________________
પss.
(૧૮)
શ્રીષિમંડલ વૃત્તિ ઉત્તરાદ્ધ. હારી કેડને વિષે જાણે મહેન્દ્રનું વજ પડયું હોયની? એવી મહા ઘેર વેદના પીડા કરવા લાગી. હે રાજન ! આ મહારી વેદનાને દૂર કરવા માટે વૈદ્યવિધાના જાણ અને મંત્રશાસ્ત્રમાં નિપુણ એવા બહુ ચતુર મહાવિદ્યા આવ્યા. તેઓએ હારા માટે ચાર પ્રકારના ઔષધપ્રગ ર્યા પરંતુ તેઓ મને દુઃખથી છોડાવી શકયા નહીં એજ મહારું અનાથપણું છે. મહારાપિતા મહારે માટે સર્વગ્રહવાસ આપી દેવા તૈયાર થયા પણ કેઈએ મને વેદનાથી છોડાવ્યો નહીં.એજ હારૂ અનાથપણું છે.હે રાજન! પાસે બેઠેલી માતા પણ બહુ શેક કરવા લાગી પરંતુ મને દુઃખથી છોડાવવા સમર્થ થઈ નહીં એજ હારે અનાથપણું છે. હારા ન્હાના અને મોટા ભાઈએ કષ્ટ પામવા લાગ્યા તેઓએ પણ મને છેડા નહીં. એજ મહારૂં અનાથપણું છે. હારા દુઃખથી દુઃખી થએલી હારી ન્હાની અને મોટી બહેનોએ પણ મને દુઃખથી છેડા નહીં, એજ હારું અનાથપણું છે. જેઓ સ્નેહને લીધે હારા પડખાને ક્ષણમાત્ર છોડતી નહોતી એવી અને હારા ઉપર પૂર્ણ પ્રેમ ધરનારી હારી પતિવ્રતા સ્ત્રીઓ હારી ઘેર વેદના જોઈને ભોજન ન કરતાં રૂદન કરવા લાગી. પરંતુ તેઓએ પણ મને દુઃખથી છોડાવ્ય નહીં એજ હારૂં અનાથપણું છે.
(અનાથીમુનિ શ્રી શ્રેણિક રાજાને કહે છે કે,) હે ભૂપ! આ પ્રસાણે હારી વેદના ટાલવાને કઈ સમર્થ થયું નહીં છેવટ હંજ તે વેદનાને દૂર કરવા સમર્થ થયે, કારણ આ અનંત એવા સંસારને વિષે મેં દુષ્કર એવી બહુ વેદનાઓ સહન કરી છે. મેં ધાર્યું કે જે આ વિસ્તાર પામેલી હારી વેદના એકવાર નાશ પામશે તે હું ક્ષમાવંત અને ઉદાર થઈને પ્રવજ્યા અંગીકાર કરીશ. હે રાજશિરોમણિ ! આ પ્રમાણે વિચાર કરીને હું જેટલામાં સુઈ ગયે. તેટલામાં પ્રભાત થતાં હારી સર્વ વેદના નાશ પામી ગઈ. હે ભૂપ ! રંગરહિત થએલા મેં સવારે મહારા બંધુ વિગેરેની રજા લઈ આરંભ ત્યજી દઈ અને શાંત આત્માવાલા થઈને અનગારપણું અંગીકાર કર્યું છે પૃથ્વીનાથ! મેં ચારિત્ર અંગીકાર કર્યું તેથી જ હું પિતાને પરને, ત્રસને, સ્થાવર અને સામાન્ય રીતે કહીએ તે સર્વ પ્રાણીઓને નાથ (સ્વામી) થયે. આ આત્માજ ભયંકર પ્રવાહવાલી વૈતરણી નદી છે. કઠીન નરક દુઃખ આપનારૂં શામેલી વૃક્ષ છે. તેમાં પ્રવર્તનારે જીવ છે તેને સ્વર્ગ અને મોક્ષના હિતપણાથી ઈચ્છિત ફલ આપનારી કામધેનુ કહી છે અને આત્મા એજ નંદનવન છે. જિનેશ્વર પ્રભુએ સુખ અને દુઃખને કર્તા આત્માને માન્ય છે. તેમાં જે તે સારે માર્ગે ચાલે તે મિત્ર (સુખને કર્તા) અને અવલે માર્ગે ચાલે તે અમિત્ર (દુ:ખને કર્તા) છે. હે રાજન ! વળી બીજું એક અનાથપણું કહું છું તે તું સાવધનપણે સાંભલ. જે મંદ પુરૂ નિગ્રંથપણું સ્વીકારીને પછી ખેદ પામે છે તે પણ અનાથ જાણવા જે પુરૂષે પ્રવજ્યા લઈ મોટા પ્રમાદથી પાંચ મહાવ્રતોને પાલતા નથી અને રસને વિષે કેપ તથા ઈદ્ધિઓને સ્વાધિન રાખતા નથી તેઓને શ્રી