________________
શ્રીચીલાતી પુત્રની કથા.
" श्रीचीलाती पुत्रनी कथा
"
(૧૦૯)
Wann
—
કોઈ એક ગામમાં નિરંતર વિદગ્ધ બુદ્ધિવાલા કાઇ બ્રાહ્મણ રહેતા હતા. તે અનિંદ્ય ( સારા ) માણસાની નિંદા કરતા એટલુંજ નહીં પણ જિનધની નિંદા કરવામાં પણ તે પાછલ રહેતા નહીં. એકદા તે ગામમાં કમુનીરી નામે આચાય આવ્યા. તેમણે તે બ્રાહ્મણને પણ વાદ કરીને ક્ષણ માત્રમાં જીતી લીધે પછી તે બ્રાહ્મણે તેજ સુગુરૂ પાસે દીક્ષા લીધી, તેમજ દેવતાના વચનથી તે જૈન ધર્માંને વિષે સ્થિર થયા, પણ બ્રાહ્મણ જાતિને લીધે તે દુગછા કરતા હતા. તે બ્રાહ્મણના શાંત એવા જ્ઞાતિવર્ગ પણ અનુક્રમે અરિહંત ધર્મ પાળવા લાગ્યા. વળી તે બ્રાહ્મણને એક સ્ત્રી હતી તે તેના ઉપરથી પાતાના સ્નેહ તજી દેતી નહેાતી અને તેથીજ તે પોતાના પતિને વશ કરવા માટે નિર ંતર કામણુ કરતી. સ્રીના કામણથીજ ક્ષીણ થએલા શરીરવાળા વિપ્રમુનિ ઉત્તમ પ્રકારે ધર્મનું આરાધન કરી દેવલાકમાં મ્હોટા દેવતા થયા. પેલી સ્ત્રી પણ પોતાના કામણથીજ મૃત્યુ પામેલા એવા પોતાના પતિના સમાચાર સાંભળી વૈરાગ્યથી વ્રત લઈ તેમજ કરેલા પાપની આલેાચના લીધા વિના મૃત્યુ પામીને સ્વર્ગને વિષે ગઈ.
હવે પેલા વિપ્રજીવ સ્વર્ગથી ચવીને દુર્ગંછા કથી રાજગૃહપુરમાં ધન નામના શ્રેષ્ઠીની ચિલાતી નામની દાસીની કુક્ષીએ પુત્રપણે અવતર્યાં તેનું માણસાએ ચિલાતિપુત્ર એવું નામ આપ્યું. ધન શ્રેષ્ઠીને પણ પાંચ પુત્ર ઉપર એક છઠ્ઠી પુત્રી થઈ. માતા પિતાને પ્રિય એવી તે પુત્રીનું સુસુમા નામ પાડયું. ધન શ્રેણીએ પુત્રી ઉપરના પ્રેમને લીધે ચિલાતિપુત્રને પાતાની પુત્રીને રમાડવા માટે તેની પાસે રાખ્યા. અનુક્રમે વૃદ્ધિ પામતા એવાં તે અન્ને જણાં પરસ્પર ક્રીડા કરતાં છતાં પૂર્વના સબંધથી અત્યંત સ્નેહવત થયાં.
એકદા ધન શ્રેષ્ઠીએ તે ચિલાતિપુત્રને પોતાની પુત્રીની સાથે પક્ષુક્રીડા કરતા જોઇ ક્રોધવડે પોતાના ઘરમાંથી કાઢી મૂકયા. પછી તે બાળક ત્યાંથી સિંહગુહા નામની ચારપલ્લીને વિષે ગયા ત્યાં તેને પદ્મીપતિએ પુત્ર કરી ઘરમાં રાખ્યું. કેટલેક કાળે પદ્મીપતિ મૃત્યુ પામ્યા એટલે સઘળા ચાર લેાકાએ એકઠા થઈ મહાત્સવ પૂર્વક ચિલાતી પુત્રને પદ્મીપતિ ઠરાવ્યેા. નિરંતર સુસુમાને વિષે બહુ રાગ ધરતા એવા તે ચિલાતીપુત્રે એક દિવસ સર્વ ચાર લેાકેાને કહ્યું. “ હું ચારલેાકેા ! આપણે ચારી કરવા માટે રાજગૃહ નગરમાં ધન શ્રેષ્ઠીને ઘરે જઇએ. તેમાં સઘણું દ્રવ્ય તમારૂં અને ફક્ત સુસુમા મારી ” ચિલાતિપુત્રનાં આવાં વચન સાંભળી સર્વે ચાર લોકો બહુ ઉત્સાહવાલા થયા અને રાત્રીએ તે સર્વની સાથે ચિલાતીપુત્ર રાજગૃહ નગર પ્રત્યે ગયા. પછી ધન શ્રેષ્ઠીના સર્વે ચાકરોને અવસ્થાપિની નિદ્રા મૂકી મહા ક્રોષ ધરતા ચિલાતીપુત્ર જ્યાં પુત્રસહિત ધન શ્રેષ્ઠી સુતા હતા ત્યાં ગયા અને તેને કહેવા લાગ્યા કે અરે ધન ! તે મને બાલ્યાવસ્થામાં ઘરથી કાઢી મૂકયેર્યા હતા