________________
( ૨૪૮ )
શ્રી ઋષિમ`ડલવૃત્તિ ઉત્તરા
છઠ્ઠ ભાજી અને ઉત્તમ દ્રષ્ટિવાન્ એવા નાગ સારથીના પાત્ર વરૂણે ચેડા રાજાની આજ્ઞાથી છઠ્ઠ ભક્તને અંતે અઠ્ઠમ કરી અને સેનાપતિ પદ્મ અંગીકાર કરી તેવા રથ અને મુશળ નામના દારૂણ યુદ્ધ પ્રત્યે પ્રવેશ કર્યો. સમર્થ અને મહા ખળવ’ત એવા વરૂણ કૃણિકના સેનાપતિને યુદ્ધ માટે તિરસ્કાર કરતા અસહ્ય વેગવાળા રથથી યુદ્ધમાં આગળ ધસ્યા. સામ સામા તૈયાર કરેલા રથવાલા, અતિ વૈર ધારણ કરતા અને ગજરાજના સરખા દુય અને સેનાપતિએ યુદ્ધની ઈચ્છાથી બહુ નજીક આવ્યા. આ વખતે કૂણિક રાજાના સેનાપતિએ યુદ્ધભૂમિમાં આવેલા અને પેાતાની નજીક ઉભેલા વરૂણને કહ્યું કે “તું પ્રથમ મ્હારા ઉપર પ્રહાર કર, પ્રહાર કર. શુરવીર એવા વરૂણે ઉત્તર આપ્યા કે “ મ્હારે શ્રાવકનું વ્રત છે, જેથી હુ' મ્હારા ઉપર પ્રહાર કર્યો વિના શત્રુ ઉપર પ્રહાર કરતા નથી.” પછી “તે બહુ સારૂં કહ્યુ, બહુ સારૂં કહ્યુ, ” એમ કહી કૂણિક રાજાના સેનાપતિએ તુરત એક માણવડે વરૂણ સુભટને પ્રહાર કર્યા. પછી ક્રોધથી રાતા નેત્રવાલા વડ઼ે એકજ પ્રહાર કરી કૃણિકના સેનાપતિને યમલાક પ્રત્યે માકલી દીધા. છેવટ કુણિકના સુભટાના બહુ પ્રહારથી વિહ્વળ અનેલે અને ઉત્તમ બુદ્ધિવાળા વરૂણ રણભૂમિમાંથી બહાર નિકલી એક તૃણુના સંથારા ઉપર બેસી વિચાર કરવા લાગ્યા.
??
,,
**
“ મેં મ્હારી કાયાથી પેાતાના સ્વામીનું કાર્ય સર્વ પ્રકારે કર્યું છે હવે મ્હારૂ મૃત્યુ પાસે આવ્યું છે માટે હમણાં મ્હારે પાતાના સ્વાર્થ સાધવાનો વખત છે. ” આવી રીતે વિચાર કરી ઉત્તમ બુદ્ધિવાલા વરૂણે આરાધના કરી અનશન લીધું અને સાવધાનપણે ચિત્તમાં નવકારને જાપ કરવા માંડયા. આ વખતે વરૂણના મિત્ર કોઇ મિથાસૃષ્ટિ પુરૂષ સેનામાંથી બહાર નિકલી વણુ પાસે આવી કહેવા લાગ્યા. “ મિત્ર? હમણાં હું તમારા સ્નેહથી વશ થઇ ગયા છું. હું તમારા માર્ગને જાણતા નથી માટેજ ઉત્તમ ભાવથી તમારી પાસે આવ્યે છું. ” પછી ધર્મધ્યાનમાં તત્પર અને પંચપરમેષ્ઠીના સ્મરણવાલે વરૂણ સમાધિથી મૃત્યુ પામી સૌધર્મ દેવલે કને વિષે ગયે. ત્યાં સૂર્ય સમાન કાંતિવાલા તે ચાર પલ્યાપમના પેતાના આયુષ્યને પૂર્ણ કરી મહા વિદેહ ક્ષેત્રને વિષે ઉત્પન્ન થઈ ત્યાંથી સિદ્ધિપદ પામશે. વરૂણના માર્ગને અજ્ઞાનથી સેવન કરનારા તેના મિત્ર પશુ મૃત્યુ પામી ઉત્તમ કુલમાં મનુષ્યપણે ઉત્પન્ન થયા. ત્યાંથી વિદેહ ક્ષેત્રમાં મ્હાટા કુલને વિષે મનુષ્યપણે ઉત્પન્ન થઈ મુક્તિમાર્ગનું આરાધન કરવાથી મેાક્ષપદ પામશે.
હવે ચેડા રાજાને વરૂણ સેનાપતિ હણાયે છતે તેના સર્વે સુભટ ખાણુથી વિધાયલા વરાહુની પેઠે ખમણું યુદ્ધ કરવા તૈયાર થયા. સર્વ ગણરાજથી વિરાજિત એવા તે ચેડા રાજાના સુભટાએ કુણિક રાજાની સેનાને કુટી નાખી. તાડન કરાતી પોતાની સેનાને જોઇ ખલવંત એવા કુણિક અથ્થરથી તાડન કરેલા ઉદ્ધૃતસિહની પેઠે શત્રુની સેના સામે ઢાડયા, તલાવમાં હસ્તિની પેઠે શત્રુની સેનામાં ક્રીડા કરતા