________________
શ્રીઅતિમુક્ત મુનિની કથા.
(૬૫) ચંદ્ર રાજર્ષિના અને વકલચીરીના ઉત્તમ ચરિત્રને સાંભળી ધર્મધ્યાન કરવામાં તત્પર થએલી બુદ્ધિવાલે શ્રી શ્રેણિક રાજા પ્રભુને નમસ્કાર કરી હર્ષ પામતો છતે ઇંદ્રની પેઠે પોતાના રાજગૃહ નગર પ્રત્યે ગયે.” इति शुभवर्द्धनगणिविहितायां ऋषिमंडलवृतौ द्वितीयखंडे
प्रसन्नचंद्रराजर्षिसंबंधः समाप्तः
जं चेवय जाणामी, तं चेव न वेत्ति भणिअ पव्वइओ ॥
अइमुत्तरिसी, सिरिवीरअंतिए चरमदेहधरो ॥ ६५ ॥ ચરમદેહધારી શ્રી અતિમુકત ઋષિએ પિતાના માતાપિતાની પાસે “હું જે જાણું છું તે નથી જાણતો” એમ કહીને શ્રી વિરપ્રભુ પાસે દીક્ષા લીધી. . ૫
I થીતિમુમુનિનીવાળા | પૂર્વે પિલાસપુર નગરમાં વિજય નામે રાજા રાજ્ય કરતો હતો. તેને લક્ષમીની પેઠે વિશ્વમાં પ્રશંસા કરવા એગ્ય શ્રી દેવી નામે પ્રિયા હતી તેઓને ગુણગરિષ્ઠ એ અતિમુક્ત નામે એક પુત્ર હતા.
એકદા છ વર્ષનો તે અતિમુક્ત બાલક અને બાલકીઓની સાથે રમતે હતે. એવામાં તેણે ગોચરી માટે જતા એવા ગોતમ ગણધરને જોયા. “તમે કોણ છો અને કયાં જાઓ છો?” એમ તે અતિમુક્ત બાલકે પૂછયું એટલે મૈતમે કહ્યું.
અમે મહાવ્રતધારી શ્રમણે છીએ અને આ નગરમાં પ્રાસુક આહારને માટે ઘર ઘર પ્રત્યે ફરીએ છીએ.” અતિમુક્ત કહ્યું કે હે ભદંત ! “ત્યારે તો તમે મહારે ઘરે ચાલે, હું આપને નિર્મલ ભિક્ષા વહોરાવું.” એમ કહી આંગળી પકડી પિતાને ઘેર તેડી ગયે. હર્ષિત ચિત્તવાલી શ્રીદેવીએ તેમને પાસુક આહાર વહેરાવ્યો. એટલે ફરી અતિમુકતે પૂછ્યું. “હે ભદં ? તમે કોણ છો અને કયાં રડો છો?” ૌતમે કહ્યું. “હે સુંદર! અમે શ્રી વીરપ્રભુના ધર્મના આચાર્યો છીએ અને અહિં આ નગરીના ઉદ્યાનને વિષે વસીએ છીએ.” તેણે કહ્યું. “હે પૂજ્ય ! પણ ત્યાં શ્રી વિર જિનેશ્વરને વંદન કરવા આવું છું.” ગામે કહ્યું. “હે વત્સ? જેમ સુખ ઉપજે તેમ” પછી ગતમગુરૂની સાથે અતિમુક્ત ઉદ્યાન પ્રત્યે આવી શ્રી વીરભુને નમસ્કાર કર્યો. ત્યાં તે ધર્મ સાંભળી પ્રતિબોધ પામ્યો પછી પોતાના ઘર પ્રત્યે આવી સંસારથી ઉઠેગ પામેલ અતિમુકત બાલક માતાપિતાને કહેવા લાગ્યો. “મને આજ્ઞા આપ હું દીક્ષા લઉં.” માતાપિતાએ કહ્યું. “હે બાલ ! અપક્વ બુદ્ધિવાલે તું શું તત્વને જાણે છે?” અતિમુકતે કહ્યું. “હું જે જાણું છું તે નથી જાણત, અને જે નથી જાણતા તે જાણું છું.” તેના આવાં વચન સાંભળી માતાપિતાએ કહ્યું. “હે વત્સ! એમ કેમ? :' તેણે કહ્યું. “હે માતાપિતા ! હું જાણું છે કે ઉત્પન્ન થએલા