________________
શ્રીભદ્રબાહુસ્વામી' નામના શ્રુતકેવલીની કથા, વિષે છ પ્રકારના રસના આહાર કરતા અને શુદ્ધ શીલવ્રત ચાતુર્માસ રહ્યો.
( ૩૪૧)
પાલતે છતે
१६० ॥
सिंहो वा सप्पो वा, सरीरपीडाकरा मुणेअव्वा || नाणं च दंसणं वा, चरणं च न पञ्चला भित्तु ॥ સિહુ અથવા સર્પ એ અન્ને જણા શરીરે પીડા કરનારા જાણવા, પણ તે જ્ઞાન, દર્શન અને ચારિત્રને ભેદી નાખવા સમર્થ નથી.
न दुक्करं अंबयलुब्बितोनं, न दुकरं सिरिसवनच्चिआए ॥ तंदुकरं तं चं महाणुभावो, जं सो मुणी पमयवणंमि वुच्छो ॥१६१ ॥
કાશા વેશ્યા રથકાર ( સુથાર ) ને કહે છે કે તે આંબાની લંબ તેડી તે દુષ્કર નથી, તેમજ મેં સપના ઢગલા ઉપર નૃત્ય કર્યું તે પણ દુષ્કર નથી કારણુ તે બન્ને અભ્યાસ કરવાથી થઈ શકે છે. પરંતુ અભ્યાસ નહિ... છતાં તે મહાનુભાવ સ્થૂલભદ્ર, માહ ઉપજાવનારા સ્થાનમાં ચિરકાલ રહ્યા છતાં પણ માહ ન પામ્યા, તેજ દુષ્કર જાણવું.
* 'श्री भद्रबाहुस्वामी' नामना श्रुतकेवलीनी कथा.
પ્રતિષ્ઠાન પુરને વિષે બહુ ભદ્રક અને શ્રેષ્ઠ એવા વરાહમિહર અને ભદ્રબાહુ નામના બે બ્રાહ્મણેા હતા. એકદા તે બન્ને જણાઓએ શ્રી યશેાભદ્ર સુગુરૂની દેશના રૂપ અમૃતનું પાન કરી સંસારની તૃષ્ણા ત્યજી દઇ ચારિત્ર લીધું. પછી વિશુદ્ધ વિનય કરતા એવા ભદ્રબાહુને ગુરૂએ થાડા કાલમાં ચા-પૂર્વના અભ્યાસ કરાા અને વિનિત એવા વરાહમિહરને મન વિના કાંઇ થાડા શાસ્ત્રાભ્યાસ કરાયેા. શ્રીમાન્યશેાભદ્ર ગુરૂએ ભદ્રષાહુ મુનીશ્વરને ઘણા ગુણુવાલા અને યાગ જાણી તેમને સુખે આચાર્ય પદ આપ્યું. પછી વરાહમિહર, ભદ્રબાહુ ઉપર ઇર્ષ્યા આવ્યાથી તુરત સાધુના વેષ ત્યજી દઇ ગૃહસ્થ થયા અને વરાહીસંહિતા બનાવી નિમિત્ત જોવાથી આજીવિકા કરવા લાગ્યા. વળી તે લેાકમાં એમ કહેવા લાગ્યા કે “ કાઇ વખતે હું વનમાં શિલા ઉપર લગ્ન લખી જોતા હતા. સ્મૃતિ ન આવવાથી તે લગ્નને ભૂસી નાખ્યા વિના મ્હારા ઘરને વિષે આવ્યેા. સુવાને વખતે સ્મૃતિ આવવાથી રી લગ્ન ભુંસી નાખવા માટે હું વનમાં ગયા. ત્યાં મેં સહુને દીઠા. લગ્નને ભૂંસી નાખવા માટે મે હાથ લાંબે કર્યો એટલામાં લગ્નની ભક્તિથી સંતુષ્ટ થએલા સિંહરૂપ સૂયે પ્રગટ થઈને મને કહ્યું. “ હે વત્સ ! તું ઇષ્ટ એવા વરદાનને માગ. મેં કહ્યું. “ જો આપ મ્હારા ઉપર પ્રસન્ન થયા હો તે મને પોતાના મંડલમાં લઈ સર્વ ગ્રહેાની યથાર્થ ગતિ દેખાડા. ” પછી સૂર્યે મને પેાતાની સ ગ્રહગતિ દેખાડી અહીંયા મૂકયા છે. માટે હું લેાકેા ! હું ત્રિકાલના જાણું છું.
,,
22