________________
(૫૪)
શ્રીગષિમંડલ વૃત્તિ ઉત્તરાદ્ધ વિચાર કરે છે. તેટલામાં નગાતિ રાજર્ષિએ નમિને કહ્યું. “જો તમે રાજ્યને ત્યજી દઈ મુક્તિ પામવાની ઈચ્છા કરતા હો તે સર્વ કાર્યના કરણહાર તમે બીજું કાંઈ બેલવાને યોગ્ય નથી.” પછી કરકે ડુએ નગાતિ મુનિને શાંત, હિતકારી, મધુર અને અમૃત સમાન વચન કહ્યું, “મોક્ષ માર્ગને પામેલા બ્રહ્મચારી અને સાધુને હિતની શિખામણ આપતા એવા મુનિઓને દેષ કહે એ આપને યોગ્ય નથી. ગમે તે સાચો માણસ આપણું ઉપર ક્રોધ કરે, દ્વેષ કરે અથવા તે આપણી વાણુ મહાવિષ સમાન માને પરંતુ પિતાના પક્ષને ગુણકારી મુનિએ તે હિતકારી અમિતવાણી બલવી. ” આ પ્રમાણે પરસ્પર ધર્મસંવાદ કરતા એવા તે મહાત્માઓને કેવલજ્ઞાન પ્રાપ્ત થયું જેથી તેઓ અનુક્રમે મોક્ષપદ પામ્યા. હે ભવ્યજન! તમે પિતાના હિતને માટે આ મનુષ્યના તાપને હરણ કરનારૂં કરડ, નમિ, દ્વિમુખ અને નગતિ રાજાનું ચરિત્ર સાંભલે. इतिश्री शुभवर्द्धनगणिप्रणीतायां श्रीऋषिमंडलवृत्तौ द्वितीयखंडे चतुःप्रत्येक
बुद्धचरित्रवणेन नामाधिकार समाप्तः॥
fo
वीरजिणकहिअसत्तम-पुढवीसव्वासिद्धिगइजोगो॥
नंदउ पसन्नचंदो, तत्कालं केवलं पत्तो ॥ ६३ ॥ શ્રીવીર જિનેશ્વર પ્રભુએ કહ્યો છે સાતમી નરકગતિને અને સર્વાર્થસિદ્ધિવિમાન ગતિને યોગ જેમને અને વલી તેજ વખતે કેવળજ્ઞાન પામેલા શ્રી પ્રસન્નચંદ્ર રાજર્ષિ આનંદ પામે. ૬૩
पिउतावसउवगरणं, पमज्जयंतस्स केवलं नाणं ॥
उपनं जस्स कए, बकलचीरिस्स तस्स नमो ॥ ६४॥ - પિતારૂપે તાપસના ઉપકરણોને પ્રમાર્જન કરતા એવા જેમને કેવળજ્ઞાન ઉત્પન્ન થયું તે વલ્કલચરિને નમસ્કાર થાઓ. ૬૪
_| પસંબક અપના યા સર્વ પ્રકારના વિઘને હરણ કરનારા શ્રી અજિતનાથ તીર્થકરને હર્ષથી નમસ્કાર કરીને પાપને નાશ કરનારૂં શ્રી પ્રસન્નચંદ્ર રાજર્ષિનું ચરિત્ર કહું છું.
પૂર્વે એકદા શ્રી મહાવીર પ્રભુ રાજગૃહ નગરના ગુણશિલ નામના ચિત્યને વિષે સમવસર્યા. ત્યાં હર્ષ પામેલા દેવતાઓ સમવસરણની રચના કરી એટલે સિંહાસન પર બિરાજમાન થએલા શ્રી અરિહંત પ્રભુએ ચાર પ્રકારની ધર્મ દેશનાને આરંભ કર્યો. શ્રી વિરપ્રભુને સમવસરેલા જાણી મહારાજ શ્રેણિક હર્ષ પામતે છતે પિતાના પરિવારસહિત તેમને વંદન કરવા જવા માટે નગરથી બહાર નિક. મહારાજા શ્રેણિકની સેનાની અગ્રભાગમાં સુમુખ અને દુર્મુખ નામના બે સુભટે ચાલતા હતા.