________________
શ્રીવાસ્વામી નામના અંતિમ દશપૂર્વધરની કથા (૩૮૧ ) તેજ ઉત્તમ સ્વર, સુવર્ણ અને સુગંધ સમાન શોભે છે.” રાજાએ કહ્યું. “હે. ભગવદ્ ! આપની આકૃતિ આવી વિરૂપ કેમ હતી ? ” ગુરૂએ કહ્યું. “હારૂ સ્વરૂપ રાજ ીઓને વિકૃતિ ઉત્પન્ન કરનારું હેવાથી મેં પિતાની શક્તિથી આવું વિરૂપ બનાવ્યું કહ્યું છે કે પાપપ્રવૃત્તિ સંસારને વધારનારી છે.”
પિતાની પુત્રીનું પાણી ગ્રહણ કરવામાં વ્યગ્ર ચિત્તવાલા ધન શ્રેષ્ઠીએ આગલ બેસીને શ્રી સ્વામીની ધર્મદેશના સાંભલી. દેશનાને અંતે ધનશ્રેણીએ હાથ જેડી શ્રીવાસ્વામીને કહ્યું. “હે શ્રેષ્ઠ મુનીશ્વર ! આપ આ હારી પુત્રીને પાણીગ્રહણ કરે. હે સ્વામી ! વિવાહ પછી હસ્તમેલાપ વખતે હું આપને આ અનેક કોડ દ્રવ્ય આપીશ.” શ્રીવાસ્વામીએ તેને અજાણ જાણી હસીને કહ્યું. “મહારે હારી કન્યાનું તેમજ કોડ દ્રવ્યનું પ્રજન નથી. કમલાના રેગવાલાની પેઠે મહારે વિષયો વિષ તુલ્ય છે. મદ્યપાન પ્રથમ બહુ મીષ્ટ લાગે છે પરંતુ પરિણામે બહુ દુઃખકારી થાય છે. હા ! માણસને ચિંતવન કરેલા વિષય પર ભવમાં પણ વિષથી વધારે અનર્થકારી થાય છે. વિષયેને દુઃખકારી માની હું તેને શી રીતે સ્વીકાર કરું ? શું પકડાઈ ગએલા ચારથી કેઈ પણ દ્રવ્ય ચેરી શકાય ખરું કે ? જે પુણ્યથી પવિત્ર અંગવાલી તમારી કન્યા હારા ઉપર અનુરાગ ધરતી હેય તો મેં ગ્રહણ કરેલી તપસ્યાને તે પણ સ્વીકારે. જે કુલીન એવી તે તમારી પુત્રી મનવડે કરીને મને પિતાને ઈચ્છતી હોય તે તે પિતાનું ચિત્ત નિશ્ચયથી તપસ્યાને વિષે સ્થાપન કરે. ”
આ પ્રકારના શ્રી વજસૂરીશ્વરના કેમલ અને મધુર વચનથી પ્રતિબંધ પામેલી અલ્પ કર્મવાલી રુકિમણીએ તેજ વખતે દીક્ષા લીધી. તે વખતે બીજા બહ માણસો ભવિક જ “ નિચે આ ધર્મ કલ્યાણકારી છે, કે જેમાં આવું અકિંચનપણું દેખાય છે ” એમ વિચારી પ્રતિબંધ પામ્યા.
એકદા શ્રી ભગવાન સ્વામીએ “મહાપરિજ્ઞા”નામના ધ્યયનથી ઉત્તમ એવી આકાશ ગામિની વિદ્યાનો ઉદ્ધાર કર્યો અને કહ્યું કે “આ ગુહ્ય વિદ્યાથી ઉત્પન્ન થએલી શક્તિ વડે એટલી અપ્રતિમ શક્તિ આવે છે કે માણસ જંબુદ્વીપથી માનસોત્તર પર્વત સૂધી જઈ શકે છે. આ વિદ્યા ફક્ત હારે ધારણ કરી રાખવી, પરંતુ કેઈને આપવી નહીં. કારણ હવે પછીના માણસે અલ્પ સંપત્તિવાળા અને અલ્પ સત્ત્વવાલા થશે.”
જેમ મકરસંક્રાતિને વિષે સૂર્ય દક્ષિણદિશાના માર્ગથી ઉત્તર તરફ ગમન કરે છે તેમ કયારેક શ્રીવાસ્વામીએ પૂર્વ દિશા તરફથી ઉત્તર દિશામાં વિહાર કર્યો. આ વખતે ત્યાં હે દુકાલ પડેલ હોવાથી ભોજનની ઈચ્છાના અનુબંધથી અતિ વિધુર બનેલા લેકે દેખાતા હતા. પછી દુકાલથી અતિ પીડા પામેલા અને દીનમનવાલા સર્વ સંઘે એકઠા થઈ સુરીશ્વર એવા શ્રીવાસ્વામીની વિનંતિ કરી કે “ આપ કઈ પણ રીતે આ દુ:ખ રૂ૫ સમુદ્રથી અમારો ઉદ્ધાર કરે, અને