________________
શ્રીશય્ય’ભવસૂરિ' નામના શ્રુતકેવલીની કથા.
૩૩૭)
પરંતુ બ્રાહ્મણાએ તો તેમને ભિક્ષા નહિ આપતાં ઉત્તર પણ આપ્યા નહીં; તેથી તે બન્ને શિષ્યાએ ગુરૂના કહેવા પ્રમાણે “ આ કષ્ટ છે, આ કષ્ટ છે, તત્ત્વને નથી જાણુતા, તત્ત્વને નથી જાણતા. ” એમ કહ્યુ
પછી યજ્ઞમંડપની મધ્યે બેઠેલા શષ્યભવ બ્રાહ્મણે, બન્ને મુનિએના વચનને સાંભલી તરત મનમાં વિચાર કર્યા, “ આ મહાશય સાધુએ ક્ષમાદ્દિગુણુયુકત છે, તેથી તેઓ મૃષા ભાષણ કરે નહી. નિશ્ચે મ્હારૂં મન તત્ત્વને વિષે સદેહ પામે છે.” પછી સંશય રૂપ પર્વતને વિષે આરૂઢ થએલા શષ્યભવે, યજ્ઞના જાણુ એવા યાજ્ઞિક ગેારને પૂછ્યું કે “ તત્ત્વ શું છે ? ” યાજ્ઞિક ગારે કહ્યુ, “ હે શય્ય ંભવ ! સ્વર્ગ અને મેાક્ષના સુખ આપનારા વેદે એજ તત્વ છે. ‘- વેદથી ખીજું કાંઇ પણ તત્ત્વ નથી. ’ એમ વેદના જાણુ પુરૂષા કહે છે. ” શય્યંભવે કહ્યું. “હા હા હૈ યાજ્ઞિક ! તું દક્ષિણાના લાભથી ‘વેદા તત્ત્વ છે’ એમ કહી અમને છેતરે છે. અહો ! રાગદ્વેષથી મુકત થએલા મેહરહિત અને પરિગ્રહ વિનાના આ શાંત મુનિએ મૃષા ભાષણુ કરતા નથી. તું અમારા ગુરૂ છે, છતાં જન્મથી આરંભીને તે આ વિશ્વને છેતર્યું છે, માટે હે દુરાચારી ! તું હમણાં મ્હારો શિક્ષાને યાગ્ય થયેા છું. તુ ઝટ મ્હારી આગલ નિ:સશય એવા તત્ત્વને પ્રગટ કર, નહિ તે હું હારા શિરચ્છેદ કરીશ. દુષ્ટને મારવા તેમાં હત્યા શી ? » આ પ્રમાણે કહી ચપલ નેત્રવાલા શય્યંભવ, મ્યાનમાંથી ખડ્ડ કાઢી જાણે પ્રચક્ષ ચમરાજ હાયની ? એમ તે યાજ્ઞિક ગારને મારવા માટે દોડયા. “ નિશ્ચે આ મને મારશે. ” એમ ધારી ઉપાધ્યાય વિચાર કરવા લાગ્યા કે વ્યથા તત્ત્વ પ્રગટ કરવાના આ સમય આવ્યે છે. વેદમાં કહ્યું છે તેમ અમારા કુલમાં પણ એવીજ સ્થિતિ છે કે જ્યારે પેાતાના મસ્તકના છેદનો અવસર આવે ત્યારેજ યથાર્થ તત્ત્વ પ્રગટ કરવું અન્યથા નહી. માટે હું આને યથાર્થ તત્ત્વ કર્યું, જેથી હું જીવુ. કહ્યું છે કે “ જીવતો માણસ ભદ્રને જુએ છે. ” આ પ્રમાણે પોતાના દેહનું કુશલ ઇચ્છતા તે યાજ્ઞિક ગારે શય્ય ંભવને કહ્યું કે “ આ ગ્રૂપની નીચે અરિહંત પ્રભુની પ્રતિમા ડાઢેલી છે. બ્રાહ્મણેા ગ્રૂપની નીચે રહેલી અરિહંત પ્રતિમાને ગુપ્ત રીતે પૂજે છે, અને તે પ્રતિમાના પ્રભાવથીજ અમારૂં યજ્ઞાદિ કાર્ય નિન્નિપણે થાય છે. અરિહંતના ચરણના ભક્ત, મહાતપવાળા સિદ્ધપુત્ર નારદ પણ મણિમય જિનપ્રતિમા વિનાના યજ્ઞને નાશ કરે છે.” આ પ્રમાણે તે યાજ્ઞિક ગારે યૂપને કાઢી નાખી તેની નીચે રહેલી અરિહંતની પ્રતિમા દેખાડી અને આવી રીતે કહ્યું. “ જે મહાત્મા દેવાધિદેવની આ પ્રતિમા છે, તેમણે કહેલા જે ધર્મ તેજ તત્ત્વ છે, પણ યજ્ઞના સ્વરૂપને કહેનારા વેદો તત્ત્વ નથી. જીવની દયારૂપ સારવાળા તેમજ મેક્ષ આપનારો ધર્મ, શ્રી અરિહંત પ્રભુએ કહ્યો છે તેા પછી પશુએની હિંસાત્મક એવા યજ્ઞને વિષે ધર્મની સંભાવના કયાંથી હાય ? મને ખેદ થાય છે કે અમે મ્હોટા દલથીજ જીવીયે છીએ. તમે મ્હારા કહેલા તત્ત્વને જાણી મને મૂકી દ્યો અને જિનધર્મને
૪૩