Book Title: Rushimandal Vrutti Uttararddh
Author(s): Shubhvardhansuri, Harishankar Kalidas Shastri
Publisher: Jain Vidyashala

View full book text
Previous | Next

Page 401
________________ ( ૩૦ ) શ્રી ઋષિમ‘ડલવૃત્તિ-ઉત્તરાન દિવસમાં દશમું પૂર્વ ભણી રહીશ; માટે અભ્યાસ કર, તું ધીર છે તે પછી હમણાં શા માટે ખેદ પામે છે. ” હિતસ્ત્રી એવા ગુરૂએ આ પ્રમાણે કડ્ડી ઉત્સાહ પમાડેલા આરક્ષિત જો કે ઉત્સહુરહિત થયા હતા, તે પણ ગુરૂની ભક્તિવાલા તેણે અભ્યાસ ચલાવ્યેા. જો કે ગુરૂ વ સ્વામી તેને પોતાના ખંધુની પેઠે અભ્યાસ કરાવતા હતા, તેા પણુ આરક્ષિતનું મન જવા માટે બહુ ઉત્સાહવત થયું હતું, તેથી તેણે ફરી શુરૂ પાસેથી જવાની રજા માગી. “ હું તેને અભ્યાસ કરાવું છું છતાં તે ઉત્તમ બુદ્ધિવાલા શા માટે જવાને ઉત્સાહ ધરે છે ? ,, આમ વિચાર કરતા શ્રીસ્વામીને ઉપયાગ આભ્યા; તેથી તેમણે વિચાર્યું કે “ હા મેં જાણ્યું. મ્હારાથીજ દશમા પૂર્વના વિચ્છેદ થવાના છે. વલી હવે મ્હારૂં આયુષ્ય પણ થાડું છે. ” આમ ધારી તેમણે આય રાક્ષતને જવાની આજ્ઞા આપી. પછી ફલગુરક્ષિત અને આરક્ષિત બન્ને જણા ગુરૂને ભક્તિથી વંદના કરી દશપુર નગર પ્રત્યે ગયા. આરક્ષિત મુનિને આવ્યા જાણી નાગરિક લેાકેા સહિત રાજા, અને રૂદ્રસામા સહિત સામદેવ, તેમને ભક્તિથી વંદના કરવા ગયા. હર્ષના આંસુથી ભરાઈ ગએલા નેત્રવાલા તે સર્વે લોકો, જાશે મૂર્તિમત ધમજ હાયની ? એવા તે આરક્ષિત મુનિને વિધિ પ્રમાણે વદના કરી તેમની આગલ બેઠા. તે સર્વને ધર્મ સાંભલવાની ઈચ્છાવાલા જાણી દયાના સમુદ્રરૂપ આરક્ષિત મુનિએ ગંભીર વાણીથી તેમને ધર્મદેશના આપી. મુનિની દેશના રૂપ અમૃતની વાર્વમાં પોતાના મનના મેલને ધેાઇ નાખતા એવા નૃપાદિ સર્વે માણસોએ વિસ્મય પામી અહુ ભક્તિથી તેમને વદના કરી તે મુનીશ્વર પાસે સમ્યક્ત્વ લઈ પેાતાને કૃતાથ માનતા છતા પાત પાતાને ઘેર ગયા. સંસારમાં ભ્રમણ કરાવનારા સંસારવાસથી ઉદ્વેગ પામેલી. રૂસોમાએ, પોતાના પતિ સામદેવ અને બીજા બહુ બંધુઓની સાથે દીક્ષા લીધી. જો કે સામદેવે દીક્ષા લીધી તે પણ તેણે સ્વજનાદિથી લજ્જા પામીને ધેાતી, કચ્છ, છત્રી, જનાઈ અને જોડા વિગેરે ત્યજી દીધું નહિ. પછી ગુરૂના શિખવાડવાથી સર્વે ખાલકાએ સવ મુનિઓને વંદના કરી પણ સામદેવ મુનિને વંદના કરી નહીં, ગુરૂએ તેનુ કારણ પૂછ્યું, એટલે તે છોકરાઓએ ઉત્તર આપ્યા કે “ છત્ર ધારણ કરનારને વંદના કરાય નહી. ” ખેઢ પામેલા સામદેવે આ રક્ષિત મુનિ કે જે પેાતાના પુત્ર થતા હતા, તેમને કહ્યું. “ હે વત્સ ! ખાલકા વિના બીજા સવે શ્રાવકા, મને તથા ખીજા મુનિઓને વંદના કરે છે અને ખાલકે તા એમ કહે છે કે છત્ર ધારણ કરનારને અમે વંદના કરતા નથી ” ગુરૂ શ્રી આરક્ષિતે કહ્યું, “ જો એમ છે તા હૈ તાત ! તમે તે છત્રીને ત્યજી દ્યો. સામદેવે, ગુરૂના આવા વચનથી ભદ્રક પરિણામને લીધે છત્રી ત્યજી દીધી. એવીજ રીતે તેણે જનેાઇ વિગેરે સર્વ વસ્તુના ત્યાગ કર્યા. એવી રીતે સામદેવે સર્વ વસ્તુ ત્યજી દીધી પણ ધાતીયું ત્યજી દીધું નહીં તેથી આરક્ષિત ગુરૂએ એક બીજો ઉપાય શોધી કાઢયા.

Loading...

Page Navigation
1 ... 399 400 401 402 403 404