________________
(૧૦૨)
શ્રીઋષિમડલ વૃત્તિ ઉત્તરા
તેને તુરત નગરની ખાલમાં પછાડયા. આ વખતે દેવતાએ ફરી પ્રગટ થઈને મેતાને કહ્યું. “ જો હજી સુધી પ્રતિધ પામ, તા ત્હારૂં કાંઇ પણ નાશ થયું નથી, ” મેતાયે કહ્યું. “ હું દેવેશ ! હવે પ્રતિમાધ વડે કરીને પણ શું, કારણ લેાકમાં હું અવર્ણનીય થયા અપવાદ પામ્યા. અને મ્હારી લક્ષ્મી પણ ગઇ. હે દેવ ! જે હવે તું મને ફરીથી તેનું પ્રભુપણું આપે તે હું ત્હારા કહેવા પ્રમાણે સર્વ કરીશ.” દેવતાએ કહ્યું. “ જો એમ છે તે કહે, હું ત્હારૂં શું કામ કરૂં ? ” મેતાર્યે કહ્યુ, “ હમણાં તું મ્હારા શ્રેણિક રાજાની પુત્રી સાથે પાણિગ્રહણ કરાવ. જેથી આ મ્હારા મ્હોટા અપવાદ નાશ પામે, મ્હાટાઈ મલે તેમજ અધિક લક્ષ્મી પણ પ્રાપ્ત થાય. એટલુંજ નહિ પણ હે વિભા ! ઉત્સવરહિત જૈનદીક્ષા લેતી વખતે મ્હારી આ લેાકમાં યશ, સ`પત્તિ, ધર્મ અને શેાભા વૃદ્ધિ પામે. અન્યથા નહીં. ” મેતા નુ વચન અંગીકાર કરી દેવતાએ તેને એક છાગ ( એકડા ) આપ્યા. તે છાગ હુ ંમેશાં મેતાના ઘરને વિષે રત્નમય છાણુ કરવા લાગ્યા. મેતા તે રત્ના વડે થાળ ભરી પોતાના પિતાને કહેવા લાગ્યા. “ હે તાત! તમે આ રત્ન થાલ શ્રી શ્રેણિક રાજાને અપર્ણ કરે. જ્યારે તે ભૂપતિ તમારા ઉપર પ્રસન્ન થાય ત્યારે તમારે મ્હારે માટે તેની પુત્રીનું માગું કરવું. બીજું કાંઇ પણ માગવું નહીં.” પુત્રના આવાં વચન સાંભલી અત્યંત હર્ષ પામેલા ચાંડાલે રત્નના થાલ લઇ શ્રેણિક રાજાને અર્પણુ કર્યાં. દિવ્ય રત્નાને જોઇ અતિ પ્રસન્ન થએલા શ્રેણિક રાજાએ કહ્યુ “ અરે મેત ! હારી મરજી હાય તે માગ. ” ચાંડાલે કહ્યું કે–મ્હારા પુત્રને માટે આપની પુત્રી આપે. ” શ્રેણિક રાજાએ “ અરે ! તેં શું આ ચેાગ્ય માગ્યું ? ” એમ ક્ડીને તેને રાજસભામાંથી કાઢી મૂકયા, તેથી તે પેાતાને ઘેર આવ્યા.
**
,,
પછી તે દિવસથી આરંભીને દિન દિન પ્રત્યે ચાંડાલે આવેલા રત્નના થાલને શ્રેણિક રાજા સ્વીકારે છે પરંતુ તેને પોતાની પુત્રી આપતા નથી. આ પ્રમાણે હુંમેશાં રત્નથાલ ભૂપતિને આપતા એવા ચાંડાલને જોઇ અભયકુમાર મંત્રીએ તેને પૂછ્યું. “ અરે ! તું આવા ઉત્તમ રત્ના ક્યાંથી લાવે છે ? ચાંડાળે કહ્યું, “ મ્હારે ત્યાં એક છાગ છે. તે છાણુને બદલે આવાં રત્ન કરે છે. ” અભયકુમારે ક્યું. “ હે મહાશય ! જે તું તે છાગ ભૂપતિને આપે તે હું ત્હારૂં સર્વ ઈષ્ટ કાર્ય કરીશ. ” ચાંડાલે ‘એમ થાએ ” એમ કહીને તુરત પાતાને ઘેરથી છાગ લાવીને શ્રેણિક રાજાને અર્પણ કર્યો. શ્રેણિક રાજા તે છાગને જેટલામાં પેાતાના અંતઃપુરમાં લઈ ગયેા તેટલામાં તેણે એવા દુર્ગંધી મલમૂત્ર કર્યાં કે જેથી તત્કાળ સર્વ રાજકુલ આકુલ વ્યાકુલ થઈ ગયું. પછી અક્ષય કુમારે ચાંડાલને ખેાલાવીને કહ્યું કે “તું હું કેમ એક્લ્યા ? ચાંડાલે કહ્યું. “ હું ભૂપતિની આગલ કયારે પણ જીટું નથી ખેાલતા. આમાં કાંઇ કારણ દેખાય છે. કેમકે મહા ભાગ્યવંત એવા મ્હારા પુત્ર જ્યાં જ્યાં રહે છે ત્યાં ત્યાં તે છાગ સહેજથી રત્નમય છાણુ કરે છે. હે સ્વામિન્ ! તે વાતની મ્હારે ઘેર આવીને
ܕܕ