________________
( શ્રી મેતા' નામના મુનિવરની કર્યા.
,,
( ૧૦૩ ) આપ પરીક્ષા કરે. ” ચાંડાલનાં આવાં વચન સાંભળી વિસ્મય પામેલા અભયકુમાર મંત્રી છાગને મેતા ની પાસે લઈ ગયા. ત્યાં તે તેણે રત્નમય છાણુ કર્યું. પછી બહુ આશ્ચર્ય પામેલા અભયકુમારે કહ્યું કે “આ શું ? ” મેતાર્યે કહ્યું, “હું મંત્રીશ્વર ! આપ હૃદયમાં આશ્ચર્ય ન પામે. કારણુ મહાત્મા પુરૂષાને દિવ્યપ્રભાવથી શું શું નથી મલતું ? ” અભયકુમારે કહ્યું, “હું શ્રેષ્ઠ! જો ત્હારા દિવ્યપ્રભાવ છે તેા આ વૈભાર પર્વતને વિષે રથ ચાલે તેવે સરળ માર્ગ કરાવી આપ. જેથી શ્રેણિક રાજાને તે પર્યંત ઉપર શ્રીવીર પ્રભુને વંદન કરવા જતાં આવતાં થતી અડચણા દૂર થાય.” મેતા૨ે તુરત દેવસહાયથી વૈભાર પર્વત ઉપર સુખે જવાય તેવી સડક બનાવી દીધી કે જે અદ્યાપિ સુધી વિદ્યમાન છે. અભયકુમારે ફરી મેતાને કહ્યું. “ આ રાજગૃહ નગરને ક્રૂરતા કાંગરાવાલા ઉચા સુવર્ણના કાટ બનાવી આપ. આ કાર્ય પણ મેતાર્યે પાતાના દિવ્ય પ્રભાવથી તુરત કરી આપ્યું. પછી તે મહુ આશ્ચય પામેલા અભયકુમારે કહ્યુ કે “ જો તું ક્ષીર સમુદ્રને અહિં લાવી તેના શુદ્ધ જલવડે કુટુંબ સહિત સ્નાન કરી પવિત્ર થાય તા હું તને રાજકન્યા આપીશ. ” મેતાયે પશુ પોતાના દિવ્ય પ્રભાવથી ઉચ્છલતા કહ્રોલ વડે મનુષ્યાને આશ્ચર્યકારી એવા ક્ષીર સમુદ્રને ત્યાં આણ્યા અને તેની વેલામાં કુટુખ સહિત સ્નાન કરીને પવિત્ર થયા. પછી અભયકુમારે મેતાનું રાજકન્યા સાથે પાણીગ્રહણુ કરાવ્યું. આ વખતે પૂર્વના આઠ શ્રેષ્ઠીઓએ જે પેાતાની પુત્રીઓ નહેાતી પરણાવી તે પણ મહેાચ્છવપૂર્વક મેતાને દીધી. પછી મહા શાભાવાલા તે રાજગૃહ નગરમાં મેતા પોતાની મરજી પ્રમાણે શિખિકામાં બેસીને નિરંતર હર્ષોંથી ક્રવા લાગ્યા. એકદા રાત્રીએ પેલા દેવતાએ ફ્રી આવી મેતાને કહ્યુ, “ મેતા ! પ્રતિષેધ પામ અને સંસારમાં ફ્રી ન પડ. '' જો તું હવે શીઘ્ર મ્હારૂં કહ્યું નહીં કરે તેા હું હારી ફરી તેવીજ વલે કરીશ.” દેવતાનાં આવાં વચનથી બહુ ભય પામેલા મેતાર્થે તેના ચરણમાં પડીને કહ્યું. “ હે સુરેશ્વર! હમણાં મ્હારૂં મન વ્રત લેવા ઉત્સાહ પામતું નથી માટે મ્હારા ઉપર દયા કરી મને બાર વર્ષ પર્યંત ગૃહસ્થાવાસમાં રહેવાની રજા આપ પછી હું સર્વ ત્હારા કહેવા પ્રમાણે કરીશ. ” દેવતા મેતાનું કહેવું દયાથી માન્ય કરી સ્વર્ગ પ્રત્યે ચાલ્યા ગયા અને ફરી બાર વર્ષને અંતે મેતાને કહેવા લાગ્યા કે મેતા ! પ્રતિબાધ પામ અને સંસારરૂપ સમુદ્રમાં ન પડે. ” દેવતાનાં આવાં વચન સાંભળી ભાગને ત્યજી દેવાને તેમજ દેવતાના ભયથી ગૃહસ્થાવાસમાં રહેવાને અસમર્થ એવા મેતા પરતંત્રતાને લીધે જેટલામાં માન ધારીને ઉભા રહ્યો તેટલામાં અતિ ક્રીન થએલા મુખવાળી તેની નવે સ્ત્રીએ દેવતાના ચરણમાં પડી તેને વિનંતિ કરવા લાગી કે “હે સુરાખીશ ! હે કૃપાનિધિ ! અમારા ઉપર કૃપા કરી અમારા પતિને ફરી ખીજા ખાર વર્ષ ગૃહસ્થાવાસમાં રહેવાની આજ્ઞા આપેા. ” દેવતાએ પણ તેણીએના વચનથી દયાને લીધે ક્રી ખીજા ખાર વર્ષ પર્યંત મેતાને ગૃહસ્થાવાસમાં રહેવાની આજ્ઞા આપી