નગરે જઈ ચાદ વિદ્યાને અભ્યાસ કરી પોતાના નગરે આવ્યો. રાજાએ તેને હાથી ઉપર બેસારી મહોત્સવપૂર્વક તેના ઘરે આર્યો. પછી આર્યરક્ષિતે ભક્તિથી પોતાના પિતાના ચરણમાં નમસ્કાર કરી જેટલામાં પોતાની માતા પાસે જઈ પ્રણામ કર્યો તેટલામાં તેણે માતાને ખેદયુક્ત દીઠી. આર્ય રક્ષિતે પૂછયું. “હે માત ! આજે હર્ષ પામવાને વખતે તમે કેમ છેદયુક્ત કેમ દેખાઓ છે?” માતાએ કહ્યું. “હે પુત્ર! જે તે દ્રષ્ટિવાદને અભ્યાસ કર, તે મને નિવૃત્તિ થાય.” પછી માતાને હર્ષ પમાડવા માટે દ્રષ્ટિ