________________
wwwvNNNNNNNNN
શ્રીજબૂસ્વામી નામના ચમકેલીની કથા (૩) લજજાથી કામને રોકી રાખે, તેથી તેને ફૂલ ઉત્પન્ન થયું જેથી તે તુરતજ મૃત્યુ પામે.
તેને મૃત્યુ પામેલે જોઈ ભયબ્રાંત થએલી હું વિચાર કરવા લાગી કે મહારા પાપિણીના દેષથી આ વિપ્રપુત્ર મૃત્યુ પામે છે. અત્યારે આ વાત હું કોને કહું અને શે ઉપાય કરું? હા હા ! હું એકલી તેને મહારા ઘરમાંથી બહાર શી રીતે મૂકી આવું? આમ વિચાર કરીને મેં તીક્ષણ આયુદ્ધ વડે તેના શરીરના કકડે કકડા કરી ત્યાંજ ભૂમિમાં ખાડો ખેદી નિધાનની પેઠે ડાટટ્યા. પછી ખાડાને પૂરી દઈ તેના ઉપર સરખું કરી લીંપી દીધું કે જેથી કેઈને ખબર પડે નહિ છેવટ તે સ્થાનને ચંદન, પુષ્પ અને ધુપ વિગેરેથી સુવાસિત કર્યું. હમણાં હારા માતા પિતા ગામથી આવ્યાં છે.
રાજાએ કહ્યું. “હે કુમારી! તે આ હિંસા વિગેરે જે કહ્યું તે સત્ય છે? કુમારીકાએ ફરી ઉત્તર આપ્યો. “હે ભૂપ ! આપ જે બીજી કથાઓ સાંભળો છે તે જે સત્ય હોય તે આ સઘળું પણ સત્ય છે.”
(જયશ્રી જંબૂકુમારને કહે છે કે,) હે સ્વામિન્ ! જેવી રીતે નાગશ્રીએ ભૂપતિને વિમય પમાડ્યો તેવી રીતે આપ કલ્પિત કથાઓથી અમને શા માટે વિસ્મય પમાડે છે ?”
જંબુકમારે કહ્યું. “હે પ્રિયાઓ ! હું લલિતાંગ કુમારની પેઠે વિષયલંપટ નથી.* સાંભળે તેની કથા –
વસંતપુર નામના નગરમાં શતાયુધ નામે રાજા રાજ્ય કરતો હતો. તેને જ્ઞાન અને વિજ્ઞાનના ભંડારરૂપ લલિતા નામની રાણું હતી.
એકદા તે રાણી વિનદ માટે ગોખમાં બેસી નીચે જતા એવા લોકોને જોતી હતી, એવામાં તેણે રૂપકાંતિથી દેવતા સમાન અને ચિત્તને મેહ ઉપજાવનારા કઈ યુવાન પુરૂષને દીઠે. તે પુરૂષના રૂપને જેવાથી જ ઉત્પન્ન થએલા કામ વિકારવાળી તે લલિતા વિચારવા લાગી કે “જે હું તેને આલિંગન કરું તો જ મારો જન્મ સફળ કહેવાય. જે હું પક્ષિણ હેત તે નિચે ઉડી ત્યાં જઈ મહારા ચિત્તને મોહ પમાડનારા અને કામના ખલારૂપ તે યુવાન પુરૂષને ઝટ સેવન કરત.” આ વખતે તેની પાસે રહેલી સુવિચક્ષણ દાસીએ વિચાર્યું કે હારી બાઈની દષ્ટિ આ યુવાન પુરૂષને વિષે રમી રહેલી છે.” આમ ધારી તેણે કહ્યું. “બાઈ સાહેબ ! આપને મન આ તરૂણ પુરૂષને વિષે રમે છે. ખરું છે જે લેકેને નેત્રને આનંદ પમાડે નહિ તે શું અદભૂત કહેવાય ? નજ કહેવાય.” લલિતા રાણીએ કહ્યું. “બહુ સારું, બહ સારું તું ખરેખર મનને જાણનારી છે. હવે જે હું તે મનહર પુરૂષની સાથે કીડા કરીશ તેજ જીવીશ. હે અનઘે ! એ પુરૂષ કેણ છે ? તે પ્રથમ મને કહે પછી તું તેની વિનંતિ કરી વ્હારા દેહની સાથે તેને સંગ કરાવ.” દાસી નીચે જઈ ઝટ